SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ આછી બતિયાં સુનાવૈ છિન કાંડિયો ન ભાવે છાતીસો છપાવૈ લાગે છોહ વા દયાલકી. હેરિ વ્રજ-નારી હરિ વારિ ફેરિ ડારી સબ “આલમ” બલૈયા લીજે ઐસે નંદલાલકી સંત અત્તર શાહ મુસ્લિમ સંત અત્તરશાહ ત્રિદેવની આરાધના કરી અવિચળ પદવી પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ સ્વીકારે છે. શિવ અને ખુદાની બંદગીનું કથન કરી “એકો હં બહુશ્યામની અખંડ એકતાનું ગાન કરે છે, શિવ અને ખુદામાં ક્યાં જુદાઈ છે? બન્ને એક જ છે. આવી અત્તરશાહની અલખની જંતરીમાંથી આગમના બોલ નીકળે છે : છતીસ વાજા માંહિ રાસ રચ્યો, અનભે નોબત બજાઈ રે હોજી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર મોહિ, જેણે અવિચળ પદવી પાઈ-અલખ મારી જંતરી” સંત અભરામ બાવા આજથી આશરે સાડા સાતસો વર્ષ પહેલાં પંજાબમાં ચિસ્ત ગાદીની સ્થાપના કરનાર બાબા ફરિદ સાહેબની પરંપરામાં આવનાર પીર કાયમુદિન ચિસ્તીએ એકાવન શખ્સોને જ્ઞાન આપી મહાપદે પહોંચાડ્યા હતા જેમાં અભરામ બાવા મુખ્યત્વે હતા જેઓ બસ્સો વર્ષ પહેલાં ગુજરાતમાં થઈ ગયા. તેમનું અસલ નામ ઇબ્રાહીમ હતું. તેઓએ અનેક લોકોને ઉપદેશ આપી ભજનાનંદિ બનાવીને કોમી વિખવાદમાંથી મુક્ત કરેલા. તેઓશ્રી ભરૂચ જીલ્લાના પરીએજ ગામના રહેવાસી હતા. બિલકુલ અભણ હોવા છતાં તેમણે હિન્દી, ઉર્દૂ તથા ગુજરાતીમાં વિમલવાણીની રચનાઓ કરેલ છે. જેમાંની એકાદ બે જોઈએ :– રોમ રોમ રંગ ધાયા, મારી દેહીમાં આતમરામ દરશાયાજી..... મમતા મારી માનવશ કીધું હરિસે પ્રીત લગાયાજી, ખોજત, ખોજત, ખો ગઈ, તબમેં પિયુજી કો પાયા મારી.....૧ જનમ મરણકો મેં નહિ જાનું, મેં તો આદમ અલેખ જગાયાજી, અહંકાર મેં રમે નિરંતર સબ ઘર મેરા સાંયા. મારી દેહિમાં....૨ બોલનહારો પ્રગટ બોલે કોઈ વિરલે સાદ સુનાયાજી, ગાફિલ નર કો ગમ ના પાઈ, આવાગમન ભટકાયા. મારી.....૩ પથપ્રદર્શક પીર કાયમુદિન પ્રગટ મિલિયા, પટ ખોલ દરશાયા જી, દાસ ‘અભરામ’ અનભે પદ ગાવે, પરમાનંદકો પાયા. મારી...૪ અમીરૂદ્દીન આજથી ૨૫૦ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં થઈ ગયેલ પ્રભાવી સંત અમીરૂદ્દીન જાતે કસાઈ હતા પરંતુ સાંઈ દિન દરવેશજીનાં ચરણોમાં રહી હૃદયપલ્ટો થયો, વિમલવાણી રચી અને અંતે વંદનીય સંત થયા. તેઓએ કલિયુગ અંગે કેટલીક રચનાઓ કરેલી છે. જેમાનો એક સવૈયો નીચે રજૂ કરેલ છે :– પહિલે યાર ગુરુ પીરકા થે, અબ સાંઈ કો દેખકે દૂર ભાગે, ઇશ્ક બાઝાર સે દૂર હટે, અબ હવસકી યાસમેં નૈન જાગે, મયખાના દેખ મુખ મોડતે થે, અબ ભર ભર શરાબે જામ માગે, સાંઈ અમીરૂ’ સારા બિચાર કહ્યા, તેરે દિલમેં કલિ કા રંગ લાગે. | (ઝૂલણા) કલિકાળ કશળ નહિ કોઈ કિસીકા, જોરૂ મુખ મોડકે આન ભાગે; ફરજંદ પિદરકા નાહિ હોવે, બુઝરગ તન દેખકે સંગ ત્યાગે, જીન દેખો તિત સ્વાર્થ બડો, પરમારથ કે પંથસે રહે આગે “સાંઈ અમીરૂ' સૈયા ઉબાર બીજે, તેરે દરપે યહી દરવેશ માગે. બાબા ઉમર આજથી બસ્સો વર્ષ પહેલાં ગુજરાતમાં બાબા ઉમર થઈ ગયા. પીર કાયમુદિન ચિસ્તીના મુરીદ સંત અભરામ બાવાએ એમને ઉપદેશ આપી શિષ્ય બનાવ્યા. બાવા ઉમર મસ્ત ભજનિક પુરૂષ હતા. તેઓએ સમાજને બોધ આપતાં અનેક ભજનોની રચના કરેલ જેમાંની એક બે જોઈએ :– સદગુરૂ શબ્દ સુનાયો આજ મૈને, દેહિ મેં દરશન પાયો જી....ટેક જુગ જુગનકા ઘોર અંધેરા, મેરમ પલમેં મીટાયો; જાપ અજંપા હરદમ રાચે હેતે ગોવિંદ ગાયો....આજ....૧ નામ સુધારસ નિર્મળ ગંગા, નૈના ભરભર જાયો, મિલન ચહે તો મિલીયો પ્યારે, મેં યહાં બેર ન આયો...આજ...૨ હમ વાસ્ત થે અગમ નગર કે, બંદગી કારન આયો, અબ હમ અપને વતન ચલેંગે, તુમ હી રહો સુખદાયો....આજ....૩ સજ્જન સદા તુમ સહોદર મેરા, હો ગઈ તુમસે સગાયો, આન મિલાવા યાર કઠીન હૈ, બિરહા આન સતાયો....આજ....૪ મુજ મેં અવગુણ બહોત ભરે હૈ, બાલમ રહો બિસરાયો, “દાસ ઉમર' જૂહાર કરત હૈ, અબ તો દીજે બિદાયો....આજ....૫ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy