SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કુ. નારાયણીબહેન પંડ્યા-રાજપીપળા હજી હમણાં જ સંસ્કૃત વિષય સાથે બી.એ. થઈને (સને૨૦૦૪) લગભગ ૨૧ વર્ષની ઉંમરે અઢારેક કથાઓ કરી ચૂકેલા રાજપીપળાનાં ૩. (નિશા) નારાયણીબહેનનો અલપઝલપ પરિચય પણ નવી પેઢીને તો પ્રોત્સાહક નીવડશે. ગુજરાતના કાશ્મીર સમા મહુવા (જિ. ભાવનગર) થી સુશ્રી નારાયણીબહેનના દાદા શ્રી બળવંતરાય જગજીવનદાસ પંડ્યા ગિરિકંદરાઓથી સુશોભિત રળિયામણા નગર રાજપીપળામાં આવ્યા ને શેષનારાયણ મંદિરના પૂજારી તરીકે ગોઠવાયા. એ જ પરંપરા તેમના પિતાશ્રીએ સાચવી. પિતાશ્રી મહેશભાઈ પંડ્યાને ત્યાં માતા સુધાબહેનની કૂખે કન્યારત્ન તરીકે નારાયણીબહેનનો જન્મ આજથી એકવીસ વર્ષ પહેલાં થયો ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે ગુજરાતમાં નાનામાં નાની વયનાં મહિલા કથાકારો પૈકીના એક થવાનું અહોભાગ્ય તેમને સાંપડશે! છ વર્ષની બાલવયે કથા પ્રત્યેનું આકર્ષણ, રાજપીપળામાં સને ૧૯૯૨માં ગણેશોત્સવ નિમિત્તે ધર્મકથા' ની આબાલ-વૃદ્ધ માટેની ખુલ્લી સ્પર્ધામાં પ્રથમ વિજેતાપદ, ગુજરાતના જાણીતા કથાકાર-ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા-‘પૂ. ભાઈશ્રી’ના આશીર્વાદ જ નહીં પ્રેરણા-માર્ગદર્શન અને પુત્રીવત્ શુદ્ધ સ્નેહ પામનાર નારાયણીબહેને તેર વર્ષની વયથી ધાર્મિક પ્રવચનો આપીને પોતાનાં રસ-રૂચિ-શક્તિનો અણસાર આપી દીધો અને પૂર્વજન્મના સંચિત સત્કર્મો, દિવ્ય સંસ્કારો, કુટુંબમાં કોઈ કર્મકાંડી કે કથાકાર નહીં થયેલ છતાં જ્ઞાનપિપાસાને કારણે કાદવમાં કમળ ખીલે તે રીતે દસમા ધોરણ (ન્યુ.એસ.એસ.સી.) ની પરીક્ષાના દિવસોમાં જ સૌ પ્રથમ-વિઠ્ઠલવાડી, ભાવનગર ને ત્યારબાદ રણછોડજી મંદિર-રાજપીપળા, ગોંડલ, જંબુસર એમ શ્રીમદ્ ભાગવતકથાનું અમૃતપાન કરાવ્યું... નાની ઉંમરે પણ તેજસ્વિતા અને ઠાવકાઈથી વર્તતાં નારાયણીબહેનની કથાશૈલી હૈયા સોંસરવી નીકળી જાય તેવી વેધક, સાદી છતાં રોચક, સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની બળુકી બોલીની પહેચાન આપતી, સૂર-તાલ-લયના સથવારાવાળી, ભારતીય સંસ્કૃતિના ઉન્મેષ પ્રગટાવતી, નિર્દભ છતાં લક્ષ્યવેધી બનીને ભાવિકોનાં ચિત્તને રંજન અને મંજન કરાવતી રહી છે જેમાં હિંદી ભાષાનો ઉપયોગ, કંઠસ્થ શ્લોકો-સાખીચોપાઈઓ-દૂહા-છંદ-ભજનો-લોકગીતો-સ્તવનો–સ્તોત્રો વગેરે અનાયાસે આવીને ભળે છે અને ફૂલગુંથણીની શોભા અને સોડમ અર્પે છે. Jain Education International પથપ્રદર્શક ‘પૂ. ભાઈશ્રી’ ની પ્રેરણાથી કેદારનાથ યાત્રા ઉપરાંત નાની વયે સિદ્ધિના એક પછી એક સોપાનો સર કરવા છતાં તેમનો ગંભીર–વિવેકી નિખાલસ-ઓજસ્વી સ્વભાવ, આરોહ-અવરોહ અને અનેરા સંવાદના સંમોહન સમું વક્તૃત્વ, પૂ. પાંડુરંગદાદાની ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિ પ્રત્યેનો પ્રેમ, ભારતીય સંસ્કૃતિની ચેતના પ્રગટાવવાની ખેવના તેમના વ્યક્તિત્વને અવિસ્મરણીય બનાવે છે અને આશ્ચર્યથી કહેવું પડે‘આ કેટલાં જન્મની કમાણી! ખરેખર, જ્ઞાન અને વયને કોઈ સંબંધ નથી!' ઔદિચ્ય બ્રહ્મકૂલમાં જન્મેલાં નારાયણીબહેનની કથા બબ્બેવાર શ્રી ભગવદ્ ધર્મ પ્રચારક મંડળ-જંબુસરના ઉપક્રમે ગોઠવતી વખતે અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-જંબુસર તાલુકા વતી સન્માનિત કરતી વખતે જે અનુભૂતિ થઈ (૧૯૯૯માં) તે અનુસંધાનમાં કહીશ કે-આ ભલે તેમનું સૌ પહેલું સન્માનપત્ર હોય પરંતુ ભવિષ્યમાં દેશ-વિદેશમાં તેમની કીર્તિ વિસ્તરશે એ બાબતમાં કોઈ જ શંકા નથી. શ્રી રામકથાના ઉદયમાન વક્તા : સુ.શ્રી દયાદેવીજી શ્રી રામપારાયણ અને શ્રીમદ્ ભાગવતની સંગીતમય કથા કહેતાં સુ.શ્રી દયાદેવીજી ગુરુશ્રી અશોકદાસ મહારાજ અગ્રાવત તોરી (રામપુર), તા. કુંકાવાવ, જિ. અમરેલીનાં કથાકાર છે, વૈષ્ણવ–રામાનંદી સાધુ પરિવારમાંથી આવે છે એટલે રામકથાના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળેલા છે ને બાળપણથી જ કથાકીર્તન પ્રિય એટલે અભ્યાસ ભલે માત્ર ગુજરાતી સાત ધોરણનો રહ્યો હોય પણ રામકથામાં ત્રણ વર્ષથી આગળ વધ્યા છે તોય અત્યારસુધીમાં પચીસેક કથા સુધી પહોંચ્યાં છે...જે માટે તેઓ ઈશ્વરકૃપા, પોતાના માતાપિતા અને પરિવારજનોના સહકારને યશ આપે છે. સુ.શ્રી દયાદેવીજીની સૌ પહેલીકથા ગીર-ગઢડા પાસે ‘દ્રોણ’ ગામે રામપારાયણરૂપે થયેલી. દૈનિક જીવનસંગ્રામમાં પ્રાર્થના પર ભાર મૂકતાં દયાદેવીજી માને છે કે ભગવાન પ્રત્યે સમર્પણભાવ કેળવવાથી રક્ષણ, જ્ઞાન, કૃપા, માર્ગદર્શન તે જ આપી રહે છે! તેમના જ શબ્દોમાં જોઈએ તો—“લોકના હિત માટે, લોકકલ્યાણ માટે, લોકસમાજ માટે હું ઉપયોગી બનું અને કથાઓ વાંચીને ધાર્મિકતા સ્થાપતી રહું......અને એવી રીતે હું બધાંની સેવા કરું...' એવી શુભ અભિલાષા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy