SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પણ પંદર વર્ષની ઉંમરે કથા વાંચનમાં પ્રવેશ કર્યો...પોરબંદરના સ્વામીનારાયણ મંદિરમાં પહેલી કથાથી પ્રારંભ કર્યા બાદ ઠેરઠેરથી કથા નિમંત્રણ મળતાં રહ્યાં. તેમનો કથાપ્રેમ તો જુઓ! પોતે એસ.વાય. બી.એ.માં હતાં ત્યારે વાર્ષિક પરીક્ષા અને કથાનો કાર્યક્રમ એક સાથે આવેલ! હવે શું કરવું? મીરાબહેને પરીક્ષા જતી કરીને કથાની મિતિ સાચવી લીધી! શ્રીમદ્ ભાગવત, રામાયણ અને પછી શિવપુરાણના પણ કથાકાર મીરાબહેન વ્યાસપીઠ પર બિરાજમાન હોય ત્યારે સાડી પહેરે પરંતુ ઘેર હોય ત્યારે ડ્રેસ પહેરે તેથી તેમના પ્રત્યે લોકોના આદરમાં ઓટ આવી નથી. સૌરાષ્ટ્રમાં કથાકાર તરીકે નોંધપાત્ર નામના મેળવનાર હજી તો સત્તાવીશ વર્ષનાં મીરાબહેનને એટલો બધો આદર મળ્યો છે કે જે તેમને મૂંઝવણમાં મૂકનારો બની રહે છે. ફિલ્મ, ટી.વી.નો શોખ નથી પણ સંગીત અને ફ્રી હેન્ડ ડ્રોઈંગનો તેમને શોખ છે, નિયમિત અનુષ્ઠાનમાં રુચિ છે, ગુજરાત, મુંબઈ ઉપરાંત ભારતના અન્ય ભાગોમાં કથાકાર તરીકે જઈ આવ્યા છે ને જરૂર જણાયે હિંદીમાં પણ કથા કહે છે. રમાબહેન હરિયાણી મહિલા કથાકાર તરીકે અમરેલી વિસ્તારમાં બહુ મોખરાનું નામ એટલે રમાબહેન હરિયાણી. ‘હરિયાણી’ શબ્દ સાંભળતા વેંત જ પૂજ્ય મુરારીબાપુનું નામ યાદ આવે એટલે સ્પષ્ટતા કરી લઈએ કે રમાબહેન વૈષ્ણવ પરિવારમાંથી નહીં પરંતુ લોહાણા પરિવારમાંથી આવે છે, તેમનો જન્મ ૧૯૪૧માં વરસડા-અમરેલીમાં થયો હતો પરંતુ પોતે વર્ષોથી જયપુર (રાજસ્થાન)માં વસે છે. કેમકે તેમના પિતાશ્રી પુરુષોત્તમભાઈ હરિયાણી ધંધાર્થે પચીસ-ત્રીસ વર્ષ પહેલાં જયપુર આવેલા. ગુજરાત જેમને ક્યારેય વિસરી નહીં શકે એવા સેવા, ભક્તિ અને અન્નદાનના માર્ગદર્શક, દુઃખિયાઓના બેલી અને આપત્તિ, દુષ્કાળ કે વાવાઝોડાં વખતે મદદે પહોંચી જનાર બ્રહ્મલીન રણછોડદાસજી મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવા સદ્ભાવી થનાર રમાબહેન તેમના પિતાશ્રીને કારણે સદ્ગુરુજી રણછોડદાસ મહારાજના સંપર્કમાં આવ્યાં અને સેવા કાર્યોમાં ભાગ લેતાં થયાં... પિતાશ્રી પુરુષોત્તમભાઈના આગ્રહથી રમાબહેનના ગામ વરસડા-માં પૂ. રણછોડદાસજી પધાર્યા હતા.....આ વાતને પણ આજે તો ૫૯ વર્ષ થયાં પરંતુ પૂ. મહારાજે કહ્યા પ્રમાણે ત્યાં Jain Education Intemational ૨૩૩ હનુમાનજીની દેરીએ દરરોજ અર્ધો કલાક ધૂન અને ધાર્મિક વાંચન થાય છે! આ જ સ્થળે આધ્યાત્મિકતા પાંગરી અને રમાબહેનની કથા પછી પૂ. રણછોડદાસજીનું મંદિર અને આશ્રમ બન્યાં. રમાબહેને પૂ. શ્રી મોરારીબાપુની કથા શ્રવણનો લાભ દસ વર્ષ સુધી પ્રાપ્ત કર્યો છે, તેમની કથામાં અચૂક જનારા રમાબહેનને ૧૯૯૦ થી નવો વળાંક મળ્યો. વરસડાના ગામલોકોના આગ્રહથી રમાબહેને રામકથાનો આરંભ કર્યો વતનથી! પોતે ૧૧૧ કથાની ટેક લીધી અને તેય સને ૨૦૦૦ ની સહસ્રાબ્દીના અંત સુધીમાં પૂરી થઈ ગઈ. સાધ્વીજીવન ગાળતાં રમાબહેન કથા કરવા માટે પૈસા લેતાં નથી છતાં મળે તો જે તે સંસ્થાને દાનમાં આપી દે છે! પૂ. કાલિન્દીબેટીજી વૈષ્ણવ-પુષ્ટિમાર્ગી સંપ્રદાયના કથાકાર કાલિન્દીબેટીજી છેલ્લાં પંદર વર્ષથી કથા કરે છે. પરંતુ પ્રવચન તો તે પૂર્વેથી કરતાં આવ્યાં છે. અમદાવાદની હવેલીના વડા વ્રજરાયજી મહારાજનાં તેઓશ્રી સગપણદાવે ભત્રીજી થાય અથવા હજી વધુ કહેવું હોય તો કહી શકાય કે પુષ્ટિમાર્ગ પ્રવર્તક પ.પૂ. વલ્લભાચાર્યજીની સોળમી પેઢીએ પૂ. ઇંદિરાબેટીજી થાય છે, તેમનાં ભત્રીજી એવા કાલિન્દીબેટીજીનાં જીવનને વળાંક મળવા પાછળની એક ઘટના એવી રહી છે કે પોતે પોતાની મરજી પ્રમાણે લગ્ન કરીને અમદાવાદ આવ્યાં પરંતુ મનની ભીતરમાં સંતાપ–ઉદ્વેગ રહેતો હતો, તેના ઉપાય તરીકે ભક્તિ-ધ્યાનનું શરણ સ્વીકાર્યું, પૂ. (કાકા) શ્રી વ્રજરાયજીએ માર્ગદર્શન અને આધ્યાત્મિક શિક્ષણનું ભાથું બંધાવ્યું એટલે પ્રવચન તરફ વળ્યાં, જ્યારે કથાકાર બનવા માટે પૂ. ઇન્દિરાબેટીજી પાસેથી પ્રેરણા અને આશીર્વાદ સાંપડ્યા. પૂ. કાલિન્દીબેટીજી શ્રીમદ્ ભાગવતજી ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના જાણીતા સ્તોત્ર ‘મધુરાષ્ટક' પર કથા કરે છે. ૧૯૯૯-૨૦૦૦ના બે વર્ષના ગાળામાં જ તેમની ૬૫ થી વધુ સપ્તાહો શ્રોતાજનોની ખીચોખીચ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થઈ હતી. ‘કથાકાર તરીકે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ સફળ નીવડી શકે એવી માન્યતા ધરાવતા કાલિન્દીબેટીજી કથા સમયે ગુરુ વલ્લભાચાર્યજીની ઉપસ્થિતિની અનુભૂતિ કરતા હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy