SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૦૩ હજી જાણ્યો નહીં, માણ્યો નહીં, પૂરો સમજાણો નહીં ત્યાં તો લગ્નજીવનના છ માસ બાદ ક્રૂર દાંતિયાં કરતું વૈધવ્ય મોઘીબહેનના જીવનનાં દ્વાર ખખડાવી ગયું. પતિની ચેહની સાથે મોઘીબહેનનાં ઊગતાં અરમાનો, સુષુપ્ત અવસ્થામાં અજાગૃત રહેલાં શમણાંઓ અને સપનાંઓ સાથેનો સંસાર સમૂળગો નાશ થઈને રાખમાં મળી ગયો. એક દીપ બુઝાયો, બીજો પ્રગટ્યો : સંસારનો દીપક પતિના જીવનની સાથે ઓલવાયો અને મોંઘીબહેનની જ્ઞાનપિપાસા જાગૃત થતાં તેમણે આધ્યાત્મિક જગતમાં પગ મૂક્યો. પાલિતાણા શ્રાવિકાશ્રમમાંથી છ વર્ષના દીર્ધ અભ્યાસ બાદ અને સત્સંગ દ્વારા એક નવા વ્યક્તિત્વને લઈને બહાર આવ્યાં. અને જ્ઞાનજ્યોતની એક દિવ્ય આભા તેમના મુખ પર મંડિત થઈ. ત્યાર પછી ભાવનગરમાં પૂ.શ્રી જડાવબાઈ અને પૂ.શ્રી કેસરબાઈનો સદુપદેશ સાંભળતાં રહ્યાં. સંયમના રંગે રંગાતાં ગયાં. મોઘીબહેનને સંયમની રઢ લાગી અને તેમનો સંયમ લેવાનો નિર્ણય દઢ થતો ગયો. "वितिगिच्छं सनावण्णेणं अप्पाणेणं नो लहइ समाहिं।" સંશયાત્મા સમાધિ (શાન્તિ) પામી શકતો નથી. (સમકિત કે સમત્વનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના સાધક સાધનામાં પ્રવિષ્ટ થઈ શકે નહીં. એમ બન્ને માને છે. આચારાંગ અને બન્ને પરિવારની આજ્ઞા મળતાં પૂ.શ્રી મોંધીબહેન વિ.સં. ૧૯૮૯માં વૈશાખ સુદ ૧૩ને દિવસે દીક્ષા અંગીકાર કરી. પૂ.શ્રી મોઘીબાઈ અણગાર બન્યાં. પૂ.શ્રી જડાવબાઈ મ.સ. અને પૂ.શ્રી કેસરબાઈ મ.સ. ગુરુણીઓએ પૂ.શ્રી મોંઘીબાઈ મ.સ.ને વેણુના નાદ સમી રોચક, પ્રેરક, પ્રભાવક અને મધુર શૈલીમાં સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન અને ઉપદેશ આપ્યાં અને પૂ.શ્રીએ તે જ્ઞાનસંપદા અવધારી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દૂરસુદૂર પ્રાંતોમાં વિચરણ કરી જિનશાસનની શોભા અને શાન વધારી. બરવાળા સં,નાં પરમ વંદનીય વિદુષી એવાં સાધ્વીરના પૂ.શ્રી મોઘીબાઈ મ.સ. બરવાળા સંપ્રદાયના પરમ જ્યોતિધર ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મ.સા.નાં અનન્ય ઉપાસક હતાં. પોતાનું શેષ જીવન પૂ.શ્રીએ તપ, જાપ અને સતત સ્વાધ્યાયમાં વિતાવ્યું. ખરેખર! સ્વાધ્યાય સ્વની નજીક લઈ જાય છે અને જે સ્વમાં સ્થિર થાય છે તે જ સ્વસ્થ રહી શકે છે. આવાં મહાવિદુષી પૂ.શ્રી મોઘીબાઈ મ.સ. ભાવનગર મુકામે સંલેખના-સંથારાની અંતિમ આરાધના સાથે વિ.સં. ૨૦૪૨ માગશર વદ અમાસના પાવનકારી દિવસે અંતિમ પ્રયાણપંથે પધાર્યા. આપને અમારાં અગણિત વંદન હો! ક્ષમા : આત્માનો સ્વભાવ છે. સાથે......... શ્રદ્ધા અને પુરુષાર્થની પાંખો સફળતાના આભમાં ઉડાડે, પણ પોતાનામાં આસ્થા ન જન્મે ત્યાં સુધી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જન્મી શકે નહીં. સિંહબાળ બા.બ.પૂ.શ્રી લીલાવતીબાઈ મહાસતીજી શુભ નામ : લીલાવતીબહેન. જન્મદિન : સં. ૧૯૭૫. માગશર સુદ ૧૩, સુપ્રભાતે, તા. ૧૫-૧૨-૧૯૧૮. દીક્ષાદાતા : પૂ.શ્રી દિવાળીબાઈ મ.સ. દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૨, જેઠ સુદ સાડી અગિયારસ, તા. ૧-૬-૩૬, સોમવાર. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : ૧૧ વર્ષની ઉંમરે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવ થોકડા, થોકડાના ૩૫ બોલ અને શાસ્ત્રજ્ઞાનનાં ઊંડાં અભ્યાસી. કાળધર્મ : વિ.સં. ૨૦૩૯. જેઠ વદ ૭. તા. ૨ જુલાઈ, ૧૯૮૩. શનિવાર રાત્રે ૨૩-૪૦ કલાકે કાળધર્મ પામ્યાં. દીક્ષાપ્રદાનઃ તેમને ૮૬ શિષ્યાઓ હતી. તેમને પુષ્કળ શ્રદ્ધાંજલિ-પત્રો આવ્યા હતા. તો ૨ બTV fમસમેઘા મયં બુદ્ધિમાન અને શ્રદ્ધાર્થી પુરુષે જે સત્યની આજ્ઞામાં છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી. એ સર્વથા સનાથ અને નિર્ભય છે (આરાધના, અર્પણતા કે ભક્તિ એક ભાવનાના જ સૂચક છે.) પરંતુ ભક્તિના નામે કોઈ અનિષ્ટ તત્ત્વ ન પેસી જાય એટલે શ્રી આચારાંગકાર સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે. - શ્રી આચારાંગસૂત્ર નગર નાનું પણ નમણું એવા વાંકાનેરના (વંકપુર)ના વતની પણ રહેતા રંગૂનમાં એવા પિતાશ્રી વીરચંદભાઈ અને માતા અંદરબાઈને સાત સંતાનો થયાં હતાં. તેમાં ચોથું સંતાન લીલાવતીબહેન હતાં. ભાઈભાંડુઓ સાથે બાલ્યવયના બગીચામાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy