SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પથપ્રદર્શક જેના સંદર્ભે “વાત્સલ્યની વહેતી ધારા” શીર્ષક હેઠળ “માણિક્યલતા” શિષ્યામંડળના સંપાદન હેઠળ વીર સં. ૨૫૧૫-વિક્રમ સં. ૨૦૪પમાં પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. જે એક કે દરેક સંયમીએ અન્ય ત્યાગ સાથે ચાનો ત્યાગ કરવો જ. એવું બનતું કે કચ્છના રવ ગામે તેમનો ચાતુર્માસ થતાં પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ના કંઠની મધુરતાભર્યા વ્યાખ્યાનમાં પર્યુષણ- પર્વથી રોજ એક સર્પ આવતો. વ્યાખ્યાન સુધી તે ઝૂલ્યા કરતો. પર્વની પૂર્ણાહુતિએ બાજુના ખંડેરમાં તે સર્પદેહનો મૃતદેહ દેખાયો. ભચાઉમાં પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ની તબિયત બગડતાં સંઘવાળાએ તેમને માટે ટેક્સી મંગાવેલ ત્યારે પૂ.શ્રીને તે વાત પસંદ ન પડતાં આખી રાત પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.એ અજરામરજી સ્વામીનું સ્મરણ કર્યું. પૂ. શ્રી અજરામરજીનું સ્મરણ કરતાં સવારે તે ટેક્સીવાળો આવ્યો જ નહીં. પૂ.શ્રી ખુશ થઈ ગયાં. ખમીર : પૂ.શ્રી વગેરે સં. ૨૦૦૯માં ચાતુર્માસ માટે ધોરાજી જતાં રસ્તામાં વડિયાના નદી કાંઠે ઉપાશ્રયે ઊતરતાં પુષ્કળ વરસાદ વરસતાં ઉપાશ્રયની દીવાલ તૂટી પડી. પાણી ઉપાશ્રયની અંદર ભરાવા માંડ્યું. બધું જ જળબંબાકાર થઈ ગયું. નદી ઉપાશ્રય જાણે એક થઈ ગયાં. સર્વે પૂ. સતીવૃંદે પહેલા માળે પહોંચી ટૂંકમાં પ્રતિક્રમણ કરી સાગારી સંથારો લીધો. નવકારમંત્રના જાપ શરૂ કર્યા અને રાતના પ્રથમ પહોરથી નદીનાં પૂર ઓસરવા માંડ્યાં અને તેઓ જીવલેણ ઉપસર્ગમાંથી મુક્ત થયાં. આર્યપુરુષોએ સમતામાં ધર્મ કર્યો છે. સુખ, દુઃખ, માન-અપમાનમાં જે ક્ષુબ્ધ થતો નથી, તેવા ઉભયને એક ભાવથી સ્વીકારનાર સ્થિતપ્રજ્ઞ હોય છે. એક વખત કચ્છના રણ બાજુ ભોમિયા સાથે વિહાર કરીને જતાં તેઓ ભૂલાં પડ્યાં. ખૂબ થાક્યાં અને પાણીની ખૂબ તરસ લાગી. સાથે રહેલા વૈરાગી ભાઈ પાસેથી બધાંએ સૂઝતું પાણી વાપર્યું પણ પૂ.શ્રી માણિક્યબાઈએ ચાલવાનો અને પાણીનો પરિષહ સમતાભાવે સહન કરી પાણી વાપર્યું નહીં. વેલીએ આવ્યાં સો ફૂલઃ જયવંતા જૈન શાસનમાં સમુન્લલ કીર્તિ પ્રસરાવનાર અજરામર સંઘના અઢીસો વર્ષના ઇતિહાસમાં સોમાં વર્ષમાં પ્રવેશેલા ચારિત્રાત્માઓમાં સૌ પ્રથમ પૂ.શ્રી વેલબાઈ સ્વામી હતાં. રાપર સંઘને આંગણે વીશ વીશ વર્ષથી બિરાજિત પૂ.શ્રી વેલબાઈ મ.સ.ની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે જન્મશતાબ્દી ઊજવાઈ, ત્યારે જોગાનુજોગ તેઓ ૧૦૦ શિષ્યાઓના ગુરુણીપદે હતાં. શત વર્ષે : જ્યારે તેઓની જન્મ શતાબ્દી ઊજવાઈ ત્યારે દૂર-સુદૂરથી દરેક સંપ્રદાયોનાં સાધુ-સંતો-સતીજીઓના, સંઘોના, શ્રેષ્ઠીઓના શુભેચ્છાના સંખ્યાબંધ પત્રો આવ્યા હતા, આપને અમારાં અગણિત વંદન હો! जावज्जीवं परीस्सहा उवसग्गा य संखाय । संवुडे देहमेयाए हूति पत्रं हियासए। सबटुंहिं अमुच्छिए आउ कालस्स पारए। तिइकखं परमंनच्चा विमोहनयरं हियं ।। આચારાંગ. આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. શ્રદ્ધા હોય ત્યાં ધર્મ અને ધર્મ હોય ત્યાં સમતા, આમ શ્રદ્ધાનાં બે અંગ : વીરતા અને સમર્પણતા. નિર્બળ, સ્વાર્થી, અવિવેકી, અભિમાની, દંભી, આત્મા શ્રદ્ધા કરી શકે નહીં અને આટલા દીર્ધ સંયમપર્યાયમાં ટકી શકે નહીં. સમ્યગુજ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે. ઝળહળતો તારલિયો પૂ.શ્રી તારાબાઈ મહાસતીજી પાલનપુરની ભૂમિમાં પ્રાતઃ: થયો પ્રકાશ; ચમક્યો તારો એક મહાન.. શુભ નામ : તારામતી. જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૫૬, મહા સુદ ૮. મુ. પાલનપુર. માતાપિતા : પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલ. દીક્ષાદાતા : ગુરુણીમૈયા પૂ.શ્રી સુરજબાઈ મ.સ. સંપ્રદાય : દરિયાપુરી સ્થાનકવાસી. સંયમ સ્વીકાર : વિ.સં. ૧૯૮૬. વૈશાખ વદ ૫. ધાર્મિક અભ્યાસ : દીક્ષા પ્રદાન : તેમની ૨૧ સુશિષ્યાઓનો પરિવાર. વિહાર: પાટણ, મૂળી, રાજકોટ, વઢવાણ, જોરાવરનગર, વિરમગામ, પાલનપુર, કલોલ, અમદાવાદ, લખતર, સુરેન્દ્રનગર, પ્રાંતિજ, વડોદરા, સુરત, મુંબઈ, કચ્છ, માંડવી, ધંધુકા. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy