SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ વસ્ત્રોની હોળી કરી જાતે જ કાંતવાનું શીખ્યાં. લગ્નની અનિચ્છા છતાં માતાપિતાના આગ્રહથી વડિયાના વતની, મેટ્રિકમાં ભણતા ગેમલસિંહ (ગનુભાઈ) મૂળજી મકવાણા સાથે લગ્ન થયાં. પછી પતિ બી.એ. થયા, એમનો જીવ સેવારંગે રંગાયેલો એટલે બગસરામાં શિક્ષક થયા, રચનાત્મક પ્રવૃત્તિઓ કરી પછી પૂ. ઠક્કરબાપાના હરિજન આશ્રમ ઉપરાંત અવિધા (જિ. ભરૂચ)માં આદર્શ શાળામાં, અમદાવાદની નવચેતન હાઈ.માં સેવા આપ્યા બાદ સુરતમાં ‘જીવનભારતી' છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ૧૯૫૬માં ગોઠવાયા. અદેકુંવરબા પણ આ સ્થળોએ સાથે રહ્યાં. સુરતમાં તાપીકિનારે નાનકડી ઓરડીમાં રહેવા છતાં ઈશ્વરધ્યાન કરતાં, ૧૯૫૫-૫૬માં મા અંબાના ચૈતન્યનો આવિષ્કાર થવા લાગ્યો, તેમની આજ્ઞાથી બાર વર્ષ સુધી અનાજ-પગરખાંપથારીનો સંપૂર્ણ ત્યાગ કર્યો. અન્નના ત્યાગનાં સાત વર્ષ પછી જગદંબાના પ્રત્યક્ષ સ્વરૂપની વિરલ ઘડી આવી પહોંચી, –મંદિર નિર્માણની આજ્ઞા મળી, પછી એક વર્ષ બાદ તે માટે જમીન જોવાની આજ્ઞા સંકેત સાથે મળી, છેવટે માની કૃપા ફળી. ૧૯૬૬માં જમીન સંપાદિત કરી, મંદિરનો શિલારોપણ ૧૯૬૯માં કર્યો, સુરત-મુંબઈમાં ફાળા માટે ગયાં, લોકોમાં થાળી' ફેરવી! અંબિકા નિકેતનનું કાર્ય આગળ ધપતું ગયું, ઓક્ટો–'૮૭માં પૂ. મુરારીબાપુની રામકથાથી અને ઓગષ્ટ૧૯૮૮માં વિદેશ પ્રવાસથી દાન મળ્યાં, પ્રવૃત્તિઓનો વિસ્તાર વધતો હયો. ૧૯૮૯માં જ્ઞાનભારતી શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના થઈ. યાદ રહે કે પૂ. સત્ય સાંઈબાબા, યોગીશ્રી પૂ. મુક્તાનંદજીના આશીર્વાદ, જગદ્ગુરુ શંકરાચાર્યજી-શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ, જગદ્ગુરુ રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવતકથા, મોરારજી દેસાઈની મુલાકાત આ જગ્યા સાથે સંકળાયેલ છે. માત્ર સુરતના જ નહીં દેશ-વિદેશના મહેમાનો અંબિકા નિકેતને આવે છે! [નોંધ : પૂ. ભારતીમૈયાના સુપુત્ર શ્રી ભારતસિંહ જી. મકવાણા-અંબિકા નિકેતન ટ્રસ્ટનો માહિતીપ્રદાન માટે આભાર.] સૂફી સંત શ્રી સાગર મહારાજનાં શિષ્યા પૂ. ઓમકારેશ્વરી ગુજરાતના આધ્યાત્મિક ક્ષેત્રમાં પોતાની રીતે પ્રદાન કરનાર ‘સાગર' મહારાજનો જન્મ તા. ૭-૨-૧૮૮૭ના રોજ જંબુસર (જિ. ભરૂચ)માં થયો હતો. તેઓ માનતા કે ઃ પરમાત્મા પ્રેમ સ્વરૂપ હોઈ તેની પ્રાપ્તિ માત્ર જ્ઞાન કે યોગ દ્વારા થઈ શકતી Jain Education International પથપ્રદર્શક નથી–જો કે સાથે સાથે તેઓ એમ પણ માનતા કે જ્ઞાન વિનાની ભક્તિથી કોઈ અર્થ સરતો નથી. ઉત્તર ભારત અને હિમાલયમાં પરિભ્રમણ કરનાર અને ‘કવિ કલાપી’ ને ગુરુ માનનાર સાગર મહારાજ છેવટે સને ૧૯૧૬માં પાદરા તાલુકાના ચિત્રાલ ગામે આવ્યા અને અહીં જ પર્ણકુટી બાંધીને શેષજીવન ગાળ્યું. તેઓ ‘ૐ પ્રભુજી' નો મંત્ર સતત જપતા. તેમનાં ભજનો-ગઝલો-કાવ્યોમાં કલાપીના સૂફીવાદના અને અખાજીના ‘અજાતવાદ’નાં દર્શન થાય છે. આજે ચિત્રાલમાં તે જગ્યાએ સાગર આશ્રમ' છે. મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થવાં છતાં સાગર મહારાજનું અંગ્રેજી અને ગુજરાતી જ્ઞાન ઉચ્ચ કક્ષાનું હતું. તેમનો ‘દીવાને સાગર' ગ્રંથ સૂફી સાહિત્યમાં નોંધપાત્ર ગણાય છે. આ ગ્રંથ વાંચીને આવા સમર્થ ગુરુને શિષ્યા ‘ઓમ્કારેશ્વરી' પ્રાપ્ત થયા. તેમનું મૂળ નામ લલિતાબહેન હતું. તેમનો જન્મ રાજપીપળા (નાંદોદ) તાલુકા સીસોદ્રા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વ્યવસાયે શિક્ષિકા હતાં. દીવાને સાગર' ગ્રંથ વાંચીને આત્મદર્શનની તાલાવેલી જાગી. ચિત્રાલ આશ્રમમાં સાધના કરવા આવ્યાં અને ‘ઓમ્કારેશ્વરી’ તરીકે નૂતન નામ ધારણ કરી સાધિકા બન્યાં. સને ૧૯૧૭ થી ચિત્રાલ મુકામે સાગર મહારાજના આશ્રમમાં આવ્યાં. તા. ૧૧-૧૧-૧૯૧૮ના રોજ નોકરીનું બંધન ફગાવ્યું અને શ્રી સાગર મહારાજને ગુરુપદે સ્થાપ્યા......સને ૧૯૩૧ સુધી ચિત્રાલમાં રહ્યાં. સાગર મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓ ઋષિકેશ જઈને વસ્યાં અને ત્યાં ઇ.સ. ૧૯૩૫માં બ્રહ્મલીન થયાં. ઓસ્કારેશ્વરી દેવીની આધ્યાત્મિક ભૂમિકા કેટલી ઊંચી હતી તેનો ખ્યાલ નીચેનાં અવતરણો પરથી આવશે “તારું જીવતર સફળ થયું છે અને સફળ જીવનનો તારો સ્વાનુભવ અનંતકાળ સુધી કાયમ રહો. તને શીખવવું પડે એવી તું મારી શિષ્યા હવે રહી નથી.” (સાગર-જીવન અને કવન : પૃ. ૪૧૪) “મોત તો બેટી! મરી ગયું ! જાગત અનભે જ્યોત! અણલિંગી ઊગ્યો આત્મા રે! ઓહ ધન તારાં માબાપ!' For Private & Personal Use Only [દીવાને સાગર, દફ્તર-૨'] www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy