SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વિદેશોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચારપ્રસાર કરતાણ ગુજરાતના પ્રણામી મનીષીઓ —ડૉ. મહેશચંદ્ર પંડયા ૨૨૧ પ્રાચીનકાળથી ગુજરાત ધર્મ તથા સંસ્કૃતિ ક્ષેત્રે વિશ્વકક્ષાએ વિશિષ્ઠ સ્થાન ધરાવે છે. તેમાં પણ ગુજરાતના વેપારીઓ તો દુનિયાભરના દેશોમાં વેપાર કરતા કરતા ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સોડમ ફેલાવતા રહ્યા છે. પ્રાચીન ગુજરાતનું સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો માત્ર ગુજરાતનાં જ નહિ પરંતુ ભારતનાં ધીકતાં બંદરો ગણાતાં હતાં. પરિણામે, વિશ્વના દેશોમાં ભારત સ્તંભતીર્થ (ખંભાત) ને નામે પ્રસિદ્ધ હતું. આથી પ્રાચીન ગુજરાતના વેપારીઓ દુનિયાના અનેક દેશોમાં પથરાયેલા હતા. તેમની સાથે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા ગુજરાતના સાધુ, સંતો આચાર્યો અને વિદ્વાનો પણ વિદેશોમાં જતા હતા. પ્રાચીન ગુજરાતની એ ગૌરવશાળી પરંપરા ૧૭ મી સદીથી શરૂ કરીને વર્તમાન કાળમાં આજદિન પર્યંત ગુજરાતના પ્રણામી મનીષીઓએ પણ ચાલુ રાખી છે. તેનું યત્કિંચિત આચમન કરવાનો અહીં મનોયત્ન છે. આ લેખમાળા રજૂ કરનાર પ્રણામીધર્મના મર્મજ્ઞ અને ઇતિહાસવિદ્ ડૉ. મહેશચંદ્ર પંડ્યા છે. ડૉ. પંડ્યા પ્રાધ્યાપક, સંશોધક અને કવિ તરીકે ગણાયા છે. પંચમહાલ જિલ્લાના બાકોર ગામે તેમનો જન્મ થયો. મોડાસાની વિનયન કોલેજમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના અનુસ્નાતક ઇતિહાસભવનમાં લેક્ચ૨૨, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ તરીકે ૩૪ વર્ષ સુધી ઇતિહાસ વિષયનું અધ્યાપન, સંશોધન કર્યું છે. અને પી.એચ.ડી. ના સંશોધકોના માર્ગદર્શક રહ્યા છે. હમણાંજ ધી અમેરિકન બાયોગ્રાફિક્સ ઇન્સ્ટીટયુટ ન્યૂ કેરોલીના અમેરિકાએ તેમની સંસ્થા ધી રીસર્ચ બોર્ડ એડવાઈઝર્સમાં એડવાઈઝર તરીકે ડૉ. પંડ્યાની નિમણુંક કરીને એક ગુજરાતી સંશોધક વિદ્વાનનાં કાર્યોની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે તે પણ ગૌરવ લેવા જેવી બાબત છે. ડૉ. પંડ્યાએ ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદના ઉપપ્રમુખ અને મંત્રીપદે લાંબોસમય સેવા આપી. ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી કલ્ચર સોસાયટી ન્યુ દિલ્હી, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસપરિષદ જૂનાગઢ દ્વારા તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા યોજાયેલા સેમીનારોમાં ૧૦૦ થી વધુ સંશોધનપેપર્સ રજૂ કર્યાં. તેમના કેટલાંક મહત્ત્વના સંશોધનલેખો કેટલાંક સામાયિકોમાં પણ પ્રગટ થયા છે. ઇતિહાસ, સમાજદર્શન અને ધર્મ સંબંધે તેમનાં વીસેક પુસ્તકો અને બે કાવ્યસંગ્રહોમાં ગૌરવ પ્રગટ થાય છે. સંશોધનક્ષેત્રે મેડલો, પારિતોષિકો, વિશિષ્ઠ સન્માનપત્રો મેળવીને તેઓ ઇતિહાસવિદ્ તરીકે સારૂં એવું માનપાન પામ્યા છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના પન્ના મુકામે તેમના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં સૌપ્રથમ પ્રણામીધર્મનું એક મ્યુઝીયમ આકાર પામ્યું છે. ડૉ. પંડ્યાસાહેબે જયહિંદ દૈનિકમાં ‘સમયનાં વહેતાં નીર' કોલમ દ્વારા તથા ગાંધીનગર સમાચારમાં આચમન કોલમ દ્વારા ચિંતનપ્રધાન લેખો દ્વારા સમય સાથે કદમ મિલાવવા સમાજને માર્ગદર્શન પૂરું પાડી શાણા સમાજની રચના અંગે અંગુલિ નિર્દેશ કર્યો છે. ડૉ. પંડ્યાનું ધાર્મિકક્ષેત્રે પણ લેખન, સંશોધન અને પ્રવચનો દ્વારા મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. શ્રી કૃષ્ણ પ્રણામી માનવ સેવા ટ્રસ્ટ ગાંધીનગર (પપ્રોઝડ)ના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી પદ્માવતીપુરી ધામના શ્રી ૧૦૮ પ્રાણનાથજી મંદિર પન્ના(મ.પ્ર.)ના ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી, વિશ્વ પ્રણામી પરિષદ ન્યુ દિલ્હીના પૂર્વ જનસંપર્ક સચિવ ડૉ. પંડ્યાએ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પ.બંગાળ, સિક્કિમ, નેપાળ વગેરે રાજ્યોમાં પ્રણામી ધર્મનાં મનનીય વ્યાખ્યાનો આપીને તથા પ્રણામી ધર્મ અને વિશ્વધર્મના ધર્મો પર પુસ્તકો લખીને તથા વીડીયો અને ઓડીયો કેસેટો (પોતાના કંઠે તૈયાર થયેલી)ના પ્રચાર દ્વારા તેઓ અચ્છા ધર્મ પ્રચારક અને ઉપદેશક તરીકે સન્માન પામ્યા છે. —સંપાદક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy