SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ મુનિરાજે રાત્રિભોજન વિષે સભામાં શ્રાવકોને એવી સુંદર સમજ આપી કે તેમણે રાત્રિભોજન કરવાનું બંધ કર્યું, જે મહાપુણ્યમાં ભાગીદાર ચંપાબહેન બન્યાં હતાં. જાગૃતિ : પૂ. પતિદેવ અને પૂ. સાસુમાનો દેહાંત થતાં ચંપાબહેન શોકમગ્ન જિંદગી વીતાવી રહ્યાં હતાં. તે અરસામાં પૂ.શ્રી કાનજી મુનિ, પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. આદિ સંતો બોટાદ પધાર્યા. આગળ ઐતિહાસિક મૂલ્યો ધરાવતી આ વાત રજૂ કરી તે પ્રમાણે એક બાજુ બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંઘાડાની સ્થાપનાનો નિર્ણય લેવાતો હતો તો બીજી બાજુ ચંપાબહેનના સંયમ લેવાના સુષુપ્ત ભાવો જે તેમના હૃદયમાં રમી રહ્યા હતા તે હવે જાગૃત અવસ્થામાં આવી સળવળી રહ્યા હતા. ગોંડલ સંપ્રદાયનાં વિદુષી સાધ્વીરત્ના પૂ.શ્રી રંભાબાઈ મ.સ. એ પૂ.શ્રી ચંપાબાઈ, પૂ.શ્રી મંજુલાબાઈ આદિ ચાર મહાસતીજીઓને વૈરાગ્ય સંબંધી માર્ગદર્શન આપ્યું. આ દરેક સાધ્વીજીઓ પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાન્નિધ્યમાં સતત આઠ વર્ષ સુધી રહ્યાં. સં. ૨૦૧૭માં ગં.સ્વ. ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન તથા બા.બ્ર. સરોજબહેનની એમ ચારેય દીક્ષાઓ બોટાદમાં એક દિવસે થઈ. ચંપાબાઈ પૂ. મ.સ. ૧૪ સાધ્વીજીઓનાં તારક ગોરાણી બની ચૂક્યાં હતાં. આત્મહિતાર્થે તેમણે નાની મોટી ઘણી તપસ્યાઓ કરી. છેલ્લાં ૧૧ વર્ષથી તેમની એકાંતર તપશ્ચર્યા ચાલુ જ હતી. સાથે નાનાં સાધ્વીજીઓનાં અભ્યાસ, પ્રગતિ અને વૈયાવચ્ચનું બરાબર ધ્યાન રાખતાં. જૈન સમાજમાં ‘મોટા સ્વામી’નું માનભર્યું અને હેતભર્યું બિરુદ પામી ગયાં. ધર્મકથાઓ, વાર્તાઓ અને કાવ્યોની સુંદર રજૂઆત તે કરી શકતાં. પાયાની ઈંટ : આમ પૂ.શ્રી સંતોની પ્રેરણા અને પૂ.શ્રી ચંપાબાઈ આર્યાજીની શીતળ છાયામાં બોટાદ સંપ્રદાયમાં સાધ્વીવૃંદે પ્રગતિમાં હરણફાળ ભરી અને ચંપાના ફૂલ જેવી ફોરમ પ્રસરાવી પૂ.શ્રી બોટાદ સંપ્રદાયના સાધ્વી સંઘાડામાં પૂ.શ્રી ચંપાબાઈ મ.સ. પાયાની ઈંટ બની રહ્યાં. આપને અમારાં અગણિત વંદન હો! आत्मौप्येन सर्वत्र समं पश्यति योडर्जनः ? | सुखं वा यदि वा दुखं स योगी परमो मतः । ગીતા. પ્રિય પાર્થ! આત્મસમાનભાવે જે સર્વભૂતો પ્રત્યે વર્તે છે તથા સ્વ કે પરના સુખમાં કે દુઃખમાં સમભાવી રહે છે તે શ્રેષ્ઠ યોગી ગણાય છે. Jain Education Intemational પથપ્રદર્શક વિરાગભણી..... પૂ.શ્રી મંજુલાબાઈ મહાસતીજી. શુભ નામ ઃ મંજુલાબહેન. માતાપિતા : કસ્તુરીબહેન માતા, પિતા : ગાંડાલાલ જશરાજ શાહ. જન્મતારીખ અને જન્મસ્થળ : પોષ સુદી એકમ સં. ૨૦૦૨. સ્થળ : બોટાદ. જ્ઞાતિ : વિશાશ્રીમાળી સ્થા. જૈન. અભ્યાસ : ગુજરાતી ૭ ધોરણ. સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. દીક્ષાપર્યાય : સં. ૨૦૨૯માં ૯ વર્ષ. કાળધર્મ : બોટાદ સં. ૨૦૨૭ના કારતક સુદી-૩. जं सम्मं ति पासइ तं मोणं ति पासइ । જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં જ મુનિપણું છે. શ્રી આચારાંગમાં પણ સમ્યક્ત્વથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠાએ જ સિદ્ધિ મનાય છે. જન્મમંગલઃ સંતો, મહંતો અને તીર્થંકરોની ચરણરજથી પાવન થયેલી એવી સૌરાષ્ટ્રની ધરા જ્યાં નાનકડું એવું બોટાદ શહેર, જ્યાં સદ્ગુણી ગૃહસ્થ પિતાશ્રી ગાંડાલાલ જસરાજમાઈ શાહ અને માતા કસ્તુરીબહેનની ગોદમાં સં. ૧૯૯૮ના પોષ સુદ એકમને દિવસે એક નાનકડી બાળકીના મહાન આત્માએ અવતરણ કર્યું. ભાવિના ભીતરનું જાણે સૂચક ન હોય તેમ તેમનું નામ મંજુલા રાખવામાં આવ્યું. જીવનના મંગલ પરોઢે : તે બાળકીનાં વૃદ્ધિ અને વિકાસની સાથે સાથે તે શાળાનો અભ્યાસ અને જૈન શાળાના અભ્યાસમાં ઝળકતી ગઈ. તેમની ભીતરમાં રહેલું આત્માનું ઓજસ પ્રગટવા માંડ્યું. જાણે પૂર્વજન્મનો ભૂલો પડેલો એક ત્યાગી આત્મા ન હોય! તેમ જનમોજનમથી પીછો કરી રહેલી આહારસંજ્ઞાને તોડવા પોતે કટિબદ્ધ બની અને તે ૧૨ વર્ષની નાનકડી બાલિકાએ વર્ષીતપની આરાધના કરી. जगत्काय स्वभावो च संवेग वैराग्यार्थम् । નિમિત્ત : ‘તત્ત્વાર્થસૂત્ર'માં શ્રી ઉમાસ્વાતિ મહારાજે ફરમાવ્યું કે કોઈ વિરલ વ્યક્તિ નિમિત્તોથી જાગી જાય છે. જેમ ભગવાન બુદ્ધ રોગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુની નનામીને જોઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy