SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ૧૦મી સદીમાં અરબસ્તાનમાં ભારતીય ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર શેઠ શ્રી ખેતાભાઈ અને ગાંગજીભાઈ (જામનગર) સૌરાષ્ટ્રમાં આવેલા જામનગરના લુહાણા પરિવારના પ્રસિદ્ધ વેપારી શ્રી ખેતાભાઈ અને શ્રી ગાંગજીભાઈ, ઇ.સ. ની ૧૭ મી સદીના પ્રારંભથી જ અરબસ્તાન સાથે વેપારી સંબંધો ધરાવતા હતા. ગાંગજીભાઈ જામનગરમાં જ રહીને અરબસ્તાન સાથે લાખોનો વેપાર કરતા હતા. અને વેપાર-વ્યવહાર માટે અવારનવાર અરબસ્તાન જતા હતા. અરબસ્તાનમાં બસરા વગેરે બંદરે તેમની અનેક દૂકાનો ચાલતી હતી. જ્યારે તેમના નાનાભાઈ ખેતાભાઈ અરબસ્તાનમાં ઇરાકના બસરા મુકામે સ્થિર રહીને ધમધોકાર વેપાર ચલાવતા હતા. તેઓ અરબસ્તાનમાંથી ઘણું ધન કમાયા હતા. એ બન્ને ભાઈઓની બંધુબેલડી લગભગ ૨૫, ૨૫ વર્ષોથી વેપાર કરતાં કરતાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સુવાસ, અરબસ્તાનની ધરતી પર ફેલાવી રહ્યા હતા. ઇ.સ. ૧૬૨૨ માં શ્રી ગાંગજીભાઈએ જામનગરમાં જ સ્થપાયેલા પ્રણામી ધર્મના આદ્યસ્થાપક, નિજાનંદાચાર્ય શ્રી દેવચંદજી મહારાજના શિષ્ય બનીને પ્રણામી ધર્મની દીક્ષા લીધી. ત્યારથી તેઓ તથા તેમના પરિવારજનો પ્રણામીધર્મના પ્રચાર-પ્રસારમાં લાગી ગયા હતા. જ્યારે ખેતાભાઈ અરબસ્તાનમાં વેપારી કાર્યોમાં વ્યસ્ત રહ્યા હતા. પ્રણામી ધર્મના સિદ્ધાંતો પ્રમાણે પોતાના જીવનને સાર્થક બનાવવા માટે ગાંગજીભાઈ ધર્મના ચિંતનમાં મગ્ન રહેતા. તેમની ઇચ્છા ખેતાભાઈને પણ દુન્યવી પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરીને ધર્મકાર્યોમાં પ્રવૃત્ત કરવાની હતી. પરંતુ કુદરતને તે માન્ય નહિ હોય તેમ એ જ અરસામાં ઇ.સ. ૧૬૨૬ માં બસરામાં જ ખેતાભાઈનું નિધન થયું. તેમણે પણ અરબસ્તાનમાં લાંબા સમયના વસવાટ દરમ્યાન ભારતીય સંસ્કૃતિની સુગંધ અરબસ્તાનમાં ફેલાવી હતી. શેઠ શ્રી માવજીભાઈ લુહાણાઃ શેઠ શ્રી માવજીભાઈ લુહાણા, જામનગર રાજ્યના દીવાન કેશવરાય ઠાકુરના સંબંધી થતા હતા. તેઓ પણ ઇ.સ. ની ૧૭ સદીના બીજા દાયકાથી અરબસ્તાનના ઓમાનના મસ્કત બંદરે વેપાર કરતા હતા. તેઓ પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ Jain Education International પથપ્રદર્શક શ્રી પ્રાણનાથજીના શિષ્ય હતા. વિ.સં. ૧૭૨૭-૨૮ માં મહામતિજી મસ્કત બંદરે ગયા ત્યારે તેઓ શેઠશ્રી માવજીભાઈને ત્યાં ઉતર્યા હતા. માવજીભાઈએ પોતાને ઘેર જ મહામતિજીને ધર્મ પ્રચાર તથા સતસંગ માટે સભાઓ ભરવાની સગવડ કરી આપી આવીને હતી. તેમની સભાઓમાં અનેક સ્ત્રી-પુરુષો આત્મજાગૃતિનો લાભ મેળવતા હતા. આમ માવજીભાઈએ પણ મસ્કત બંદરે વેપાર કરતાં કરતાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કાર્યમાં યત્કિંચિત યોગદાન આપ્યું હતું. શ્રી ભૈરવ શેઠ શ્રી ભૈરવ શેઠ પણ જામનગર રાજયના વતની અને લુહાણા જાતિના પ્રસિદ્ધ વેપારી હતા. તેઓ ઇ.સ.ની ૧૭ મી સદીના છઠ્ઠા-સાતમા દાયકા સુધીમાં તો મસ્કતથી ઉત્તરે આવેલા ઇરાનના પ્રસિદ્ધ શહેર અને બંદર અબ્બાસીમાં ધમધોકાર વેપાર કરતાં કરતાં લક્ષાધિપતિ લુહાણા વેપારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓ પોતાની ધન-સંપત્તિનો ઉપયોગ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ કરતા હતા. એ અરસામાં અરબસ્તાનના ચાંચિયાઓ, સૌરાષ્ટ્રના અનેક સ્ત્રી–પુરુષોને બંદીવાન બનાવીને અરબસ્તાન લઈ ગયા હતા. તે વાત ભૈરવ શેઠે જાણી. તેથી તેમણે ચાંચિયાઓને ૭૦ હજાર લહારી ભરપાઈ કરીને તમામ બંદીવાનોને છોડાવ્યા હતા. મહામતિ શ્રી પ્રાણનાથજી મસ્કતથી અબ્બાસી ગયા ત્યારે, ભૈરવ શેઠ તેમના શિષ્ય બન્યા હતા અને પોતાના ઘેર તેમને ઉતારો આપીને, ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના પ્રચાર માટેની સભાઓ ભરવાની વ્યવસ્થા પણ પોતાના ઘેર જ કરી આપી હતી. તેથી તેમના પટાંગણમાં પ્રણામી ધર્મના તત્ત્વજ્ઞાનને માણવા લોકોની ઠઠ જામતી હતી. ભૈરવ શેઠે પોતાના ઘેર ત્રણ-ચાર માસ સુધી મહામતિને રોકીને, અરબસ્તાનના લોકોને તથા અરબસ્તાનમાં વસતા ભારતીય પરિવારોને ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું રસપાન કરાવવામાં કિંમતી યોગદાન આપ્યું હતું. તે પછી ભૈરવ શેઠે વર્ષો સુધી તે પરંપરાને અરબસ્તાનમાં ચાલુ રાખી હતી. મહામતિ શ્રી પ્રાણનાથજી: પ્રણામી ધર્મમાં મહામતિ શ્રી પ્રાણનાથજી તરીકે સુપ્રસિદ્ધ શ્રી પ્રાણનાથજીનું મૂળ નામ શ્રી મેહેરાજ ઠાકુર હતું. તેમનો જન્મ જામનગર રાજયના શાસક, જામ જસાજીના પ્રસિદ્ધ દીવાન પિતા કેશવરાય ઠાકુર અને માતા ધનબાઈને ત્યાં ઇ.સ. ૧૬૧૮ ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જામનગર મુકામે થયો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy