SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ પ્રતિભાઓ સ્વામી ગોંડલના ઉપાશ્રયની ઓસરીમાં આસન લગાવી ધ્યાનસ્થ દશામાં બેઠાં હતાં. ત્યાં એક શિયાળ આવ્યું. પોતાના તીક્ષ્ણ નખો વડે પૂ.શ્રીના દેહની ચામડી ઉતરડતું ગયું. દાંતથી તે શિયાળ માંસ કાપતું ગયું અને ખાતું ગયું. પૂ. શ્રી આવેલ ઉપસર્ગને સમતાભાવે સહી ભવોનાં સંચિત કર્મોને ખપાવતાં ગયાં. ત્રણ કલાકે સમાધિ પૂરી થતાં અન્ય સાધ્વીજીઓને પોતે લોહીભીના કપડાં બદલી આપવાની ભલામણ કરી ત્યારે જ તે દુ:ખદ પ્રસંગની સાધ્વી સમુદાયને ખબર પડી હતી. ન બૂમો, કે ન ચીસ કે ન વેદનાનો એક પણ ઊંહકારો. | અંતિમ સમાધિ પૂ.શ્રીના અનશનના ભાવો જાણી પૂ.શ્રી ડુંગરશીજી સ્વામીને જાણ કરવામાં આવી. તેઓશ્રી ઉગ્ર વિહાર કરી આવી પહોંચ્યા અને પૂ.શ્રી હીરબાઈને વિસ્તારપૂર્વક મહાવ્રતોના સૂમભાવોની આલોચના કરાવી. રોજ સ્વાધ્યાય સંભળાવતા રહ્યા અને ૧૮ દિવસનો દીર્ધ સંથારો કરી પૂ.શ્રી હિરુબાઈનો આત્મા નશ્વરદેહનો ત્યાગ કરી પરલોકે પ્રયાણ કરી ગયો. આપને અમારાં અગણિત વંદન હો! असक्तवृद्धिः सर्वत्र जितात्मा विगत स्पृहः । नैष्कर्म्यसिद्धिं परमा सन्यासेनाऽधिगच्छतिः ।। આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસ દ્વારા નિષ્કમ બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુક્ત થાય છે. “समयं गोयम् मा पमायए હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો; મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો; પળ એ અમૂલ્ય ચીજ છે; ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ ખોવી, એ એક ભવ હારી જવા જેવું છે.” ભગવાન મહાવીર 3. સૂત્ર. જરા ઝાંકિએ : માનવજીવનમાં ચઢ ઊતર; તેજછાયા; લઘુ-ગુરુ એમ ઉભય દન્દ્રચક્ર ચાલતું જ રહે છે તેમ તેના, ધર્મપથ ઉપર પણ ઐતિહાસિક મૂલ્યોનાં દ્વાસ અને ઉત્થાન અને પતન વગેરે ચક્રો ગતિમાન થાય છે. તેમાં એક વખત એવો પણ આવ્યો કે હિંસા, જડતા, અંધશ્રદ્ધા, વહેમો વગેરેના વિપત્તિઓનાં વાદળોથી જૈન ધર્મ ઘેરાઈ ગયો હતો. જ્ઞાનક્રિયામાં અસમતુલા પેદા થઈ. ધર્મમાં ચારિત્ર્યમા શિથિલતા પ્રવેશી. ફાંટા પડ્યા હતા. આર્યદેશની અચળ ભૂમિ પર પરદેશી રાજાઓનાં આક્રમણો થયાં ત્યારે કાળના પ્રવાહોમાં પરિવર્તનો સ્વાભાવિક રીતે જ આવે અને તેમાંથી બહાર નીકળી આ પરિવર્તનોને ઉત્કર્ષાભિમુખ કરવા હંમેશ મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થાય છે. . તેવી રીતે વિ.સં. ૫૧૦માં દેવર્કિંગણિ ક્ષમાક્ષમણ વગેરે આઠ આચાયોએ આ અપકર્ષાભિમુખ ગતિને અટકાવી. વળી દુકાળ પડ્યો અને પરિસ્થિતિ બદલાતી જતી હતી. ત્યાં સંવત ૧૫૩૧માં ધર્મને નામે થતી હિંસા, આચાર-શિથિલતાને અટકાવવા લોકાશાહે સૂત્રોનો આધાર લઈ આચારશુદ્ધિનો માર્ગ પ્રકાશ્યો. વળી ઉત્કર્ષાભિમુખમાંથી પતનની શરૂઆત થઈ. ત્યાં અઢારમી સદીની શરૂઆતમાં લવજીઋષિ, ધર્મસિંહમુનિ અને ધર્મદાસજી મહારાજ સા. આ પરિસ્થિતિનો પુનરુદ્ધાર કરવા પ્રગટ થયા. તેમનાથી ત્રણ સ્થાનકવાસીના સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. તેમાંથી જુદો પડી તેરાપંથીનો પંથ સ્થપાયો. આવા સમયે ફરી આત્મિક અભ્યદય કરવા ધરતી ઉપર એક મહાપુરુષનું અવતરણ થયું. વિપત્તિઓનાં વાદળ ઘેરાય પણ છે અને વિખરાય પણ છે' પણ તે માટે હંમેશાં સમય અને મહાપુરુષોના આગમનની રાહ જોવી પડે છે. આ બધું છતાં પણ, વિવિધ પ્રકારના આક્રમણો છતાં પણ આર્યદેશની ભૂમિ ઉપર રહેતા આર્યોના હૃદયમાં આંતરિક ધર્મનાં વવાયેલાં બીજ બદલાયાં નથી. તેથી જ કંકુપગલે પૂ.શ્રી કંકુબાઈ મહાસતીજી શુભ નામ : કંકુબહેન માતાપિતા : ખાનદાન કુટુંબ. પતિદેવનું શુભ નામ : માણેકચંદ શાહ (જામનગર જિલ્લો) પડાણા ગામ. જ્ઞાતિ : વિશા ઓસવાલ. સંપ્રદાય : અજરામર સંપ્રદાય. (પૂ. અજરામરજી સ્વામીનાં માતુશ્રી) દીક્ષા : પૂ.શ્રી હીરાચંદજી સ્વામી. ગુણી : પૂ.શ્રી જેઠીબાઈ સ્વામી. વિ.સં. ૧૮૧૯, મહા સુદ-૫. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy