SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૪૦ બાબા કેયુમ બાબા કેમ નામના મુસ્લિમ સંત અકબર બાદશાહના સમયમાં થઈ ગયા. તેઓ યમુના નદી પાર કરાવતા નાવિક હતા. જે ઉતારૂઓને પોતાની નાવમાં બેસારી સામે પાર લઈ જતા. એક સમયે સુરતના પ્રભાવશાળી સંત માધવદાસજી દિલ્હી ગયા, યમુનાજી સામે તટ જવું હતું. કાંઠા પર ઘણા ખલાસીઓ ઊભા હતા પરંતુ દામ લીધા વિના (મફત) કોઈ નાવમાં સામે પાર લઈ જાય તેમ નહોતું. તે સમયે મૈયુમેન્ટ્સ પોતાની નાવમાં સંતને બેસારી સામે પાર ઉતાર્યા, ફરી મળવાનું વચન આપી સંત માધવદાસજીએ પ્રયાણ કર્યું. ત્યારબાદ તેના વિયોગમાં કૈયુમ ઝૂરતા રહ્યા. લાંબા સમયે ફરીને આ વંદનીય સંતનો ભેટો થયો. નાવિકે આ પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી આ સંતની સાથે પ્રયાણ કર્યું, તેનો જીવનપલ્ટો થયો અને ભક્તિનો રંગ લાગી ગયો એક સમયના ખલાસી કૈયુમ' “બાબા ઐયુમ”ના નામથી ઓળખાયા અને અનેક બોધદાયક ભજનો, કાવ્યો રચી સમાજને જ્ઞાન માર્ગે વાળવા પ્રયત્ન કર્યો જેમાંથી એકાદ બે રચના જોઈએ – | ભજન બાબા મોહે પલ બિન ચેન ન આવે.......ટેક સાંવરી સુરત બિન દેખે મેરા જીયરા બહુત તરપાવે.....૧ જલ બિન મછિયા પ્રાણ તજેરી, તુમ બિન જીયરા અકલાવે...૨ પિયુ બિન ચેન પડત નહિ સજની, બિરહિન જૈન બહાવે.......૩ કૈયુમ” પિયુ દરશકા પ્યાસી, ચરણ કમલ બલિ જાવે....૪ બાબા મલિક ભરૂચ જિલ્લાના ચાણોદ ગામમાં મુગલ ખાનદાનમાંથી ઊતરી આવેલ એક અમીર કુટુંબમાં બાબા મલિકનો જન્મ થયેલ. યુવાવસ્થામાં એક હિન્દુ સ્ત્રી સાથે તેમને પ્રેમ થયો. પ્રેમમાં અંધ થઈ રાહ ભૂલ્યા, તે અરસામાં સંત હરિદાસજી સાથે તેમનો મિલાપ થયો, આ વંદનીય સરૂએ મલિકને સન્માર્ગે ચડાવ્યા, ત્યારથી ફકિરી ધારણ કરી, પોતાનું શેષ જીવન સમાજને, રામ– રહિમ એક રૂપ છે તેવાં બોધદાયક વચનો કહેવામાં અને બોધ આપવામાં તથા પ્રભુભજનમાં વ્યતીત કર્યું. તેમનું રચેલ કોમી-એકતાના પ્રતીકસમું ભજન જોઈએ : અચરજ હુઈ હમ ટૂંઢે રહે, દેખન મજીદ મેં ગયે, મંદિરમેં કછુ ફેર ન દેખા રૂપ નહિ દેખે નયે બાંગ, નમાઝ, ધૂન કરત આરતી, પિયુકો સાદ ભયે “દાસ મલિક” દેખા એક રૂપ મુરસદ કિન્હી ગયે. મુસ્લિમ સંત “ચકરંગ” મુસ્લિમ સંત “યકરંગ’ સમાજને ઈશ્વર ભજન, ભાઈચારો તેમજ રામ-રહિમ એકતાનો ઉપદેશ આપી ગયા છે, સર્વધર્મ સમાન ગણનારા આ સંતની રચના જોઈએ :– (૧) મિતવા રે, નેકી સે બેડા પાર જો મિતવા તુમ નેકી ન કરી હૌ, બુડિ જેહો મઝધાર, નેક કરમસે ધરમ સુધરિ હૈ, જીવન કે દિન ચાર ‘યકરંગ' ભાગો ઔર હશરકી, જાસે હો નિસ્તાર. (૨) સાંવલિયા, મન ભાયા રે, સોહિની સૂરત, મોહીની મુરત, હિરદૈ બીચ સમાયારે. દેશમેં ટૂંઢા, બિદેશ મેં ટૂંઢા, અંતકો ન પાયા રે, કાહૂ મેં અહમદ, કાહૂ મેં ઇસા, કાહૂ મેં રામ કહાયા રે, સૌચ-બિચાર કહે “યકરંગ', પિયા જિન ટૂંઢા તિન પાયા રે..... સંત કાદર મુસ્લિમ “સંત કાદર' સૈયદ ઇબ્રાહીમ પિરાનીવાલના શિષ્ય હતા. તેઓએ પ્રભુભક્તિનાં કેટલાએક પદો રચેલાં છે તેમજ કલિયુગના સમય અંગે પણ લખેલ છે. તેઓશ્રીની એકાદ રચના જોઈએ. “ગુનકો ન પૂછે કોલે, ઔગુન કો બાત પૂછે કહા ભયો કલિયુગ યા બહાના હૈ, પૌથી ઔર પુરાન જ્ઞાન કાન મેં ડારી દેત ચુગલ ચબાઈ કાદર' કહત જાસો કછુ કહિ બેકી નાહિ જગતકી રીતિ દેખી ચૂપ મન માનો છે ખોલી દેખો હિયો સબ, ભાંતિનસો ભાંતિ ભાંતિ ગુન ના હિરાનો, ગુન ગ્રાહક હિરાનો હૈ શ્રી રામભક્ત વંદનીય મુસ્લિમ સંત “નુરૂદિન ઉત્તર ગુજરાતના પ્રભાવી સંત સાંઈ દીન દરવેશજીના ઘણા ખરા મુસ્લિમ શિષ્યો શ્રી કૃષ્ણ પ્રેમી નીવડેલા પરંતુ કેવળ એક “નુરૂદ્દિન' નામના શિષ્ય ભગવાન “શ્રી રામ'ના અનુરાગી થયા. તેઓને મુસ્લિમોએ ખૂબ સતાવ્યા. પરંતુ તેમની રામભક્તિ ઊતરી આવામાં એક સામાં સંતાન સન્મા ભજન મોરે. રહિમા રામ ભયે.....ટેક. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy