SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ પ્રતિભાઓ દીક્ષા પર્યાયમાં પણ કોઈ ડાઘ લાગવા ન દેતી. તપ અને વૈયાવચ્ચમાં પાછી ન પડતી. . પૂ.શ્રી સતીજીઓ છેલ્લે જીવનમાં આવતાં અશાતાવેદનીય કર્મોને શાતાપૂર્વક વેદી સંથારા સાથે; જપ, જાપ અને સ્વાધ્યાય સાથે સમાધિપૂર્વક મૃત્યુને વરી મૃત્યુને મંગલકારી મહોત્સવ બનાવતાં. આજે પણ સ્થાનકવાસી જૈન સમાજમાં ઉત્કૃષ્ટ ચારિત્ર્ય પાળી મહાજ્ઞાની, મહાધ્યાની, ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન પુ. શ્રી મહાસતીજીઓ વર્તમાનમાં વિચરી રહ્યાં છે. છેલ્લે અજવાળાં શોધવા નીકળેલી હું, મારામાં ક્યારે તેનું એક કિરણ પણ પ્રવેશશે! आ ना भद्राः कतवा यन्तु विश्वतः॥ भद्राः सतवः विश्वतः નઃ ગાયનું) શુભ અને સુંદર વિચારો દરેક દિશાએથી અમને પ્રાપ્ત થાઓ. - પ્રાર્થના : સૂરજ આગળ આમતેમ ફંગોળાતા નાના શા રજકરણ જેવી હું મારાથી જે કાંઈ ભૂલો થઈ ગઈ હોય ક્ષતિઓ થઈ ગઈ હોય તો મને આપ સર્વે સાધુ-સંતો-સતી ગણો, અને વાચકવર્ગ ઉદાર દિલે માફ કરશો. તેવી આપને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. પ્રવીણાબહેન રસિકભાઈ ગાંધી એમ.એ., બી.એડ. ભૂતપૂર્વ વ્યાખ્યાતા, ૮, સાકેત બંગલોઝ “શૈલી' તક્ષશીલા ટાવરની બાજુમાં, વસ્ત્રાપુર, અમદાવાદ ૧૫. દીક્ષા: વિ. સં. ૧૮૧૫ના કાર્તિક કૃષ્ણા દશમી. એક સાથે પાંચ ભવ્યાત્માઓએ દીક્ષા લીધી. પૂ. શ્રી ડુંગરશીજી સ્વામી. (તેમની માતા) પૂ. શ્રી હિરુબાઈ મ.સ. ઉં.વ. ૪૫, પૂ. શ્રી વેલબાઈ સ્વામી (પૂ. શ્રી ડુંગરશીજી સ્વામીનાં બહેન), વેલબાઈના સુપુત્ર (પૂ. શ્રીના ભાણેજ) પૂ. શ્રી હીરાચંદભાઈ તથા વેલબાઈનાં સુપુત્રી માનકુંવરબાઈ. પાંચ આત્માઓ પ્રવ્રજ્યાના પંથે : જેમનું લલાટ તેજસ્વી, સૌમ્ય મુખમુદ્રા, સાધનાની મૂર્તિ સમ ખાતે નાન વથત '' એવા અને ચમકતા સૂર્ય જેવી જેમની ઓજસ્વી આકૃતિ તેવા પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. દીવમાં ચાતુર્માસ કરવા પધાર્યા. એક તરફ સાગરના ઘેરા ગર્જન હતા તો બીજી બાજુ હૃદયમાં ઘૂઘવતા સંસારસાગરને તજવાનાં મનોમંથન શરૂ થયાં હતાં. જ્યારે સંસાર-નિષ્ક્રમણ કરવાનો દઢ સંકલ્પ તેમણે કર્યો ત્યારે તેમની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ તેમની માતા હીરબાઈ, બહેન વેલબાઈ, બહેનનો પુત્ર હીરાચંદભાઈ તથા વેલબાઈની પુત્રી માનકુંવરબાઈએ પણ તેમની સાથે જ દીક્ષા લેવાના ભાવ પ્રગટ કર્યા. વિ. સં. ૧૮૧પના કારતક વદ દશમના માંગલિક દિને પૂ. શ્રી ગુરુદેવે સ્વમુખે તે પાંચેય ભવ્યાત્માઓને માંગલિક, સામાયિક સૂત્ર અને દીક્ષામંત્ર સંભળાવ્યાં. આધપ્રવર્તિની : ગોંડલ સંપ્રદાયને જેવી રીતે ડુંગરશીજી મ.સાહેબે સ્થાપિત કરી અને તેનું જ્ઞાનવૈરાગ્યામૃતથી નિર્માણ કર્યું તેવી રીતે ગોંડલ સંપ્રદાયની સાધ્વીઓમાં આદ્યપ્રવર્તિની થયાનું સન્માન માનકુંવરબાઈ મ.સ.ને પ્રાપ્ત થયું. સાધ્વીસંઘની સ્થાપના એમનાથી થઈ હતી. બાળપણના તેમનાં સંસ્કારબીજોને પૂ. શ્રી રત્નસિંહજી મ.સાહેબે તેમના ધર્મજળથી પોપ્યાં હતાં. પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ. પ્રતિભાશાળી હતાં. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હતી. પ્રકૃતિ ભદ્ર હતી. સાધુજીવનના આચારવિચારોનું ચુસ્તપણે પાલન કરતાં. સુમધુર કંઠે વિવિધ વિષયો ન્યાયપૂર્વક સમજાવવાની તેમની શૈલી હતી. રોચક, પ્રેરક અને બોધક તેમની વ્યાખ્યાનવાણી હતી. અનેક ભવ્યાત્માઓ વ્રત, પ્રત્યાખ્યાન, તપ, ત્યાગ તથા ધ્યાનના માર્ગે ચડી જીવનકલ્યાણ સાધી શક્યા હતા. સંઘર્ષ : જીવન એટલે જ સંઘર્ષ. તેમાં સ્ત્રીઓ ઉપર ઘણાં કારણોસર સંઘર્ષો આવવાની સંભાવના ખરી. એક વખત એક વિષયાંધ ગરાશિયો પૂ. શ્રીને જોઈ મોહાંધ થયો હતો અને પૂ. શ્રી આદિ જે ઘરમાં ઊતર્યા હતાં ત્યાં તે ગરાશિયો તે ઘરના માલિક વણિકને પોતે રાત્રિએ ત્યાં આવશે તેમ કહી ગયો હતો. આત્માનું ઓજસ બા.બ્ર. પૂ.શ્રી માનકુંવરબાઈ મહાસતીજી जं सम्मं ति पासइ तं माणं ति पासइ। ‘જયાં સ ત્ત્વ છે ત્યાં જ મુનિપણું છે' શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈન દીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ સિદ્ધિ મનાય છે. શુભ નામ : પૂ. શ્રી માનકુંવરબાઈ મહાસતીજી. માતાપિતા : શ્રી હીરબાઈ કમળશીભાઈ. સંપ્રદાય : ગોંડલ સંપ્રદાય. દીક્ષાદાતા : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. દીક્ષાસ્થળ : દીવનગર..૮૦ વર્ષનો સંયમપર્યાય અને ૯૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy