SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પૌલોમીબહેન ત્રિવેદી પૌલોમીબહેન ત્રિવેદી અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહે છે તેમની કથાની વિશિષ્ટતા એ છે કે ૧૯૯૨થી તેઓ પોતાના નિવાસસ્થાને જ પ્રવચન-કથા સપ્તાહમાં ત્રણ દિવસ-સોમ, ગુરુ, શનિવારે આપે છે. શ્રોતાઓ તેમને ત્યાં ભગવદ્ગીતા, ઉપનિષદ અને વેદાંત સાંભળવા જાય છે. જો કે ‘અધિક’ મહિનામાં કથા કરવા માટે નિમંત્રણ મળતાં બહાર જાય છે. તેઓ કથાપ્રવચન તરફ કેમ આકર્ષાયાં? તેમના અણધાર્યા આશ્ચર્યકારક વળાંકની પાર્શ્વભૂમિકા નિહાળી લઈએ... આદ્ય શંકરાચાર્યજીને પોતાના ગુરુ માનતાં પૌલોમીબહેન એક કાળે તો અત્યંત ‘મોર્ડન’ હતા! સુખી કુટુંબનાં સભ્ય હોવાના કારણે કપડાં-ઘરેણાં અને હરવા-ફરવાની બાબતમાં કોઈ અડચણ નહોતી, છતાં ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત નહોતી થતી, એ પણ એક કડવી વાસ્તવિકતા હતી અથવા તો પ્રસન્નતા લાંબો સમય ટકતી નહોતી. આમ કેમ થતું હશે? એ પ્રશ્નની ખોજમાંથી–જિજ્ઞાસામાંથી તેમનાં જીવનને એક વળાંક સાંપડ્યો. નાનપણથી સંગીતની રિયાજના કારણે એકાદ કલાક સંગીત પાછળ ગાળતાં ત્યારે સૂર અને લયની જુગલબંધી ભરેલી સાધનામાં જે અલૌકિક શાંતિનો અનુભવ થતો તેમાંથી નિરીક્ષણ ભરેલી સ્ફૂરણા થઈ : આ બધું શોધ્યું કોણે? તેત્રીસ કરોડ દેવીદેવતા કેમ છે? ઈશ્વર કોણ છે? કેવો છે?—આવા પ્રશ્નો ચિત્તમાં થતા, જવાબ સાંપડતો નહોતો એટલે એક પ્રકારની ગડમથલ રહ્યા કરતી પરંતુ ૧૯૮૦માં મા આનંદમયી અને સ્વામી મુક્તાનંદજી મળ્યા અને ઉપનિષદ્-વેદાંતના અભ્યાસનું સૂચન કરી આશીર્વાદ આપ્યા, જે શોખ હતા તે સહજ ભાવે છોડવાની ઇચ્છાનું પાલન શરૂ થયું...૧૯૮૨ થી ૧૯૯૨ના દાયકામાં ઘરબહાર પગ નહીં મૂકનાર પૌલોમીબહેનને એકાંતની આરાધનામાં મહર્ષિ શ્રી અરવિંદે સાધનાનો આદેશ આપ્યો એટલે વેદાંતના માર્ગે વળ્યા અને ૧૯૯૨ થી આ પ્રકારની પ્રવચનકથાનો પ્રારંભ કર્યો અને પ્રસન્નતાનો અનુભવ કર્યો. જેમ અધ્યાપકો, ડૉક્ટરો વગેરેના સંમેલન પોતાના વિકાસ, પ્રશ્નોની ચર્ચા અને પ્રવર્તમાન પ્રવાહોની નૂતન જાણકારી માટે હોય છે તેવી રીતે કથાકારોનું પણ સંમેલન ભરાય છે અને તેમાં નામી–અનામી કથાકારો મિલનરૂપે એકત્ર થઈને ગોષ્ઠિ કરે છે, પરસ્પરને પિછાને છે, પરિચયનું વર્તુળ વિસ્તૃત કરે છે.....આવી જ એક ગોષ્ઠિ ૨૬મી ઓક્ટોબર-૨૦૦૪માં વિરમગામ-રામપુરા ભંકોડા રોડથી તેર કિલોમીટર દૂર આવેલા અશોકનગર ખાતે થઈ હતી. કથાકારોની આવી ગોષ્ઠિ બે-ત્રણ દિવસ ચાલે છે. આશ્ચર્યની વાત એ હોય છે કે જાણીતા કથાકારો-પૂ. શ્રી Jain Education International ૨૩૫ મોરારીબાપુ, પૂ. રમેશભાઈ ઓઝા, શ્રી વિરંચિપ્રસાદ શાસ્ત્રીજી, પૂ. કનકેશ્વરીદેવી જેવા કથાકારો આવા મિલનમાં વ્યાસપીઠ પર નહીં પરંતુ અદના શ્રોતાની જેમ નીચે બિરાજીને અન્ય કથાકારોનાં પ્રવચન સાંભળતા હોય છે! આ વેળાએ ‘મીની કુંભ' નું દૃશ્ય સર્જાય છે, ત્રણસો કરતાંય વધુ કથાકારો ડેરા-તંબૂ તાણીને આ વખતે એકત્ર થયા હતા. એક સેશનમાં માત્ર કથાકારો વચ્ચે મહત્ત્વની ગોષ્ઠિ યોજાય છે અને એમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા થાય છે, જેમકે : ફેશન અને રંગરાગના રવાડે ચડી ગયેલા કિશોરો તથા યુવાનોને કથા દ્વારા ધર્માભિમુખ કેવી રીતે કરી શકાય? કથાનું સ્તર કેવી રીતે ઊંચું લાવી શકાય? કથાને વધુ રસપ્રદ કઈ રીતે કરી શકાય? અમુક કથાકારોને જબ્બર લોકપ્રિયતા કેમ સાંપડે છે? [બીજા સેશનમાં ભાવિકોની જ્ઞાનક્ષુધા કથાકારો સંતોષે છે.] પૂ. રમેશભાઈ ઓઝાએ આ પ્રસંગે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે—“દરેક કથાકારની વાણી પર ધીમે ધીમે પકડ આવતી હોય છે, આવી સિદ્ધિ રાતોરાત શક્ય નથી. વર્ષોની મહેનતથી આવું તપ તપતું હોય છે. દરેકને આવો સમય આવતો હોય છે, જરૂર હોય છે માત્ર તેમાં સફળતાના શિખરો સર થાય ત્યાં સુધી નિષ્ઠાપૂર્વકના પ્રયાસો સતત થતાં રહે.....' કથાકાર નવોદિત છતાં ઉજળું ભવિષ્ય ધરાવતા નારાયણીબહેન પંડ્યા (રાજપીપળા) એ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે-‘શ્રોતાઓ કથામાં રસ લેતા થાય તે માટે કથાકારોમાં ઉંડું જ્ઞાન, વાંચન, મનન, ચિંતન હોય તે જરૂરી છે. આપણે ત્યાં કથાકારોને લોકો સંત તરીકે સ્વીકારી લે છે અને લોકોની અપેક્ષાઓ વધુ પડતી હોય છે, તેમને મૂંઝવતા અનેક પ્રશ્નો હોય છે. આવા પ્રશ્નોનું નિરાકરણ, માર્ગદર્શન પણ સંતોકથાકાર પાસેથી ઇચ્છે છે તે સ્વાભાવિક છે. આમ કથાકાર પોતે સમજે તે પણ જરૂરી છે. સાંભળનારા શ્રોતા સમજતા થઈ જાય તે કથાકાર આપોઆપ લોકોમાં ઝળકવા લાગે છે........’ કથાકાર દિશાસૂચક બને છે એ બાબતનો નિર્દેશ કરતાં પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી કનકેશ્વરીદેવીએ કહ્યું હતું કે–“આપણાં શાસ્ત્રો-આપણો સાંસ્કૃતિક વારસો કથાકારો સરળ ભાષામાં લોકો સમક્ષ મૂકતા હોય છે. આ પ્રકારે કથાશ્રવણ દ્વારા આધ્યાત્મિકતાની તેઓ વધુ નજીક આવે છે. આધ્યાત્મિક જીવન અને વાસ્તવિક જીવન જુદાં નથી. બંને એકબીજામાં ઓતપ્રોત બને. વ્યક્તિ ગૃહસ્થીની સાથે જ આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધે તે દિશાસૂચન કથાકાર કરે છે.” કથાકાર સંમેલનમાં મહિલા કથાકારોની મોટી સંખ્ય સૂચવે છે કે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રે પણ મહિલાઓ પાછળ રહી નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy