SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આવીને વસ્યા અને વાળીનાથના મંદિરમાં સેવા કરે છે, સાદાઈ અને ભક્તિભાવથી જીવન જીવતા આ દંપતિને બે પુત્રો- લાલપુરી અને રમેશપુરી—છે. વાળીનાથના આશ્રમમાં અન્નક્ષેત્ર અને ગૌસેવા થાય છે. ગૃહસ્થ નારી કંકુબેન અભણ છે છતાં પ્રાચીન–અર્વાચીન ભજનોની ગાયકીમાં આગવું નામ હાંસલ કર્યું છે, તેમણે ગાયેલાં ભજનો પૈકી ૧૦૦-૧૨૫ ભજનોની લોકપ્રિયતાને કારણે એ ભજનોની પુસ્તિકા પણ ભજનિકોને પ્રિય છે. નાનપણમાં ભજનો સાંભળવાનો અને ગાવાનો શોખ તેમને નામી કલાકારના ઊંચેરા આસને બેસાડવામાં મદદરૂપ થયો તેથી ભજનોમાં રસ ધરાવતા ભાવિકો જો કંકુબહેનના આશ્રમે જાય તો તેમને નિરાશા નહીં સાંપડે! સેવાવ્રતી મંજુલાબહેન ઝવેરભાઈ જે. પટેલ (યુ.એસ.એ.) લોસ એન્જલ્સ (અમેરિકા)થી દર વર્ષે વતન ત્રાલસા (જિ. ભરૂચ) આવીને આરામ કરવાને બદલે નેત્રયજ્ઞ, રોગ- નિદાન કેમ્પ વગેરેનું આયોજન કરીને-સહયોગ આપીને માનવધર્મ ઊજળો કરી બતાવતા, કેમેરાથી દૂર ભાગતા, પ્રસિદ્ધિથી વેગળા રહેતા વતનપ્રેમી ઝવેરભાઈ જે. પટેલ અને મંજુલાબહેનને જ્યારે પ્રત્યક્ષ જોઈએ ત્યારે તેમના પરોપકારી, નિરાડંબરી સ્વભાવ સામે આપણું મસ્તક તેમને અવશ્ય નમી પડે! જો કે આ લેખની તેમને જાણ થશે ત્યારે મને મીઠો ઠપકો આપશે જ! ત્રાલસાના પટેલ જેસંગભાઈ નાથાભાઈને ૫ થી ૬ એકર જમીન, એક બળદ, કમાણીનાં સાધન ઓછાં ને પરિવારના સભ્યો ઝાઝા! જેસંગભાઈને (૧) ચતુરભાઈ (૨) પુરુષોત્તમભાઈ (૩) પરાગભાઈ (૪) ઝવેરભાઈ એમ ચાર પુત્રો અને પુત્રીઓમાં કમુબહેન તથા રેવાબહેન. ટાંચા સાધનો અને અછતના ઓળા વચ્ચે ઝવેરભાઈ જે. પટેલ (જન્મ ૧૯૩૪) એમ.એસ. યુનિ.-વડોદરામાંથી બી.ઈ. (ઇલેકટ્રીકલ) પ્રથમ નંબરે પાસ થયા અને પુરુષાર્થથી નસીબનું દ્વાર ખૂલ્યુ-૧૯૫૮ થી ૧૯૬૨ સુધી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ (મહારાષ્ટ્ર)માં રહ્યા, મંજુલાબહેન સાથે ૧૯૬૧માં લગ્નગ્રંથિથી જોડાયા, ૧૯૬૨ના ઓગષ્ટમાં અમેરિકા ગયા ને ત્યાંની મિશિગન સ્ટેટ યુનિ.માંથી ઇલે.માં માસ્ટરની પદવી મેળવી, ન્યૂયોર્કમાં પાંચ વર્ષ, લોસ એન્જલ્સમાં બે વર્ષ જોબ કર્યા બાદ ૧૯૭૦માં મોટેલનો પોતાનો આગવો વ્યવસાય કર્યો. તેમને સંતાનોમાં–સીમંતા, શોભના, સંગીતા અને પુત્ર સંદીપભાઈ છે. પથપ્રદર્શક ઝવેરભાઈ પટેલનું પરિવાર કુટુંબપ્રેમી, વતનપ્રેમી, માનવતાપ્રેમી છે. આ દંપતી એટલું સેવાભાવી છે કે અમેરિકાની સારી સગવડ ભૂલી જાય અને તકલીફ વેઠીને, મહિનો-દોઢ મહિનો સેવાકાર્યમાં રહીને પાછા અમેરિકા જાય. સેવા રૂરલઝઘડિયા અને વિશ્વ જ્યોતિ આશ્રમ–જંબુસર-વડોદરાના નેત્રયજ્ઞો વખતે આ દંપતીને નજીકથી નિરખવાની મને તક મળી છે તે બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું. ઝવેરભાઈ અમેરિકા ગયા પછી તેમના દરેક ભાઈઓ અને સંતાનો પણ અમેરિકામાં સ્થિર થયા છે. આ સૌ પર સ્વ. ચતુરભાઈ જે. પટેલની ઉમદા અસર રહી છે. ત્રાલસામાં તેમના પરિવારે હાઈસ્કૂલ, પ્રાથ. શાળા, બાલમંદિરની સ્થાપના કરી, નબળી આર્થિક સ્થિતિવાળાને અભ્યાસમાં મદદવારિગૃહ, મંદિરો માટે યોગદાન, સપ્તાહકથાઓનાં આયોજન, રસ્તાઓ ઉપરાંત ગામલોકોની તંદુરસ્તી, અપંગોની જરૂરિયાત, કૂતરાઓ અને પક્ષીઓ માટે અનાજચણ વ. ની વ્યવસ્થામાં ઝવેરભાઈ જે. પટેલની સાથે મંજુલાબહેન હોય જ! જે એક આખું તંત્ર રચીને ઉત્સાહથી પાર પાડે, દેવદર્શન કરતાં માનવસેવાનું તેમને ઊંચું મૂલ્ય છે. આથી જ ચતુરભાઈ અને ઝવેરભાઈ ‘ત્રાલસાના કર્ણ' તરીકે પંકાયા છે. સમાજસેવાનાં ભેખધારી અનુબહેન ઠક્કર ગોરજ ગામના ગોંદરે આવેલ મુનિ સેવા આશ્રમ અને આ નામને સાર્થક કરનાર અનુબહેન ઠક્કરનાં નામથી કોણ અપરિચિત હશે? વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામથી આઠ કિલોમીટર દૂર આવેલ મુનિ સેવા આશ્રમ ૪ માર્ચ, ૧૯૮૦ ની અખાત્રીજે અનુબહેને સ્થાપ્યો. એ પહેલાં જંગલ, સાપ-વીંછી, રાની પ્રાણીઓ ઉપરાંત ધાડપાડુઓનો ત્રાસ પરંતુ સેવાનો મહાયજ્ઞ પ્રારંભ કરનારાં અનુબહેને આવી કોઈ પ્રતિકૂળતાને મહત્ત્વ આપ્યું નહીં. ૧૮ વર્ષની ઉંમરે વિવેકાનંદજીનાં પુસ્તકોની પ્રબળ અસરથી અપરિણીત રહીને લોકસેવાના નિર્ણય સાથે મોસાળના સાણંદ ગામમાં જ્યાં પોતે ભણ્યાં ત્યાં જ શિક્ષિકા થયા, એ ગાળામાં બાર વર્ષ સુધી મૌન ધારણ કરેલ. સંતશ્રી મૌની મહારાજ (પરથી મુનિ મહારાજ) હરિદ્વારથી સાણંદ આવ્યા, અનુબહેન તેમનાં શિષ્યા થયાં અને પોતાના ભાવિ ધ્યેયની ગુરુજીને જાણ કરી તો તેમણે એક શ્રીફળ આપીને અનુબહેનને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy