SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મહાપ્રયાણ ઃ તા. ૨૫-૩-’૮૦, મંગળવાર રાત્રે ૧૨૪૫ વાગે. પ્રાતઃ થયો પ્રકાશ : પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલને ત્યાં અને સંસ્કારી માતાની કૂખે વિ.સં. ૧૯૫૬, મહા સુદ આઠમના પવિત્ર દિવસે પ્રભાતે ચાર પુત્રો ઉપર પુત્રીનો જન્મ થયો. સ્વાભાવિક જ છે કે તારાનાં તેજકરણો હસે અને હસાવે. એ સમયમાં કન્યા કેળવણીને મહત્ત્વ આપવામાં આવતું નહીં. સંસ્કારી માતાપિતાને કારણે તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું. સત્તર વર્ષની વયે તારાબહેનના ડાહ્યાભાઈ સાથે લગ્ન લેવાયાં, પરંતુ હજી તો તેમનાં લગ્નને વર્ષ પણ પૂરું ન થયું ત્યાં તો ડાહ્યાભાઈને સખત માંદગી આવી અને નશ્વરદેહનો ત્યાગ કરી જતા રહ્યા. વસંત મહોરે તે પહેલાં તો તારાબહેનના જીવન ઉપર પાનખર ત્રાટકી ગઈ. નવનીત લાધ્યું : તે સમયે શ્રી તારાબહેનને પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.નો સત્સંગ થયો. જીવનની ક્ષણભંગુરતા અને આત્માની શાશ્વતતાની પિછાણ થવા લાગી. શાસ્ત્રનો મર્મ હાથ લાગ્યો. તારાબહેનની ડૂબતી મઝધારને દિશા સાંપડી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ના સમાગમે તેમના ધર્મના સંસ્કાર ઝબકવા લાગ્યા. કસોટી : તારાબહેનને માર્ગ અને માર્ગદર્શક બંને મળી ગયા હતાં, પણ ત્યાં તેમને લોહીની ઊલટીઓ શરૂ થઈ. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરતાં અવરોધરૂપ ન બને તે માટે કુટુંબને ખબર પડવા દીધા વગર પૂ. વસુમતીબાઈ મ.સ. અને પૂ. પ્રભાબાઈ મ.સ. વૈદ્યને ત્યાંથી દવા લાવી આપતાં અને તે દવાથી તેમણે તેમની તબિયત સુધારી' પણ કુટુંબીજનોની આજ્ઞા મળતી ન હતી. “વૈરાગી વિરમે નહીં, કરીએ ક્રોડ ઉપાય; લાગ્યો રંગ મજીઠિયો, કેમે કરી ન જાય.' એટલે સુધી તારાબહેનને કહેવામાં આવ્યું કે તમારા ગુરુણીને અહીંથી પાછાં વળવાનું કહી દો, પણ જુવાનીમાં જોગનો યોગ લાધ્યો હતો તારાબહેનને. સંસારવિજેતા : છેવટે તેમને પ્રવ્રજ્યાની રજા મળી. ત્રીસ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી. ‘બાળા! ધમ્મો, ગબાપુ તો ।'' ગુરુ આજ્ઞા એ જ ધર્મ અને એ જ તપ. દીક્ષા અને ભિક્ષા લેતાં તો ઘણાંને આવડે પણ ગુરુની હિતશિક્ષા લેવી કપરી છે અને પૂ. તારાબાઈ સંપૂર્ણપણે તેમનાં ગુરુ પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને સમર્પિત થયાં. Jain Education International ૨૦૧ શાસ્ત્રાભ્યાસ : અનેક શાસ્ત્રો તેમને કંઠસ્થ હતાં. તેમના જ્ઞાનની વસંત હંમેશાં ખીલેલી અને ફાલેલી રહેતી. ઘણા સંપ્રદાયોનાં સાધ્વીજીઓ સાથે શાસ્ત્રવાચન કરતાં અને તેમને સમજાવતાં પણ ખરાં. એક વખત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા તેમનાં સંસારી સગાં આવતાં નજર જતાં શાસ્ત્રજ્ઞ ભગવાનજીભાઈની ટકોર થતાં પછી તેમણે ક્યારેય શાસ્રાભ્યાસની એકાગ્રતાને તોડી નથી. ખરે જ! સાગરમાં ડૂબકી મારી મોતી મેળવવાનાં હોય ત્યારે કિનારે ઊભેલાની પરવા કરવાની ન હોય. પોતે આગમોનાં જ્ઞાતા હતાં છતાં પોતાની જાતને હંમેશાં વિદ્યાર્થી માનતાં. ખમીર અને ખુમારી ઃ એક વખત વિહારમાં સામે ડાકુઓ આવ્યા. તેમના પડકારો થયા પણ પોતે નિર્ભયતાથી શાંતિથી ઊભાં રહ્યાં અને ડાકુઓ પાછા જતા રહ્યા. એક વખત ચૂડા શહેરથી વિહાર કરતાં સર્પે દંશ દીધો. પૂ.શ્રીને તો દેહ અને આત્માનું ભેદજ્ઞાન હતું. જીવનમાં ઉતારેલું હતું. લોગસ્સનું સ્મરણ કરતાં તેમણે વિહાર આગળ ચાલુ રાખ્યો. શાસ્ત્રજ્ઞાનના દીવડાના પ્રકાશમાં તેઓ બધાં પ્રસંગોને નિહાળીને નિર્ણય લેતાં. પૂ. વર્ષાબાઈ મ.સ.ના એપેન્ડિક્સના ઓપરેશન વખતે ડૉક્ટરે જ્યારે રાત્રે ગ્લુકોઝના બાટલા ચડાવવાની વાત કરી, ત્યારે પોતે મક્કમ રહી ગ્લુકોઝના બાટલા ચડાવવા ન દીધા. મારે શરણે આવેલા સાધકનું પ્રભુ આજ્ઞાનો ભંગ થવા દઈ તેનું પતન નહીં થવા દઉં. બધાંના વિરોધ વચ્ચે રૂમનાં બારણાં બંધ કરી લોગસ્સ અને નવકારમંત્રના જાપ ચાલુ રાખ્યા અને શુભ સંદેશો આપતું સુવર્ણમય પ્રભાત ઊગ્યું. પૂ.શ્રી સુશીલાબાઈ મ.સ.ની ગંભીર માંદગી વખતે તેમની ઇચ્છા ન હોવાથી પોતે તેમને હોસ્પિટલમાં ન ખસેડવા માટે મક્કમ રહ્યા. એક વખત વિહારમાં માંસાહાર થતાં ભોજનવાળા ગામમાં રહેવા કરતાં ત્યાંથી થોડે દૂર જંગલમાં એક નાનીશી ઝૂંપડીમાં નીડરતાથી રાતવાસો રહેવાનું પસંદ કર્યું. અને સૌની સંભાળ પોતે રાખતાં. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છ ઉપર ભય તોળાતો હતો. બધાંની ત્યાં ન જવાની સમજાવટ છતાં પ્રભુ મહાવીરના ઉપાસકો પાછાં પગલાં ભરે નહીં. અભયના ઉપાસકોને ભય કેવો! એમ વિચારતાં. શ્વાસની સતત અને સખત તકલીફ હોવા છતાં ડોળીના આગ્રહને સ્વીકારતાં નહીં અને સ્થિરવાસ કરતાં નહીં. પારસનો સ્પર્શ : પૂ.શ્રી તારાબાઈ મ.સ.ના જેઠજીના પુત્ર ડૉ. આનંદલાલભાઈ પૂ.શ્રીની બિમારી માટે અને દર્શનાર્થે આવતા ત્યારે તેમના સત્સંગે તેમની ધર્મભાવના મહોરી ઊઠી અને તેમણે ૪૫ સુધીના ઉપવાસની તપશ્ચર્યા કરી. એક ભાઈને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy