SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૪૫ કોમી એકતાના પ્રતીકસમા : શ્રી રામ-કૃષ્ણ ભક્તો વંદનીય મુસ્લિમ સંતો –નોતમભાઈ કે. દવે ગુજરાત અને ભારતમાં એવા કેટલાય મુસ્લિમ સંતો થયા છે કે જેમને નાત જાતના ભેદભાવ નથી. ઈશ્વર કે અલ્લાહનો તેમને ભેદ રહ્યો નથી, તેમનું એક માત્ર ધ્યેય શ્રદ્ધાભાવથી પરમાત્માની બંદગી કરવી અને સર્વ પ્રાણીમાત્રનું કલ્યાણ કરવું. પોતે રચેલ ભક્તિગીતો, કવિતાઓ, પદો વગેરે મારફત સમાજના અજ્ઞાન લોકોને બોધ આપી માનવતાના રસ્તા ઉપર લઈ જવાનો મુખ્ય હેતુ રહેલ તેવા શ્રી રામકૃષ્ણ, હનુમાનજી વગેરેના ભક્તો અનેક મુસ્લિમ સંતો થયા છે. જેમાંના કેટલાક વંદનીય સંતોનાં બોધદાયક ભક્તિગીતો, પદો વગેરે અત્રે આપેલ છે જેનું મનન કરી આપણા જીવનમાં ઉતારી, નાતજાતના ભેદ મીટાવી માનવતાના પંથે ચાલીએ એ જ આજના યુગની પ્રબળ માંગ રહી છે. આ લેખમાળા રજૂ કરનાર જૂનાગઢની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં અગ્રસ્થાન મેળવનાર શ્રી નૌતમભાઈ કે. દવે સાહિત્યસંશોધન અને ઇતિહાસમાં ખૂબ જ રસ ધરાવે છે, જામનગર જિલ્લાના બુટાવદર ગામમાં તેમનો જન્મ થયો. નાની ઉંમરથી જ રાષ્ટ્રીય રંગે રંગાયેલા શ્રી દવે કોગ્રેસના જૂના કાર્યકર છે. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સમાં, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં, જૂનાગઢની રાઈફલ કલબમાં તેમની સેવાઓ નોંધપાત્ર છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ અને મંત્રી તરીકેની તેમની સેવા જાણીતી છે. વિવિધ અખબારોમાં પત્રકાર તરીકેની તેમની સેવાઓ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, રાજકોટ રેડિયો ઉપરથી તેમનું પ્રસારણ અને ગુજરાતના સંખ્યાબંધ સામયિકોમાં તેમના લેખોએ તેમને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. જૂનાગઢની સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ધન્યવાદ, – સંપાદક પ્રાન પિયારે પ્રથમહિ પટુકા તર્જા કિ પ્રાન “અહમદ” વા મન સદનમેં, હરિ આવે કહિ વાર. પ્રિતમ નહિ બઝારમેં વહૈ બઝાર ઉઝાર પ્રિતમ મીલે ઉજારમેં વહૈ ઉજાર બઝાર. આલમ અહમદ અહમદ નામના મુસ્લિમ સંત ઇ.સ. ૧૬૭૦ સુધી હતા. પ્રેમ એ જ ઈશ્વર’માં તેઓ માનતા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ કરતા અને દરેકને પ્રેમમય બનવાનો બોધ આપતા. તેઓશ્રીએ પ્રેમનો મહિમા દર્શાવતી ઘણી રચનાઓ કરેલ છે જેમાંના દૃષ્ટાંતરૂપ દોહાઓ જોઈએ. “પ્રેમ જવા કે ખેલમેં ‘અહમદ' ઉલટી રીત, જીતે હી કો હારિનો, હારે હી કી જીત” “અહમદ' મારગ પ્રેમકે, ભૂલિ પરે જનિ પાય, બિન મારે છાંડે નહિ, ઇન કે ઔર સુભાય. પ્રેમ પંથ દુરિગમ વિષય, ‘અહમદ' ચલે ન કોય, ટોડર યા મગ સૌ ચલે, જાકો શુદ્ધિ ન હોય. આલમ’ નામના આ મુસ્લિમ સંતનો જન્મ સં.૧૭૧૨માં થયેલ તેઓશ્રી બાદશાહ ઔરંગઝેબના પુત્ર મુઆઝમની પાસે રહેતા હતા. તેઓ કૃષ્ણ ભક્તિથી રંગાયેલા હતા અને તેઓએ કૃષ્ણભક્તિનાં ઘણા પદો રચેલાં તેમાંના એકાદ બે જોઈએ : (૧) જસુદા કે અજિર મન મોહનજુ અંગ રંજ લાગે છબિ છાજે સુરપાલકી છોટે છોટે આછે પગ ઘુંઘરૂ ઘૂમત ઘને જાને ચિત્ત હિત લાગે શોભા બાલ જાલકી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy