SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વ્યસનના રાગીમાંથી ધર્માનુરાગી બનાવ્યા. પોતે ગરવાં હતાં, પણ ગર્વિષ્ઠ ન હતાં. સેવાનિષ્ઠ : વિ. સં. ૨૦૦૧ની સાલમાં વઢવાણના ચાતુર્માસમાં પૂ.શ્રી ઝબકબાઈ અને પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયત સમયે તેમણે અને પૂ. કેસરબાઈએ ખડેપગે સેવા કરી અને રાતદિવસ તેમને સૂત્ર-સ્વાધ્યાયનું શ્રમણ કરાવતાં. તેમની સેવાર્થે તેઓ વઢવાણમાં પાંચેક વર્ષ સ્થિરવાસ રહ્યા. ઈ.સ. ૨૦૧૩માં પૂ.શ્રી સુશીલાબાઈએ તેમની પાસે દીક્ષા લીધી, જે ત્રીજાં શિષ્યા હતાં. ત્યારપછી શિષ્યા નહીં બનાવવાની પ્રતિજ્ઞા લીધી. ઓલવાતો આતમદીપ: વિ. સં. ૨૦૩૦માં અમદાવાદમાં નવરંગપુરાની બોર્ડિંગમાં માંદગી આવી. પ તાવ હોવા છતાં પણ સૂત્રોનું વાચન-પાચન ચાલુ રહેતું. ઉપચારની ઉપેક્ષા કરતાં. આચારનું પાલન કરતાં. અંતિમ અવસ્થાએ પણ ક્યારેક જ સૂતાં. તેઓ માનતાં કે આડી-અવળી ગતિમાં જવું હોય તે આડા પડે. ઓડિંગણ તો તેમણે ક્યારેય લીધું નથી. એક જા સ્થાને બેસતાં. પછી ત્યાં તાપ આવે કે ઠંડી આયંબિલમાં પાણી સાથે એક દ્રવ્ય માત્ર વાપરતાં. તેમનાં દર્શનાર્થે નિયમિત રીતે આવતા શ્રાવકોનાં જીવન પલટાઈ જતાં. “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા'', એવા નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે. -શ્રીમદ્ રાજચંદ્રજી. નવરંગપુરાની બોર્ડિંગમાં પધાર્યાં. માંદગી વધતી ગઈ. પોતે નિજાનંદની મસ્તીમાં. એક પણ દવા નહીં લેવાની. પૂ.શ્રી શાંતિલાલજી મ.સા. તેમ જ પૂ.શ્રી વીરેન્દ્રમુનિ મ.સા. રોજ તેમને દસ વૈકાલિક સૂત્ર સંભળાવવા આવતા. પૂર્ણ જાગૃતિથી તેઓ સાંભળતાં. મૃત્યુ મહોત્સવ બન્યું : મંગળવાર તા. ૨૫-૩'૮૦ના રોજ સાંજે પાંચ વાગે “તમને કેમ છે?'' તેમ પૂ.શ્રી વિમળાબાઈ મ.સ.ના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું : “હું જાઉં છું' કહેતાં બધાં પચ્ચક્ખાણ કર્યાં. પોતાનું પ્રિય ઉ.સૂત્ર સંભળાવવા કહ્યું. એકાગ્ર ચિત્તે પૂ.શ્રી કાઉસગ્ગની મુદ્રામાં સાંભળતાં રહ્યાં. દર્દ વચ્ચે દેહ ઝૂલતો, આતમભાવ ન ભૂલતો, દેહ દર્દ સહે દિલ નવકાર વધે, કરે મૃત્યુને પડકાર.' દીપ બુઝાતો હતો પણ આતમનું ઓજસ પ્રકાશતું હતું. Jain Education Intemational પથપ્રદર્શક ૧૨-૪૫ વાગે એક તારો આથમ્યો અને નભોમંડળમાં એક તારો ઊગ્યો. " सच्चरस आणाए से उवट्टिए मेहावी मारंतरति । " “સત્યની આજ્ઞા ઉપર ઊભેલો બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” આચારાંગ સૂત્ર. આપને અમારાં અગણિત વંદન હો! નાથુ નાવા પૂ.શ્રી મોંઘીબાઈ મહાસતીજી શુભ નામ : મોંઘીબહેન. માતુશ્રી : ઉત્તમબાઈ પિતાશ્રી શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહ. જન્મ : જન્મસ્થળ : વિ.સં. ૧૯૬૯, ભાવનગર મુકામે. દીક્ષા : વિ.સં. ૧૯૮૯, વૈશાખ સુદ ૧૩. કાળધર્મ : વિ. સં. ૨૦૪૨, માગશર વદ અમાસ. ‘તદ્દા પરિણ નો રિસે, ની મુન્ને, મૂળદા બાળ ભેદ સાયં સમિયાળુપુસ્તી। આચારાંગ. “પંડિત સાધક પ્રત્યેક જીવના સુખદુ:ખનો વિવેક જાણી સર્વ ભૂતો ઉપર સમભાવ રાખે છે. કોઈને દુઃખી જોઈને તે હર્ષિત થતો નથી. તેમ કોઈને સુખી જાણી કુપિત થતો નથી.' વિધાતાએ એક કુશળ શિલ્પીની માફક દીકરીને ઘડી પૂર્વભવનું પવિત્ર ભાતું બાંધીને પુનીત પગલીની પાડનાર એ જાણે અધૂરું કાર્ય પૂરું કરવા ન જન્મી હોય તેમ મરકમરક થતાં તેના મલકતાં મુખડાંને જોઈ સૌ મલકાતાં, આકર્ષિત થતાં. વિ. સં. ૧૯૬૯માં પિતા શ્રી ત્રિભુવનદાસજી હીરાચંદજી શાહને ખોરડે અને માતા પૂ.શ્રી ઉત્તમબાઈને ખોળે મોંઘીબહેનનું અવતરણ થયું. વારેવારે હસું હસું થતાં તેના મુખને નિહાળી તેના માતાપિતાને હૈયે હાશ થતી અને તેની ઉપર હૈયાનાં હેત ઠાલવતાં. નાનકડી દીકરી જાણે પોતાની ભદ્ર અને સરલ સ્વભાવની માતાની છાયાનુ રૂપ ધારણ કરીને આવી હતી, પણ રે દુર્ભાગ્ય દીકરી માટે માતાનું સુખ ઝાંઝવાનાં જળ સમુ ક્ષણિક નીવડ્યું અને મોંઘીબહેને માતૃસુખ નાની ઉંમરમાં ગુમાવ્યું. ૧૩ વર્ષની ઢીંગલી જેવાં મોંઘીબહેનનું લગ્ન નાગરદાસ નામના યુવક સાથે કરવામાં આવ્યું. ‘ઘરઘર’ની રમત રમતી તે નાનકડી દીકરીએ નવવધૂ બની પ્રભુતામાં પગલી પાડી. સંસારને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy