SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સોસાયટી, મધુવન પાર્ટી પ્લોટ સામે, વાસણા, અમદાવાદ), નીલેશ્વરીબહેન જે. ઠક્કર (વડોદરા), કુ. નારાયણીબહેન પંડ્યા (શેષ નારાયણ મંદિર, ત્રિવેણીની વાડી પાસે, રાજપીપળા), પ્રભુતાબહેન જાની (એ-૧ક્ર૬, બીજે માળે, તીનમૂર્તિ સોસાયટી, આર.વી. રોડ, વડોદરા) સંન્યાસિની આત્માનંદજી ગુરુ શ્રી કૃષ્ણાનંદજી (સત્સંગ આશ્રમ, ભચાઉ-કચ્છ), - સરિતાબહેન એચ. ઉપાધ્યાય (ઉમિયાકૃપા, પૂનિતનગર૨, શેરી નં. ૪, રાજકોટ-૬), વંદનાબહેન દલપતભારથી ગોસ્વામી (શ્યામવંદનાલય, શામજીનગર સોસાયટી, હાઈવે રોડ, મુ. પો. ઉંડવા, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), પૂ. શ્રી સ્વામિની ઓંકારાનંદ (‘યોગાશ્રમ', અતુલ ટાઈલ્સ સામે, આઈ.ટી.આઈ. કોલેજ પાસે, ઉતરસંડા, જિ. ખેડા), સુપ્રસિદ્ધ કથાકાર પ. પૂ. શ્રી ઇન્દિરાબેટીજી (વડોદરા). સૌથી પ્રસિદ્ધ મહિલા કથાકારો પૈકીનાં એક અને લગભગ ૬૫ વર્ષના ૫.૫. ઇન્દિરાબેટીજી વૈષ્ણવ સંપ્રદાયનાં છે એટલું જ નહીં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીના સોળમી પેઢીએ સીધા વંશજ થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીવડોદરામાંથી સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા બાદ બનારસમાંથી “સર્વદર્શન' વિષયના અધ્યયન થકી “આચાર્ય” ની પદવી પ્રાપ્ત કરી. “શ્રીમદ્ ભાગવત’ પર ૧૯૭૧માં કથાનો પ્રારંભ કર્યો જો કે તે પૂર્વે માત્ર બાર વર્ષની ઉંમરે નિર્ભયતાથી પ્રવચન આપેલું! આજે પણ તેઓશ્રી શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉપનિષદ અને વિશ્વવંદ્ય શ્રી વલ્લભાચાર્યજીની વિચારધારાને પુષ્ટિ આપતાં પ્રવચનો આપે છે. કથાકાર બનતા પહેલાં પોતપોતાના વિષયની વિદ્વત્તા કથાકારે પ્રાપ્ત કરવી જોઈએ જેથી તેમના શબ્દોને અનુસરનારા ભાવિકોને ગુમરાહ થવાનો વખત ન આવે. સ્ત્રીઓમાં સમજાવટનો જન્મજાત ગુણ હોવાથી તેઓ પુરુષો જેટલી અથવા તો વધુ સારી કથાકાર બની શકે છે એવો અભિપ્રાય ધરાવતા પ.પૂ. શ્રી ઇન્દિરાબેટીજી મહિલા કથાકારોની સંખ્યામાં વૃદ્ધિ જોઈને પ્રસન્નતા દાખવે છે. પથપ્રદર્શક પ.પૂ. શ્રી ઇન્દિરાબેટીજી ભારતના વિવિધ ભાગો ઉપરાંત અમેરિકા, ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોમાં કથા કાજે ઘૂમી વળ્યા છે. તેઓશ્રીએ પ.પૂ. વલ્લભાચાર્યજીની જંબુસરની પાસેની ડાભા ખાતેની અપ્રકટ બેઠક પ્રકાશિત કરેલી છે. અહીં તથા વડોદરામાં સેવાપ્રવૃત્તિ ચલાવતાં પ.પૂ. ઇન્દિરાબેટીજીનું ત્રીજું પાસું છે સાહિત્યકાર તરીકેનું ! “શ્રાવણી–શામકિંકર'ના ઉપનામથી તેમણે “મોગરાનો સ્વાદ', સાંવરીયા કી શેઠની’ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત “ક્રિષ્નાને કરવું હોય તે કરે’ અને ‘ગોપીગીત’ નું પણ પ્રકાશન કર્યું છે. પૂ. મા ગીતા ભારતીજી (અમદાવાદ) મનુષ્યના સર્વાગી વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિમાં રત એવાં પૂજ્ય મા “ગીતા ભારતી’ ખરું નામ ભૂલાઈ ગયું છે પરંતુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ માનનીય શ્રી રાજેન્દ્રબાબુએ તેમને આપેલો ઇલ્કાબ જ નામમાં ફેરવાઈ ગયો. “ઈશ્વરનું નામ લેવામાં કે કથા કરવામાં વળી સ્ત્રી-પુરુષના ભેદ શું? ઈશ્વર આગળ સૌ સમાન” એવું માનતાં મા ગીતા ભારતીજીનો જન્મ દિલ્હીમાં થયો તે પહેલાં જ તેમના માતાપિતા પાસે નેપાળના ગુરુ હરિહરાનંદજીએ માગી લીધેલા. આઠમાં વર્ષે તો પ્રવચનનો પ્રારંભ થયો પછી તો વેદ, ઉપનિષદ, ગીતા પર સંખ્યાબંધ પ્રવચનો દેશ-વિદેશમાં કર્યાં. સાધુ-સંન્યાસીઓમાં આચાર્ય પછીના ક્રમની પદવી “મહામંડલેશ્વરી’ તેમણે પ્રાપ્ત કરી છે. ૧૯૭૭માં એલિસબ્રિજ-અમદાવાદ ખાતે મંદિર બંધાવ્યું. ત્યારે સાબરમતીના કિનારે લઘુકુંભ મેળાનું આયોજન થયું હતું. દેશવિદેશમાં રામકથાને રેલાવનાર શ્રદ્ધેય ત્રિલોચનાજી દેશ-વિદેશમાં રામાયણનો સંદેશો પહોંચાડનાર મહિલા કથાકાર કુ. ત્રિલોચનાજીનો પરિચય થોડીક લીટીઓમાં આપવો અઘરો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના “દાદા’ ગામના વતની કુ. ત્રિલોચનાજીએ (મુખ્યત્વે ગુજરાતી-હિંદીમાં તુલસીકૃત રામાયણની) ૧૧૯ વાર કથાનું રસપાન કરાવવા ઉપરાંત તેમની સંગીતમય રામકથા, ધાર્મિક પ્રવચનો, સંસ્કૃતિ, પ્રચાર-પ્રસારનો લાભ દૂર વિદેશમાં–મોમ્બાસા, કીસી, લુસાકા, ઝાંબિયા, લિવિંસ્ટનને સને ૨૦૦૦માં અને મોરેશિયસને સને ૨૦૦૨માં મળ્યો છે તે નોંધપાત્ર બાબત છે. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની પ્રિય ભૂમિ “માલસર'માંથી “શ્રીમદ્ ભાગવતકથા'નો પણ પ્રારંભ કર્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy