SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪. આ સાંભળી તે વણિક ગભરાયો અને બાજુના ગામમાં જ્યાં પૂ. શ્રી ડુંગરશીજી મ.સા. વિચરતા હતા. તેમને કહી આવ્યો. પૂ. શ્રી તાત્કાલિક પૂ. મહાસતીજી હતાં ત્યાં પહોંચી ગયા અને પૂ. મહાસતીજીઓને બીજે ચાલ્યા જવાનું કહી દીધું. આ સમાચાર મળતાં તે ગરાશિયો વણિક ઉપર ખૂબ ગુસ્સે થયો, પણ પછી દૂધને ઊભરો આવે અને પછી શમવા માંડે તેમ તે ગરાશિયાનો ગુસ્સો અને સાથે તેનું વિકારવિષ ઊતરી ગયું ત્યારે પશ્ચાતાપ થયો અને ત્રણ લોકના નાથ પાસે માફી માંગી. પરણેતર સ્ત્રી સિવાય કોઈની પણ સામે નજર ન કરવાની પ્રતિજ્ઞા કરી. - સમર્પણતા: બાળ . માનકુંવરબાઈ મ.સ.ની જ્ઞાનદર્શન-ચારિત્ર અને તપની સમ્યગુ આરાધનાની સુવાસ ચારે તરફ ફેલાતી રહી. આમ આ સંયમસાધના કરવાની સાથે અનેક આત્માઓને પણ કલ્યાણ સધાવી પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. જ્યારે ઉપર્યુક્ત બનાવ બન્યો ત્યારે પૂ.શ્રી ડુંગરશી મ.સાહેબે પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ને તેમનાં રૂપ-લાવણ્ય ઉપર કોઈ મોહાંધ ન થાય તે માટે તેમને કોલસા વાટી ચોપડવાની સલાહ આપી હતી અને પૂ.શ્રીની હિતસલાહને પૂ. મહાસતીજીએ પોતાના આત્મલાભરૂપ ગણી નમ્રતાપૂર્વક શિરસાવંધ કરી હતી. બા.બ્ર. પૂ. શ્રી ૮૦ વર્ષનો સુદીર્ધ સંયમપર્યાય પાળી ૯૪ વર્ષની ઉંમરે આલોચી, નિંદી, નિઃશલ્ય થઈને સાત પ્રહરનો સંથારો કરી અંતિમ મહાપ્રયાણે સંચર્યાં હતાં. આપને અમારાં અગણિત વંદન હો! णारई सहए वीरे, वीरे नो सहए रई। जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रजई ।। એવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈ પણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ જ શોક અને હર્ષનું કારણ છે. શ્રી આચારાંગ સૂત્ર તો જ આટલો દીર્ધ સંયમપર્યાય, શુદ્ધ, વિશુદ્ધ, રીતે પાળી શકાયો હોય જે બહુ કઠિન માર્ગ છે. અનાસક્ત સાધક પૂ. શ્રી હિરુબાઈ મહાસતીજી શુભનામ : પૂ.શ્રી હીરબાઈ મ.સ. કમળશીભાઈ બદાણી સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા. દિક્ષા સ્થળ : દીવનગર. પથપ્રદર્શક દીક્ષા: વિ.સં. ૧૮૧૫ના કારતક વદ દશમ-એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પુત્ર : પૂ. શ્રી ડુંગરશી સ્વામી; પુત્રી : પૂ. શ્રી વેલબાઈ મ.સ.; વેલબાઈના સુપુત્ર; પૂ. શ્રી હીરાચંદભાઈ મ.સા. તથા વેલબાઈનાં સુપુત્રી : પૂ. શ્રી માનકુંવરબાઈ. કાળધર્મ સમયે : (સંસારી પુત્ર) પૂ. શ્રી ડુંગરશી મ. સાહેબે પૂ. શ્રી ધીરુબાઈ મ.સને છેલ્લે આલોચના અને અનશનવ્રત ગ્રહણ કરાવ્યું. ૫૮ દિવસપર્વતનો પૂ.શ્રીએ દીર્ધ સંથારો કર્યો. ત્યાગ એ જ સાચો ધર્મ. ત્યાગીઓ એ જ સાચા ધર્મગુરુ. દિવ્ય રાહે : જેમના અંતરના ઊંડાણમાં ડોકિયું કરતાં ક્યાંય નાનો શો ડાઘ હાથ ન લાગે તેવી જ તેમની શાંત અને સૌમ્ય મુખાકૃતિ તેવી જ તેમની દિવ્ય આભા! પવિત્ર પરમાણુથી વાસિત થયેલી આભા જેમાં ભલભલા ખેંચાઈ જાય તેવી. પૂ.શ્રી રત્નચંદ્રજી મ.સા.ના વિ. સં. ૧૮૧૪ આસપાસ ચાતુર્માસ નિમિત્તે દીવનગરમાં પગલાં થયાં અને પૂ. શ્રીના પવિત્ર આભામંડળનો અને તેમની પ્રતિભાનો પ્રકાશ ચોદિશ ફેલાતાં તેનું એક દિવ્યકરણ પૂ.શ્રી ડુંગરશી મ.સા.ને સ્પર્શી ગયું. તેમને મોહનિંદ્રામાંથી જાગૃત કરતું ગયું. સાથે સાથે પૂ. શ્રી સ્વામીનાં માતા, બહેન અને તેમના બે ભાણેજને પણ જગાડતું ગયું અને વિ.સં. ૧૮૧૫ના કારતક સુદ દશમના માંગલિક દિવસે તે પાંચેય ભવ્યાત્માઓએ પ્રવ્રયાને પંથે પ્રયાણ આદર્યું. તે સમયે માતા શ્રી હીરબાઈની ઉંમર ૪૫ વર્ષની હતી. પુત્રના સંયમમાં બાધક થવાને બદલે તેમાં સહાયક થઈ સાધક થવા સંયમપંથે માતા હીરબાઈ ચાલી નીકળ્યાં. ભેદવિજ્ઞાન : અપૂર્વ શાંતિ, સમતા, ક્ષમા અને સહનશીલતાની જ્યોત તેમનામાં પ્રગટવા લાગી. તેના જ પ્રકાશપુંજના માર્ગે તેઓ પ્રવ્રજ્યાના પંથે પગલાં ભરતાં રહ્યાં અને આત્માને ઉજ્વલ પરમ પંથ તરફ દોરતાં રહ્યાં. જ્ઞાનમાર્ગ કરતાં મોહનીય કર્મના ક્ષયોપશમ તરફ તેમણે વધુ લક્ષ આપવા માંડ્યું. દેહ અને આત્માના ભેદવિજ્ઞાનને સ્વીકારતાં દેહાસક્તિના તેમના ભાવો ઓસરવા માંડ્યા. યુવાનીનો ઉંબરો ઓળંગી હવે તેમનું વૃદ્ધ શરીર પણ ધ્યાનમગ્ન દશામાં રહી મેરુ સમાન અડોલ અવસ્થાને પ્રાપ્ત કરતું રહ્યું. ખરેખર એવું જ બન્યું! એક મધ્યરાત્રિએ જ્યારે જગત આખું ભરનિંદ્રાનું સુખ માણી રહ્યું હતું ત્યારે પૂ. શ્રી હીરાબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy