SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ પ્રતિભાઓ તેઓ કૃષ્ણપ્રેમી હતા, નાત જાતના કોઈ ભેદ ન્હોતા. તેઓનું એક પદ જોઈએ, હમકો તુમ એક, અનેક તુ, ઉનહી કે બિબેક બનાય બહો ઇત આશ તિહારિ, વિહારિ ઉર્ત સરસાયકે નેહ સદા નિબરો કરની હૈ “મુબારક” સોઈ કરો, અનુરાગ લતા જીન બોય દહો ઘનશ્યામ સુખી રહો આનંદ સો તુમ નીકે રહો નહીકે રહો. ઝુલણ ફકીર કબીર સાહેબના પુત્ર “કમાલ' જ્યારે મુલ્ક ચેતાવવા નીકળેલ ત્યારે અમદાવાદ આવ્યા અને ૬૦ વ્યક્તિને ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા તેમાં દરિયાખાન પઠાણનું નામ જાણીતું છે, આ દરિયાખાન પઠાણના શિષ્ય ‘ઝુલન ફકીર' ઝુલન જાતના મુસ્લિમ જુલૈયા વણકર હતા. ઝુલનના હૃદયમાં ફકીરી ઇશ્ક લાગ્યો અને સતનામના ઇશ્કમાં દરવેશ થયા. ત્યારબાદ તેના જીવનનો મોટો ભાગ તિર્થાટનમાં વ્યતીત કર્યો. તેણે ઘણા ભક્તિ કાવ્યો રચ્યાં છે, તેઓએ આદ્યગુરૂ કબીર સાહેબના ચાર યુગના ચાર અવતાર વિષે એક ઝૂલણા કહેલ તે જોઈએ – સતયુગ આપ સુકૃત મુનિ ભયે, સત્ય આધાર કિન્હા બિચારે, ત્રેતા મુનિન્દ્ર નામ જ્યાં, મહાયોગ જૂગત સે રહે ત્યારે દ્વાપર કરૂણામય દયાળા, સંત બડે પરહિતકારે બેદિ ઘોડી કબીર ધાયા કલિયુગને “ઝુલન' કે પિયુ પિયારે. ફકીરૂદિન વિક્રમ સંવત ૧૬૦૦માં ફકીરૂદ્દીન સુરતના નવાબના સિપેહસાલાર હતા. તે સમયે પ્રભાવશાળી સંત ખાખ સાહેબને કલ કરવાનો નવાબનો હુકમ ફકીરૂદ્દીનને મળ્યો, પરંતુ તેઓ આ સંતને કશું કરી શક્યા નહીં, જેથી નવાબનો ગુસ્સો તેના પર ઊતર્યો, જેથી તેઓ ફકીર બની નાસી છૂટ્યા, તે પછીથી તેઓને ખરેખરો વૈરાગ્યનો રંગ લાગતાં તેઓ ખરા સંત બન્યા અને અનેક બોધદાયક ભજનો રચ્યાં તથા કલિયુગ અંગેના પદો પણ રચેલ જેમાંના એકાદ જોઈએ. “મુખ નામ પીયુકો ભૂલ ગયો, પામર ક્યું ગરવ મેં ફુલતા હૈ, જિને જઠરાગ્નિસે બહાર કિયો, તું વોહિ સમરથ કો ભૂલતા હૈ? સુંદર નરતન ખાક મિલે, તું ઇસ્કે અંજામ ક્યોં ઝૂલતા હૈ, દરવેશ “ફકીરૂદ્દીન’ સાચ કહે, તેરી અખિયાં કયાં નહિ ખુલતા હૈ? કલિયુગ વિશે કહે છે કે, “યહ સુપના દેખ તું કહી ભૂલે, યારો આખિર પછતાવના હૈ, બિરથા બહરિ યુગ બીત ગયે, યહ કલિમેં નામ કમાવના હૈ, સોદા કરને તોહે હાટ ભેજ્યો, પામર ક્યો મૂલ ગમાવતા હૈ, દરવેશ “ફકીરૂદ્દીન' બહે નામ ધારા, પાજી ક્યાં વિષયમેં નહાવતા હૈ? કાદરશાહ મહિકાંઠા-ગુજરાતમાં મહિ નદીનો વિસ્તાર તથા તેની પહાડી વિસ્તારમાં “કાદર બુકાની' લૂંટારાનું નામ સાંભળી જનતા કંપી ઊઠતી. તેવા સમયમાં આ પહાડી વિસ્તારમાં ફરતા સદ્ગુરૂ રવિસાહેબને આ ક્રૂર લુંટારાનો ભેટો થયો, રવિ સાહેબે ઉપદેશ આપી સત્યમાર્ગે વાળ્યો અને આ કાદર લુંટારાએ ફકીરી ધારણ કરી “કાદરશાહ ફકીર” થયા, પ્રભુભજનમાં લીન થઈ પાછળની જીંદગી પ્રભુ ભક્તિમાં વિતાવી ઘણાં બોધદાયક ભજનોની રચના કરી સમાજને બોધ આપ્યો, જેની એકાદ રચના જોઈએ. “ખલકમેં જાઠા ખેલ મચાયા, યાર તું કસબીધ ભરમાયા દયા ધર્મ કો ઠોર ન દિસે, પાપકા બોજ છવાયા સાધુ સંતકો મારન ધાવે, અપના તન પોખાયા....૧ સગે ભાઈ સો વેર કિયોરી, સાલા દેખ મુસકાના પિદર બિરાદર મંગકે ખાવે, સસરેક સનમાના.....૨ જીસકા લીયા ઉસકા નહિ દેવે, માંગન મારન ધાયા, ધુત ધુન માયા જોડી મૂરખ મન હરખાયા.....૩ આય અચાનક જમકી ફાંસી, રોવત છાંડ ચલાયા, કાદરશાહ' કછુ સંગ ન લીન્હા, ચલ હી હાથ પસારા....૪ કાજી નબીમિંચા આશરે બસ્સો વર્ષ પહેલાં ભરૂચના ખાનદાન કાજી સાહેબના કુટુંબમાં તેનો જન્મ થયો, આ કાજી સાહેબને અભરામબાવાએ ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા. સદગુરુના સમાગમથી અને ઉપદેશથી નબીમિયા પ્રભુભક્તિમાં લીન થયા અને મસ્ત ભજનિક બન્યા. તેઓની એક રચના જોઈએ, ઘેલારામ ગોવિંદ ગુણ ગાવો, મેલાં મન તમે ઉજવળ થાવો, ફરી અવસર નહિ મળે આવો રે...........ટેક લક્ષ ચોરાસી તમે ફરો ભટકતા, આવ્યો ઉધરવાનો આરો. ગફલતમાં શાને ભમો છો, તારા એળે ગયા અવતારો....ઘેલા પામર હરિનું નામ ન જાણ્યું તમે ક્યારે થાશો ભવપારો, ભૂલવણીમાં ફરો ભટકતા, તમે ખોઈ નાખ્યા જુગ ચારો.....ઘેલા સાચા સદગુરૂ મુરસદ ભેટ્યા, જેણે માર્ગ સુજાવ્યો સારો, આંખો ખોલીને અવિનાશી નિરખ્યા, મટી ગઈ નૈનની છારો....ઘેલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy