SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રજ્ઞાપુરાણ'ના કથાકારરશ્મિકાબહેન પટેલ (ડભોઈ) ગુજરાતમાં જે જૂજ મહિલા કથાકારો પ્રજ્ઞાપુરાણ' ની કથા કહે છે તેમાં હાલ ડભોઈ નિવાસી રશ્મિકાબહેન ભરતભાઈ પટેલનું નામ મોખરે છે. પ્રશ્ન થશે કે ‘પ્રજ્ઞાપુરાણ’ શું છે? વ્યાસ ભગવાનકૃત ૧૮ પુરાણો તથા અન્ય એટલાં જ ઉપપુરાણોથી સામાન્ય રીતે આમ જનતા પરિચિત છે. પ્રજ્ઞાપુરાણ’ના લેખક પ.પૂ. ગુરુદેવ શ્રી પં. શ્રીરામ શર્મા આચાર્ય છે, આ પુરાણની રચના પૌરાણિક ઢબે–સંસ્કૃત શ્લોકોમાં કરેલી છે ત્યારબાદ હિંદી-પ્રાદેશિક ભાષામાં વ્યાખ્યા અને વિવિધ દૃષ્ટાંતો-પ્રસંગો આપેલાં હોય છે—“આ પ્રજ્ઞાપુરાણમાં ભૂતકાળનાં ઉદાહરણોથી ભવિષ્યના સર્જનની શક્યતાની વાત ગળે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે...' લોકમાનસને શ્રેષ્ઠતા તરફ લઈ જાય એવી રચના ધરાવતા પ્રજ્ઞાપુરાણને પણ કથા-અનુષ્ઠાન, વિધિ તથા ચોક્કસ આયોજન હોય છે. ‘પ્રજ્ઞાપુરાણ'ની ૯૯ કથા પૂરી કરનારા ગ્રેજ્યુએટ રશ્મિકાબહેનો ૧૦૮ કથાનો સંકલ્પ છે જે ‘શાંતિકુંજહરિદ્વાર'માં થશે! તેમનો જન્મ ૪૦ વર્ષ પહેલાં છાપુરા (મોતીપુરા)માં પટેલ પરિવારમાં થયો હતો. મહેન્દ્રભાઈ ભગતના પ્રત્યક્ષ પ્રોત્સાહન તથા પ.પૂ. ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીની સૂક્ષ્મ પ્રેરણાથી તેઓ પ્રજ્ઞાપુરાણ'ના પ્રભાવી કથાકાર બની શક્યાં છે, તેમની પહેલી કથા તારાપુર (તા. પાવીજેતપુર) ગામે થયા બાદ વડોદરામાં-૮, અમદાવાદમાં ૯, ગુજરાત-સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ભારતના વિવિધ પ્રદેશો બેલગાંવ (કર્ણાટક), દહીંસર (મહારાષ્ટ્ર), મસ્તિચ(બિહાર), વગેરે સ્થળે થયેલ છે. ‘પ્રજ્ઞાપુરાણ’ ની ગુજરાતી તથા હિંદી બંને ભાષામાં સંગીતમય કથા કરતાં રશ્મિકાબહેન કથાને જીવનઘડતરનું સાધન માને છે ઃ સમાજના દુરાચારને દૂર કરવા અને મનુષ્યજીવન ગૌરવ વધારવાના પ્રસંગોની ગૂંથણી, આત્મા એ પરમાત્માનો અંશ હોવાથી પામરતાવિહીન જીવનની પ્રેરણા, જીવનની વિવિધ પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી દેવમાનવ, ધર્મરક્ષક સપૂત કેમ બનવું? તેનો માર્ગ ચીંધતું ‘પ્રજ્ઞાપુરાણ’ ‘પ્રજ્ઞા’ ને જાગૃત કરનાર મહાપુરાણ, યુગપુરાણ છે, ભવરણમાં ભટકતા જીવ માટે ભોમિયો છે...... ‘પ્રજ્ઞાપુરાણ’ની કથા પહેલાં તેની પૂર્વતૈયારી માટે જ્યાં કથાનું આયોજન હોય ત્યાં સફાઈ, સૂત્રલેખન અભિયાન, Jain Education International પથપ્રદર્શક મંત્રલેખન અભિયાન, દીપયજ્ઞના માધ્યમથી વધુ લોકો સુધી સંદેશો પહોંચે તે રીતે વ્યવસ્થા સાથે મંડપ અને સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા હોય છે. રશ્મિકાબહેનને પતિદેવ ભરતભાઈ પટેલ, ડભોઈ ગાયત્રી પરિવારની બહેનોનો સહયોગ તો ખરો જ. તેઓ શરૂઆતમાં જ્યાં કથા હોય ત્યાંથી સંગીત સહાયકો સ્થાનિક રીતે મેળવી લેતાં પરંતુ ૧૦મી કથાથી મૂળજીભાઈ ભગત (ઢોલક) તથા રાયસીંગભાઈ ઠાકોરનો હાર્મોનિયમ માટે સહકાર સાંપડ્યો છે, ખંજરી-મંજીરાં જેવાં નાનાં સાધનો તો ગાયત્રી પરિવારની ગાયકવૃંદની બહેનો વગાડે છે. બચેલા સમયમાં માનવ ઉત્થાનની પ્રવૃત્તિ કરતાં રશ્મિકાબહેન મા ભગવતી પ્રજ્ઞાભવન'-ડભોઈમાં શિક્ષણવર્ગ, સંગીતવર્ગ, બાલસંસ્કાર કેન્દ્ર, દુર્ગાવાહિની, યુવતી કેન્દ્ર અને ‘સંસ્કાર’ ની પ્રક્રિયામાં ભાગ લઈ શકવાને પૂ. ગુરુદેવની કૃપા ગણે છે. (બાહ્ય) પરિચયને ‘શબ્દોની વણઝાર’ તરીકે ગણાવતા અને પૂ. ગુરુદેવ તથા વંદનીય માતાજી જેઓ ગાયત્રી પરિવાર મિશનના સૂત્રધાર છે તેમની પ્રેરણા સ્વયં સાધનાને માટે ઉપયોગી લેખાવતાં રશ્મિકાબહેનની દૃષ્ટિએ જીવન મહાન બને તે કરતાં અન્યને માટે પ્રેરણાદાયી તેમ જ ઉપયોગી બને તે જ સફળ જીવન છે. મીરાબહેન ભટ્ટ મૂળ પોરબંદરના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના પરંતુ પછીથી રાજકોટમાં આવીને કથાક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારાં મીરા ભટ્ટને કથાવાંચનનો વારસ ગળથૂથીમાં સાંપડ્યો છે તેમ બેધડક કહી શકાય. તેમના દાદા શ્રી શંકર મહારાજનું નામ એક વેળાએ કથાક્ષેત્રે હતું તો કાકાશ્રી અશોકભાઈ ભટ્ટે અને કનૈયાલાલ ભટ્ટે પણ કથાક્ષેત્રમાં ઝુકાવેલું છે અને પિતાશ્રી અરવિંદભાઈ ભટ્ટ પણ પચીસેક વર્ષ પૂર્વે પૂજ્યશ્રી મુરારીબાપુ સાથે રહેવાની તક ઝડપી લીધેલી કેમ કે તબલાં અને સંગીતનાં અન્ય વાદ્યોની જાણકારી હવે સંગીતમય કથાનાં અંગરૂપ ગણાય છે. સાચું કહીએ તો દાદા શંકરભાઈ ભટ્ટનો વારસો નાનપણથી જ મીરાબહેન ભટ્ટને મળવા લાગ્યો હતો. કથામાં દાદાની નજીક બેઠેલાં નાનકડાં મીરાબહેનને કથા પૂરી થાય ત્યારે ધૂન બોલાવવાનું દાદા કહે અને પછી તો સુમધુર-કર્ણપ્રિય અવાજનો પ્રભાવ શ્રોતાજનો ઉપર પ્રસરી જતો....પરિવાર કથા સાથે જોડાયેલું હોય એટલે પાઠ, અનુષ્ઠાન થતાં રહે...મીરાબહેને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy