SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સ્થાપ્યા પછી જ્યાં પ.પૂ. યોગેશ્વરજીના પ્રવચન–શિબિર હોય ત્યાં સરોજબહેન ઉપસ્થિત હોય જ. અવારનવાર પત્રવ્યવહારથી શંકાનું સમાધાન મેળવી લેતાં. આચાર્યપદેથી રાજીનામું આપીને ૧૯૭૯માં સંન્યાસ લીધો. ગુરુદેવની ગંભીર માંદગી વખતે એક જોડી કપડાં લઈને તેમની પાસે પહોંચ્યાં. ૧૯૮૦ થી ’૮૪ સુધી દેશવિદેશમાં અનેક યાત્રાઓ, શિબિરો, પ્રવચનો, લોકકલ્યાણની પ્રવૃત્તિમાં તેઓશ્રીની સાથે રહેવાની તક સાંપડી. ૧૯૮૪માં ગુરુદેવ બ્રહ્મલીન થયા બાદ એમનાં કર્તવ્યને આગળ ધપાવવા માંડ્યું. ૧૯૮૪ થી સંપૂર્ણ અન્નત્યાગ કરી ખપ પૂરતા ફળાહારનો અને ૧૯૯૫ થી મૌનવ્રતનો પ્રારંભ કર્યો. પોતાના અનુયાયીગણને કોઈ નામ આપવાનું પૂ. ‘મા’ ને પસંદ નથી! આબુરોડ પાસે અંબાજીધામમાં ૧૯૮૬માં ‘સ્વર્ગારોહણ’ આશ્રમ ઉપરાંત પૂ. યોગેશ્વરજીના સકલ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે નારણપુરામાં ‘સત્યપથ’ નામક ધાર્મિક સ્થળ, દેવપ્રયાગમાં આશ્રમ જેવો મુકામ ભક્તો માટે તીર્થસ્થાન સરખો છે. કચ્છના ધરતીકંપ વખતે ભુજ-મોરબી-ભચાઉમાં રાહતકાર્યોમાં જોડાઈને ૭ પાકી શાળા નિર્માણ થકી સમાજસેવિકાની શક્તિનું ભાન કરાવ્યું. અમેરિકા, કેનેડા, દ. આફ્રિકામાં વિચરણ કરી આવનાર ‘મા’ અનિકેત છે, આત્મસ્થ છે છતાં જ્યાં હોય ત્યાંથી ભક્તોના ઊદ્વિગ્ન મનને શાંતિ આપે છે. ગુરુભક્તિનું જ્વલંત દેષ્ટાંત પૂરું પાડનાર, શ્વેતવસ્ત્રધારિણી, મૌનમૂર્તિ, નિરાડંબરી, સરળ અને નિર્વ્યાજ પ્રેમની પ્રતિકૃતિ સમા મા સર્વેશ્વરીએ ૧૩ કરોડ જાપનો સંકલ્પ કર્યો છે, પૂ. યોગેશ્વરજી નિર્મિત ‘સર્વમંગલ’ ટ્રસ્ટમાં સને ૧૯૮૦માં ટ્રસ્ટી તરીકે જોડાઈને હમણાં જ તેમાંથી નિવૃત્ત થયા છતાં માર્ગદર્શન તો આપે જ છે, પ.પૂ. શ્રી યોગેશ્વરજીએ કહેલું કે—“મારા સમગ્ર જીવનમાં મેં બે જ વિભૂતિઓને પરમ વંદનીય માનીને પ્રણામ કર્યા છેમાતાજીને અને સરોજબહેનને. જગદંબાની એ અભિનવ આવૃત્તિને મારા પ્રણામ છે. જે એને ઓળખશે તે કૃતાર્થ થશે.....' આધ્યાત્મિક પ્રવૃત્તિ અને આયુર્વેદના સમન્વયથી સેવા કરતાં સાધિકા પૂ. શ્રી મા અનંતાનંદજી મા અનંતાનંદજીની વાણીમાંથી વરસે છે હરિરસની હેલી! પરંતુ તેમની વિશેષતા એ છે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ અને આયુર્વેદની પ્રવૃત્તિની જુગલબંધી તેમની પાસે છે! તેમના Jain Education Intemational પથપ્રદર્શક પૂર્વાશ્રમની એકાદ-બે ઘટનાઓ જોઈ લઈએ— ઉત્તર ગુજરાતના પાટીદાર પરિવારમાંથી ઉચ્ચશિક્ષણ લેવા અમદાવાદમાં આવનાર શાંતાબહેન ગ્રેજ્યુએટ થયાં અને કાયદાશાસ્ત્રની ડિગ્રી પણ મેળવી. એ અરસામાં પોતાની બહેન અને પિતાજી રોગના જડબામાં સપડાયાં! શાંતાબહેનનું હૃદય હાથ ન રહ્યું, ભાળ મળી કે અઘોરાનંદજી ઔષધ આપે તો કામ થઈ જાય! બસ, શાંતાબેન ઉપડ્યા ગરવા ગિરનારના માર્ગે! ન એમને ત્રાડ પાડતા સિંહની બીક લાગતી કે અંધારે કાંટાળી કેડીએ હિંસક પ્રાણીની તગતગતી આંખની પણ બીક ન લાગી! છેવટે ગીરની ગુફાના તપેશ્વરી અને આયુર્વેદના ઉપાસક સંત શ્રી અઘોરાનંદજીનાં ચરણે શાંતાબહેને માથું નમાવ્યું! અઘોરાનંદજી આવનાર સુપાત્રને ઓળખી ગયા–શિષ્યા તરીકે શાંતાબહેનનો સ્વીકાર કર્યો, જો કે એ જ અરસામાં ચારેક શિષ્યો થાકીને રવાના થઈ ગયા, અડગ રહ્યાં શાંતાબહેન! ગુરુજીની કૃપા થકી ઔષધિએ જાણે કે મડદામાં પ્રાણ પૂર્યો...... બસ, શાંતાબહેને નક્કી કર્યું : હવે તો આયુર્વેદની ઉપાસના એ જ મારું જીવનધ્યેય બની રહો! શાંતાબહેનની જીવનદિશા બદલાઈ ગઈ. જ્યોતિ સંઘની પ્રવૃત્તિને પડતી મૂકીને ગુરુદેવ અઘોરાનંદજીના ચરણે ગીર, બરડો, અરવલ્લી ને ઠેઠ હિમાલય સુધી આયુર્વેદ અને તેની વનસ્પતિને પામવા-પારખવા જઈ આવ્યાં-શાંતાબહેનનો નવો અવતાર જાણે કે પૂ. શ્રી શ્રી મા આનંદાનંદરૂપે થયો, આયુર્વેદને જીવનમંત્ર બનાવ્યો, સેવાના માધ્યમ તરીકે સ્વીકાર્યો....પોતે ઉપડ્યા વિદેશપ્રવાસે ત્યાં જ ગુરુદેવે જીવનલીલા સમાપ્ત કર્યાનો સંકેત મનમાં થયો, અમેરિકાથી પાછા આવ્યાં ભારત.....તો વાત ખરી હતી! ગુરુજી હવે સદેહે નહોતા....પરંતુ ગુરુદેવના સૂક્ષ્મ દેહ દ્વારા મોકલાયેલા દિવ્ય સંદેશા પ્રમાણે પૂ. માએ લોકસેવા માટે આયુર્વેદ સંશોધન કેન્દ્રની સ્થાપનાનું પાલન ‘દિવ્યજ્યોત’ (દહેગામ પાસે વહેવાલ ગામે) સંસ્થા સ્થાપી પાલન કર્યું, ખોરાણા ગામ પાસે આયુર્વેદ આશ્રમ, રોગનિદાન અને ઔષધપ્રદાન માટે ખડો કર્યો. પછી તો લોકકલ્યાણ માટેની તેમની પ્રવૃત્તિઓ પાંગરતી જ રહી. કેન્સરના દર્દીઓની સારવાર માટે ‘સંશોધન મંદિર', ઔષધિઓ ઉગાડવા ‘આયુર્વેદ ઉદ્યાન’, ઔષધિઓના સંશોધન માટે ‘ઔષધ નિર્માણ મંદિર', પ્રાચીન અસલ સિદ્ધાંત પ્રમાણે સારવારના પ્રયોગો માટે ‘જ્ઞાનવિજ્ઞાન મંદિર', દર્દીઓને વિના મૂલ્યે ઔષધ આપવા દરિદ્ર નારાયણ સેવા મંદિર', સાધકો અને દર્દીઓ માટે મૌનમંદિર’, વૃદ્ધોની સેવા માટે ‘વાનપ્રસ્થમંદિર' જેવી પ્રવૃત્તિઓ દ્વારા પૂ. મા શ્રી અનંતાનંદજીએ ગુરુજીના નામને ઉજાળ્યું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy