SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સેવાધર્મની સાધિકાઓ પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ખરેખર તો આ લેખ નારીજગતને વંદના અને સેવાધર્મની મહત્તાના અનુસંધાનમાં લખાયેલો છે, જો નારીશક્તિને મોકળાશ આપવામાં આવે તો માતૃવત્સલ પ્રેમ, અનુકંપા, લાગણી, ઋજુતાથી સેવાક્ષેત્રને પણ તે દિપાવી શકે છે એ બાબતનો નિર્દેશ અહીં સાંપડે છે.....જો કે અહીં આ પ્રકારની બધી જ વ્યક્તિઓનો સમાવેશ શક્ય નથી એટલે પ્રતિનિધિરૂપ થોડીક સંખ્યામાં પ્રતિભાઓને જ પસંદ કરી છે, જેમ કે—સ્નેહતીર્થ ‘મા’ સર્વેશ્વરી. સાધિકા પૂ. શ્રી મા અનંતાનંદજી. સેવામૂર્તિ કાશીબા. ભજનિક કંકુબહેન કરશનપુરી (સેવાળા, ઉ.ગુ.) સેવાવ્રતી મંજુલાબહેન ઝવેરભાઈ પટેલ (યુ.એસ.એ.) સમાજસેવાના ભેખધારી–અનુબહેન ઠક્કર સાધિકા પૂ. ભારતીમૈયા (સુરત), સૂફી સંત શ્રી સાગરમહારાજના શિષ્યા-પૂ. ઓમ્કારેશ્વરી. સેવા અને આધ્યાત્મિકતાના ઉપાસક–ડૉ. સદ્ગુણાબહેન સી. શાહ. આ સાધિકાઓ જુદી જુદી જ્ઞાતિ, જુદા જુદા સ્તર અને વિવિધ પરિસ્થિતિમાંથી આવે છે પણ સેવાજ્યોતરૂપે પ્રકાશી છે એવો સાર સંતોષપ્રદ બને છે. [કેટલીક માહીતી માટે ‘અંબિકા નિકેતન'–સુરત સાથે સંકળાયેલ (પૂ. ભારતી મૈયાના સુપુત્ર શ્રી ભારતસિંહ ગે. મકવાણા તથા સ્નેહતીર્થ ‘મા’ સર્વેશ્વરી અંગે તેમના જ કૃપાપાત્ર એવા પ્રા. તરલા દેસાઈ (અમદાવાદ) નો આભાર.] ૨૩૦ આ સંકલિત લેખના લેખક પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી જંબુસરની જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં સેવા આપે છે. તેમનો વિસ્તૃત પરિચય આ જ ગ્રંથમાં ધાર્મિક ક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજો-ગુજરાતના મહિલા કથાકારો' લેખમાં તપાસી જવા વિનંતી છે..... —સંપાદક સ્નેહતીર્થ ‘મા' સર્વેશ્વરી સાધક, ‘સરળ ગીતા’ અને એંશી જેટલાં પુસ્તકો લખનાર તથા અમદાવાદ પાસે સરોડાના વતની, હિમાલયનિવાસી યોગી તરીકે જાણીતા એવા પ.પૂ. શ્રી યોગેશ્વરજીના આધ્યાત્મિક વારસદાસ ‘મા’ સર્વેશ્વરી ગુરુભક્તિ, સમર્પણ, માનવસેવા અને પ્રેમ-કરુણાની જ્યોતસમાં છે. તેમનું મૂળ નામ સરોજબહેન ભક્ત. પિતાશ્રી કાલિદાસભાઈ અને માતા ભીખીબાના રામકબીર સંપ્રદાયનાં ભક્ત કુટુંબમાં સુરત જિલ્લાના વ્યારા પાસે કપૂરા ગામમાં ૧૩-૧૧-૧૯૪૩ના રોજ જન્મેલાં ‘મા' સર્વેશ્વરીએ દેશ-વિદેશમાં સંત-સાધિકાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે તે પૂર્વેનીપાંત્રીસેક વર્ષની–ઘટનાઓ તપાસી લઈએ. બી.એ.માં ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ પારિતોષિક અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર સરોજબહેન ભક્ત બી.એડ્. થયાં, સાધના વિદ્યાલય સુરતમાં શિક્ષિકા થયા Jain Education International પછી આચાર્યાપદે રહ્યાં. તેજસ્વી કારકિર્દી અને ફરજ નિષ્ઠાથી શિક્ષણના ઉમદા વ્યવસાયમાં હતાં તે વેળાએ જ અંતરનો એકતારો રણઝણવા માંડ્યો, અધ્યાત્મમાર્ગે વળ્યાં...અઢીસો માળા પછી જ પાણી પીવાનું, અવારનવાર ઉપવાસ, વેકેશનના દિવસોમાં મૌનમંદિરમાં બેસવાનું! આજ મૌનમંદિરમાં ભીતરનો ખજાનો હાથ લાગ્યો, કલમ ઉપાડી, અનુભૂતિની એરણ પર ઘડાયેલી ભક્તિસભર પદરચના કરી....હિર ઓમ્ આશ્રમ પાસેના શિવાલયમાં શિવદર્શનની ઝાંખી થઈ......હવે નોકરી બંધનરૂપ લાગવા માંડી, બે–ત્રણ વખત રાજીનામું મૂક્યું પણ સંચાલકો તેમને છોડવા તૈયાર નહોતા તેથી કહેતા : ‘બહેન! અહીં તમારે શું દુઃખ છે? તમારા થકી તો આ સંસ્થા ઊજળી છે...... સને ૧૯૭૧ નું વર્ષ. મહાન સાધક યોગેશ્વરજી સુરતમાં પધાર્યા, તેમને સાંભળવા સરોજબહેન ગયાં અને તેમને ગુરુપદે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy