SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ગામેગામથી સંતો-સતીજીઓ-લોકો પધાર્યાં હતાં. ઉત્સવ ભવ્ય રીતે ગંભીરતાપૂર્વક ઊજવાયો. વસુવાણીની ચિંતન કણિકાઓ : સર્વ જગતમાં અજ્ઞાનતિમિરને હટાવી જ્ઞાનમાર્ગે લાવનાર સંસારનાં મૂળ જે રાગ અને દ્વેષ છે તેના ઉપર વિજય મેળવનાર, સર્વજ્ઞ બન્યા છે. તે કારણે ભગવાને ચોસઠ ઇન્દ્રો અને સર્વ જગતના જીવો જેને વંદન કરે છે તે ભગવાન મહાવીરને આપણે પણ વંદન કરીએ.” “આત્માનું ચિંતન નહીં આવે તો ચિંતા પણ નહીં ટળે. માટે સમયં શોવમ્ મા પમાણે ભગવાન કહે છે : “હે ગૌતમ! ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ.' “ચિંતાનલનો દવ લાગ્યો ત્યાં ચિંતનજલ ઉપાય છે તેનો આત્મતત્ત્વ ચિત્ત્વો નહીં જેણે જીવન વૃથા ગુમાવ્યું એણે.’ “છે ચિંતન સુધા તેથી ચિંતા-વિષ ટળે સદા; આત્મ-ચિંતન મુક્તિદું જીવન શુદ્ધિ-કારણું.” યોગક્ષેમદ માંગલ્ય સેવો સૌધર્મનું મહા, ચાર સંજ્ઞા ત્યજી આત્મા સાધો. રમણતા સદા.’ પૂ.શ્રીનાં વ્યાખ્યાનો રોચક, સરળ, હૃદયંગમ અને લોકભોગ્ય અને રસાળ શૈલીમાં રજૂ થયાં. જનતાની આળસને ઉડાડી, પ્રમાદ અને સુષુપ્તિને ટાળી તેમનો પ્રયાસ લોકોને અંધકારમાંથી ઉજાસ ભણી લઈ જવાનો સતત રહ્યો. વિશ્વની ધરતીના અનંતપ્રવાસીની, મધુરભાષિણીના બોલને લોકો સાંભળવા ઝંખતાં. તેમની જ્ઞાન-જ્યોત ઝબૂકી ગઈ અને એક વિરાટ પ્રતિભાનાં દર્શન કરાવતી ગઈ. આપને અમારા અગણિત વંદન હો...... જાત પર વિજય મેળવનાર પરાજય પામતો નથી. વિરાટ પ્રતિભાનાં દર્શન બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મહાસતીજી શુભનામ : કુમારી શારદાબહેન: માતાપિતા : શ્રીમતી શકરીબહેન વાડીભાઈ શાહ, અભ્યાસ : ગુજરાતી છ ધોરણ. Jain Education International ૨૦૯ દીક્ષા : સં. ૧૯૯૬ વૈશાખ સુદ છઠ્ઠ, સોમવાર, તા. ૧૩૫-૧૯૪૦ સવારે ૮-૩૦ કલાકે, ૧૬ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ અને જન્મભૂમિ : સાણંદ (ગુજરાત) દીક્ષાદાતા ગુરુ : બા.બ્ર. પૂ. ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાદાત્રી ગુરુણી : પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. સંપ્રદાય : ખંભાત સંપ્રદાય, ભાષાજ્ઞાન : ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત આદિ. શાસ્ત્રીય જ્ઞાન : જૈન આગમ, બત્રીસ શાસ્ત્ર તથા સિદ્ધાંત, થોકડા કંઠસ્થ. પ્રવચનપ્રકાશન : કુલ ૧૪ પુસ્તકો + ૧ ‘દીવાદાંડી’-પંદર પ્રવચન પુસ્તકો-૧ લાખ દસ હજાર + ૧૦ હજાર પ્રત દીવાદાંડી' પ્રકાશિત થઈ. દીક્ષાપ્રદાન : ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં ૪૬ શિષ્યાઓને સંયમનાં દાન. વિહારયાત્રા : ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર આદિ અંતિમ પ્રયાણ : સં. ૨૦૪૨, વૈશાખ સુદ છઠ્ઠ, બુધવાર, તા. ૧૪-૫-૧૯૮૬. મલાડ-મુંબઈમાં પોતાની દીક્ષા જયંતીના દિવસે, સાંજે છ વાગે, ૬૨ વર્ષની ઉંમરે. મન મંદિરનાં મોતી : “માનવજીવન મોંઘુ મળ્યું, વારે ઘડી મળશે નહીં; શોધ્યા વિના સસ્તુને, સંસાર આ ટળશે નહીં.” “માનવ મટી દાનવ બને, એ જીવનને ધિક્કાર છે. નરક પડે દુઃખમાં સડે, કદીએ નહીં ઉદ્ધાર છે.” “કાયા અને માયા તણા પંજા નીચે ના આવશો. જો કોઈ બોલે ગાળ તો મનમાં ન કોઈ લાવશો.' બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. कृध्यन्तं न प्रतिकृध्येत् आकृष्टं कुशकं वदेत । ભગવાન મનુ પણ કહે છે : ક્રોધ કરનાર પર ક્રોધ ન કરવો જોઈએ. અપશબ્દ કહેનારને પણ આશીર્વાદ આપવા જોઈએ. આ પૃથ્વીના પટ ઉપર કાંઈક અસંખ્યક માનવીઓ આવે છે ને જાય છે. તેમાંના ઘણા માત્ર મળેલા જીવનને એમ ને એમ જીવીને જતા રહે છે, જ્યારે ઘણા માનવીઓ પોતાના સુસંસ્કારોથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy