SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કુ. ત્રિલોચનાજીની વિકાસયાત્રા પ્રેરક છે. તેમની ઉંમર માત્ર બે વર્ષની હતી ત્યારે જ પિતાશ્રી પુરુષોત્તમભાઈ પટેલનું અકાળે અવસાન થયું. વિધવા માતુશ્રી હીરાબહેન ભીષણ સંજોગોમાં ભાંગી પડવાને બદલે અડીખમ રહ્યાં. છોકરાંઓને માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ આપ્યો. ઘરના મોભીની કાયમી ગેરહાજરીમાં કુટુંબની પ્રતિષ્ઠા, ખેતર-ખોરડાં સાચવ્યાં. હનુમાનદાદા, પૂ. માતુશ્રી, મોટીબહેન-મનુબહેન અને પ.પૂ. મોરારીબાપુની પ્રેરણાથી ત્રિલોચનાજીએ પોતાની પહેલી રામકથા વતનભૂમિ ‘દાંદા’માં ૧૯૯૧ના વર્ષથી કરી....બસ! પછી રામકથા જ પરમ કર્તવ્ય બની રહી. કથામાં તેમનો મુખ્ય ઝોક (ભાર) યુવાવર્ગ પર હોય છે. અભણ શ્રોતાઓથી માંડીને ભણેલા-ગણેલા શ્રોતાઓને પણ તેમની કથાશૈલી જકડી રાખે છે. ‘સ્વાન્તઃ સુખાય' ની ભાવનાથી રામકથામાં શ્રોતાઓને સ્નાન કરાવે છે ત્યારે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ઓર ખીલી ઊઠે છે. તેમની વાણીમાં ભાષાની ભભક કે પાંડિત્યની કૃત્રિમતા નથી. છતાં શ્રોતાઓને ક્યારે હસાવવા, ક્યારે રડાવવા? જીવનઘડતરનો સંદેશો તેમનાં હૃદય સુધી પહોંચાડવા સીધી-સાદી, સરળ ભાષામાં ચિંતનકણિકાઓની ફૂલગૂંથણી સહિત પહોંચાડવાની કલા તેમને સાધ્ય છે જે વખતે સાથેના સંગીતવૃંદ–નિરાંત કલાવૃંદના વેડચાવાળા મારૂ બંધુઓનો સહયોગ, દૂહા-છંદ-ચોપાઈ-લોકગીતો-ભજનો વગેરેની રજૂઆત વખતે આવશ્યકતા પ્રમાણે સ્વીકારે છે એટલે સંગીતમય રામકથા સાર્થક બને છે. સુ.શ્રી ત્રિલોચનાજી જ્યાં સમૂહલગ્નો-જ્ઞાતિ સંમેલનમાં શુભેચ્છા મુલાકાત વખતે સમાજ સુધારણાની ટકોર કરે ખરા! મંદિર શિલાન્યાસ-પ્રાણ પ્રતિષ્ઠા, મહિલાઓની અને વિદ્યાર્થીઓની શિબિરો, દત્તયાગ, સ્વાધ્યાયપ્રવૃતિ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો વખતે તેમની ઉપસ્થિતિ પ્રેરક બની રહે છે. રામકથામાં વ્યસનમુક્તિ અને દહેજ વિરોધી વક્તવ્ય નવી પેઢીને સ્પર્શી જાય છે. ચા-બીડી-ગુટખા-દારૂ વગેરેના ત્યાગનો સંકલ્પ યુવાનો આશ્ચર્યકારક રીતે ટાટ કરે છે. રામકથા સિવાયનો બાકીનો સમય એકાંતમાં, વાંચન-મનન-ચિંતનમાં ગાળતા ત્રિલોચના વર્તમાન સમસ્યાઓના ઉકેલ તરીકે રામાયણ, ભાગવત, ગીતાજીને ભિકતભાવથી માને છે, જેની શ્રોતાઓને પ્રતીતિ થાય છે. તેઓ માનવ ઉત્થાનની પ્રવૃત્તિઓ ‘શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ' (દાંદા) દ્વારા કરી રહ્યાં છે. તેમની રામગુણગાથા વિષયક ‘અમૃતકુંભ’ (ગુજ.માં ૬ આવૃત્તિ) અને હિંદીમાં પ્રથમ આવૃત્તિનું સંપાદન સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. Jain Education International ૨૩૧ પૂ. ગીતાબહેન રામાયણી સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં કથાક્ષેત્રે એવું જ બીજું ગાજતું અને ગૂંજતું નામ છે ગીતાબહેનનું! અમરેલીના ભોજલપરામાં પિતાશ્રી ખીમજીબાઈ સાંગાણીના લેઉવા પટેલ પરિવારમાં જન્મેલાં ગીતાબહેનની મૂળ અટક ‘સાંગાણી' ને બદલે ‘રામાયણી' બની ગઈ છે! પરિવારમાં ક્રમની દૃષ્ટિએ પાનબીડીની દુકાન ધરાવતા પિતાશ્રીના ઘરમાં સૌથી નાનાં ગીતાબહેન. તેમનાથી ત્રણ ભાઈઓ અને એક બહેન મોટાં છે. એક વખત પોતાના માતાપિતા સાથે ગિરનારની લીલી પરિક્રમા કરવા ગયેલાં ત્યારે ભવનાથની તળેટીમાં ત્રિલોકનાથજી બાપુના આશ્રમમાં ઉતારો મળ્યો. બાપુના પરિચયના પગલે પગલે પોતે ધર્મમય બનતા ગયાં. ગીતાબહેનને પોતાના ઘેર પરત આવવાની ઇચ્છા જ ન થઈ પણ ત્રિલોકનાથજી બાપુનો આદેશ થયો એટલે ઘરની વાટ પકડી પરંતુ ૧૯૯૩માં ગુરુ ત્રિલોકનાથજીએ જીવનલીલા સંકેલી લીધી ત્યારે ગીતાબહેને ધાર્મિક જીવન ગાળવાનો સંકલ્પ લઈ લીધો, એ માટે આશ્રમ સ્થાપવાનું પણ નક્કી કર્યું ત્યારે તેમના પિતાનો સૂર જુદો પડ્યો—‘સંસારમાં રહીને ધર્મ-ધ્યાન ને કથાવાર્તા ક્યાં નથી થતાં?' આમાંથી ગીતાબહેન સાથે તો ઠીક પણ કુટુંબના અન્ય સભ્યોમાં પણ મતભેદ થયો, જો કે ગીતાબહેન તો પોતાના નિર્ણયમાં અડગ રહ્યાં, પિતાથી અલગ થયાં અને અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ધારી રોડ પર આશ્રમ સ્થાપ્યો. જે ભલે નાનો હોય પણ ‘તુલસી નિકેતન આશ્રમ' તરીકે જાણીતો બન્યો છે. જ્યાં તે અરસામાં તેમના પરિવારમાંથી તેમનાં માતા અને એક ભાઈ આશ્રમમાં સાથે આવી ગયાં હતાં. ગીતાબહેન રામાયણી સફેદ સાડી અને ભગવી શાલ પરિધાન કરીને માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે પણ સાધ્વી જીવન ગાળે છે. તેમની કથાઓ રાજસ્થાનમાં પણ થઈ ચૂકી છે, ૧૯૯૫માં સત્તર વર્ષની ઉંમરે તેમના જીવનની સૌથી પહેલી કથાનો પ્રારંભ ગુરુશ્રી ત્રિલોકનાથજીના ચિતલ ખાતેના આશ્રમથી કર્યો અને પછી સાત વર્ષમાં એટલે કે પોતાની બાવીસ વર્ષની વયે ૬૫ કથાઓનું અમૃતપાન કરાવેલું. રામાયણ ઉપરાંત શિવપુરાણ, શ્રીમદ્ ભાગવત અને દેવી ભાગવતમાં પણ કથાક્ષેત્રે જમાવટ કરનાર ગીતાબહેન ‘તુલસી નિકેતન આશ્રમ'નો વિકાસ થઈને ત્યાં વિરાટ ગીતામંદિર સ્થપાય એવી ઇચ્છા સંકલ્પસિદ્ધિમાં પરિવર્તિત કરશે જ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy