SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પથપ્રદર્શક તેઓ મોક્ષનું દ્વાર, પ્રથમ સોપાન માનતાં. પૂ.શ્રી વીરેન્દ્રમુનિના શબ્દોમાં : “દ સુવું મહત્ત, મારાથી વધારે ખવાય નહીં, તપ થાય નહીં, ૧૯૭૦માં સળંગ ૪ ઉપવાસ કર્યા. શાહપુરથી પૂ.શ્રી સતીરત્નો નાથીબાઈ અને પૂ.શ્રી જસીબાઈ મારે માટે ખાસ લવિંગ, સાકરનો ભૂકો વહોરી દોડી આવ્યાં. તે સમયે પૂ. નાથીબાઈની ઉંમર ૧૦૨ વર્ષની હતી. દીક્ષા પર્યાય અને ઉંમરમાં મારાથી મોટાં પણ મહાસાધુને આંટી મારે એવાં જ્ઞાની.” પૂ.શ્રી નાથીબાઈના હૃદયમાં સર્વે જીવ પ્રતિ કા હતી. હિતબુદ્ધિ હતી. નેત્રમાંથી સદાય અમી ઝર્યા કરતું. તેમના હાથપગ સદાય સાધ્વીજીઓની સેવામાં ગતિમાન રહ્યા. સેવાધર્મ : પરમગહનો યોગિનામપ્યગમ્યમ્ | નવ વર્ષ સુધી માંદા રહેલાં પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની અખંડ સેવા કરી. તેમને પડેલા ઘારામાં દવામાં બોળેલી દીવેટો મૂકી. એક નર્સનું અભુત સેવાકાર્ય કરી તેમને શાતા પમાડતાં. પૂ.શ્રી વીજકોરબાઈ મ.સ.ના ગૂમડાં આદિ દર્દોમાં તેમનો જ હાથ તેમને શાતાકારી લાગતો. પોતાનાં ગુરુણીમૈયાના સારંગપુર મુકામે સ્થિરવાસ દરમિયાન તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી તેમની તેમણે એકધારી સેવા કરી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ને કેન્સરનું જીવલેણ દર્દ થતાં તેમના શરીરમાંથી બદબો નીકળતી. તો પણ કોઈપણ જાતની સૂગ વગર તેમની સેવા કરી. પૂ.શ્રી શકરીબાઈ મ.સ.ને હાડકાનું કેન્સર થતાં તે આખા શરીરમાં ફેલાતાં ખૂબ વેદના અનુભવતા. તેમની રાતદિવસ ખડેપગે સેવા કરી તેમને સ્વાધ્યાય આદિ ધર્મમાં રત રાખતાં. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. પોતે પણ શારીરિક નબળાઈથી નંખાઈ ગયા હતાં છતાં સેવાના તો એ ભેખધારી રહ્યાં. પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ને ગામ નાનું હોવાને કારણે તેને માથે બોજો ન પડે તે માટે થઈને તેમને સંથારો કરાવ્યો' પણ બહાર પાડ્યો ન હતો. Tયા વીરા મહાવીરં સાધનાના આ મહામાર્ગે વીર પુરુષો જ ચાલી શકે છે, એટલે વીરતાની પ્રથમ આવશ્યકતા છે. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. તેમના પૂ. પિતાશ્રી જેવાં જ વીર અને ધીર હતાં. તેઓ હૃદયથી અત્યંત કોમળ પણ સ્વભાવથી વીર હતાં. તેમણે અન્યમતિઓ દ્વારા થયેલા ઉપસર્ગો સમતાથી સહ્યા. ગામમાં આવેલા ધાડપાડુઓથી સૌ ભાગ્યાં, પણ તેઓ ન ભાગ્યાં. નિય માં સેવII દુત્તા સર્વ ભયોને જીતનાર ભગવંત અરિહંતના ઉપાસકો છે. જાણે કે ભગવાનનો અતિશય ત્યાં પણ પહોચે છે. ધાડપાડુઓ કાંઈ પણ લૂંટ્યા વગર ભાગી ગયા. સારંગપુરના ઉપાશ્રયમાં વેશધારી ગુંડાઓને ભગાડ્યા હતા. અમદાવાદના હુલ્લડ દરમિયાન ૧૩મી તારીખે ૧૩ સાધ્વીજીઓને જીવતાં જલાવી નાખીશું–ની જાસાચિઠ્ઠી આવતાં તેઓ નીડરતાથી પોતે બારણાં પાસે સૂઈ રહેવાનું પસંદ કર્યું. પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ મ.સ. (લેવા પાટીદાર)ની દીક્ષા વખતે આવતી ધમકીઓ અને વિદનોને કુશળતાથી પાર પાડી દીક્ષા આપી. શાસ્ત્રીય જ્ઞાન : દીક્ષા બાદ ‘ઉ.સૂત્ર', ‘દશ વૈકાલિક', “નંદી સૂત્ર', “દશાશ્રુત સ્કંધ', “અનુત્તરોવવાઈ', અને “સુખવિપાક સૂત્ર’ કંઠસ્થ કર્યા. અમદાવાદમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રને મળ્યાં, રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં મળ્યાં. તેઓની સાથે શાસ્ત્રીયજ્ઞાનની ચર્ચા કરી. પૂ. ગાંધીજીના હાથે બાવટાનો રોટલો અને તાંદલજાની ભાજી વહોરી હતી. “સુત્તા મુળ સયા, મુળે સયા નાના” “જ્યાં અજ્ઞાની જનો સૂતા છે ત્યાં જ્ઞાની જનો સદા જાગૃત છે.” - શ્રી આચારાંગ. એક નવું દર્શન : સં. ૨૦૧૮માં તેમના ચાતુર્માસ દરમિયાન તેમ જ શાહપુર ઉપાશ્રયમાં તેમણે સ્થિરવાસમાં રહીને યુવાનોને આગળ વધારવા તેમ જ સંઘનું ગૌરવ વધે, સંઘમાં પ્રેમ, પ્રગતિ અને પ્રોત્સાહન વધે તેવું માર્ગદર્શન આપતાં રહ્યાં. પોતાના સ્થિરવાસ માટે સંઘે પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ.સ.ની સંમતિ મેળવ્યા પછી જ તેમણે સ્થિરવાસ સ્વીકાર્યો. તેમનો સંયમપર્યાય ૭૪ વર્ષનો હતો. તેમણે જૈન સિદ્ધાંતના સનાતન જ્ઞાનરૂપી ગંગાના પવિત્ર જળવડે અનેક આત્માઓને સંતૃપ્ત કર્યા. જૈન શાસનની શાન અને ગૌરવ વધારવામાં તેઓ સતત ઉદ્યમશીલ રહ્યાં. જૈન શાસનની જ્યોતને જલતી રાખનાર જૈન સમાજના તેઓ એક વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીક્ષાવૃદ્ધ તીર્થ સમાન શોભતાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! [ચાતુર્માસ-વિહાર યાદી. અમદાવાદ, પ્રાંતિજ, અમદાવાદ, લખતર, અમદાવાદ, કલોલ, વીરમગામ, સારંગપુર, પ્રાંતીજ, સારંગપુર, પ્રાંતિજ, સારંગપુર, કડી, પ્રાંતિજ, પીજ, કલોલ, ધ્રાંગધ્રા, સારંગપુર, પ્રાંતીજ, ભાદરણ, કલોલ, અમદાવાદ, વીરમગામ, લખતર, અમદાવાદ, પ્રાંતીજ, અમદાવાદ પછી સ્થિરવાસ.] अणन्न-परम-णाणी नो पमाए कयाइ वि। आयगुप्ते धीरे आया-मायाए जावए ।। મોક્ષધ્યેયી જ્ઞાનીપુરુષ કદી પણ પ્રમાદ ન કરે. આત્મ ગુપ્ત ધીર બની દેહનો મોક્ષના સાધનારૂપ માની નિર્વાહ કરે. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy