SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પ્રતિભાઓ હતા. જેથી આગમો અને આચાર્યોના બનાવેલા ગ્રંથો, ટીકાઓ, ભાષ્યો, ન્યાય અને દર્શનશાસ્ત્રની મીમાંસાના તેઓ નિષ્ણાત બને એવી ઇચ્છા હતી. જૈન ગુરુકુળ, જૈન બોર્ડિંગ વગેરેની પણ ખૂબ જરૂર છે. “જ્ઞાનદાન જેવું જગતમાં બીજું કોઈ દાન નથી. જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે.” એવી ભાવના તેઓ વ્યક્ત કરતા હતાં. તપસ્વીજીની અસાંપ્રદાયિકતા પ્રેરક હતી. પૂ. તપસ્વીજી સાંપ્રદાયિક જડતાના સખ્ત વિરોધી હતા. ગચ્છ, વાડા અને સંઘાડાનાં દૂષણો તેમણે ખુલ્લા પાડ્યા હતા. તેઓને સમજાયું કે વિચારો અને આચારોની વિભિન્નતા જ વિસંવાદનું મૂળ છે. એમાંથી ઊંચ-નીચના ખ્યાલ જન્મે છે અને વેરવૃત્તિ વિકસે છે. ગુણરાગને બદલે વ્યક્તિરાગ અને બાહ્યક્રિયાઓનો આડંબર ગૌરવપૂર્ણ સ્થાન લે છે. આચારે અહિંસા અને વિચારે અનેકાંત માત્ર બોલવા માટે નહીં આચારણમાં મૂકવા માટેનું અમર સૂત્ર છે. સાધુસમાજના દોષો અને શિથિલતા તરફ કટાક્ષ કરવામાં પણ કચાશ નહોતા રાખતા. તેઓ દર્શાવે છે. પૂ. તપસ્વીજી માત્ર સ્થાનકવાસી સમાજની એકતાના જ હિમાયતી ન હોતા. તેઓ તો આખા જૈન સમાજને આચારે અહિંસા અને વિચારે અનેકાંતનો ક્રિયાત્મક પાઠ ભણાવવા માગતા હતા. સમાજમાં એકતા સ્થાપવા અને સાંપ્રદાયિક વિસંવાદને દૂર કરવા તેમણે અજોડ પુરુષાર્થ કર્યો છે. સમાજોપયોગી ધર્મપોષક એમના કાર્યનું વાસ્તવિક મૂલ્યાંકન આજે કરી શકાય તેમ છે. પૂ. તપસ્વીજી માત્ર જૈનોના નહીં, સહુ કોઈના લાડીલા હતા. તેમના સત્સંગ અને સાન્નિધ્યનો લાભ લેનાર બધાને એમના પ્રત્યે અપાર મમત્વ અને પૂજ્યભાવ થતો હતો. એમના તપ અને ત્યાગ, જ્ઞાન નિષ્ઠા અને આત્મકલ્યાણની સર્વ કલ્યાણની ક્રાંતિકારક ભાવના, ઉપદેશશક્તિ અને સહિષ્ણુતા અજોડ હતી. એમના જ્ઞાનયજ્ઞનો, સેવાયજ્ઞનો, સાંપ્રદાયિક ઉદારતાનો, સહુ કોઈ લાભ લેતા હતા. એમની આવી વિરલ પ્રતિભાને લીધે જ બધા તેમના પ્રત્યે આકર્ષાતાં કાઠી દરબારો તથા નરેશોને પ્રતિબોધ આપી તેમને પોતાના તરફ આકર્ષ્યા હતા. જેતપુર દરબાર સ્વ. લક્ષ્મણવાળા સાહેબે જેતપુરમાં આવેલ પોતાના દરબાર -ગઢનાં મકાનને પૂ. શ્રીનાં ચરણોમાં જ્ઞાનયજ્ઞને પુષ્ટિ આપવા અર્પણ કરી દીધો હતો. પીઠડિયા દરબાર શ્રી મુળુવાળા પૂ. તપસ્વીજીને પોતાને ત્યાં ચાતુર્માસ કરાવે, શ્રાવકો ધર્મકરણી કરવા સદાને માટે મકાન કાઢી આપે, ઉપાશ્રય બંધાવી આપે, વડિયાનરેશ બાવાવાળા અને હડાળાનરેશ શ્રી વાજસુરવાળા તથા બિલખાના દરબારો પણ તેમની ત્યાગ અને લોકકલ્યાણની માંગલ્યકારક પ્રવૃત્તિમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. આ રીતે જૈન અને જૈનેતરો તથા એ સમયના રાજવીઓનો એકસરખો પૂજ્યભાવ પ્રાપ્ત કરી શકનાર પૂ. માણેકચંદજી મહારાજ જૈન સમાજનું અમૂલ્ય રત્ન છે. પૂ. તપસ્વીજીનો સંથારો–સમાધિમરણનો પ્રસંગ અભૂત હતો. જૈન શાસ્ત્રમાં સંલેખનાપૂર્વકના મૃત્યુને પંડિતમરણ કહ્યું છે. પૂ. શ્રીએ ૧૯૭૭નું ચોમાસું ગોંડલ પૂર્ણ કરી, વિહાર કર્યો, નાદુરસ્ત તબિયત હતી તેથી તોરી, વડિયા, થાણાગાલોલ થઈ થાણા ગાલોલથી ડોળીમાં જેતપુર પહોંચી ગયા. સં. ૧૯૭૮નું ચાતુર્માસ જેતપુર કર્યું. તબિયત વધારે બગડવા લાગી તેથી સં. ૧૯૭૯ કારતક વદ ૧૧૫ ના રોજ સંથારાના પચ્ચખાણ કર્યા. પૂ. શ્રીના સંથારાના સમાચાર વાયુવેગે આખા દેશમાં પહોંચી ગયા અને વિશાળ માનવમહેરામણ એમનાં દર્શન માટે ઊમટ્યો. સાધુ-સાધ્વી સમુદાય જ નહીં, રાજા રજવાડાઓ, અમલદાર વર્ગ, હિંદુ-મુસ્લિમ, ભાઈ-બહેનો, જૈન શ્રાવક-શ્રાવિકાઓ તપસ્વીશ્રીનાં દર્શન કરવા વખતોવખત આવવા લાગ્યાં. ૧૯ દિવસનો આ સંથારો જેતપુર માટે નહીં સમસ્ત જૈન સમાજ માટે જ નહીં, સહુ કોઈ માટે ધન્ય ધર્મ અવસર બની ગયો. સંવત ૧૯૭૯ માગસર સુદ ૧૫ને રવિવારે સંથારો સીજી ગયો. વડિયાના દરબાર શ્રી બાવાવાળા સાહેબની, જેતપુરમાં આવેલી મોઢવાડી નામની જગ્યામાં આ પુણ્યાત્માના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થાને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે તે સ્થાન આજે તો સહુ કોઈનું પરમ આરાધ્ય સ્થાન બની ગયેલ છે. જેતપુરમાં તે ભૂમિપર એક દિવ્ય અને સૌ કોઈને પ્રેરણા આપે તેવું ભવ્ય સ્મારક બની રહેલ છે. પૂ. તપસ્વીજીનો પુણ્યાત્મા અજર અને અમર છે અને એમની અમીવર્ષા આપણા સહુનું કલ્યાણ કરે છે અને કરશે એવી પરમ શ્રદ્ધા સાથે વંદન! પૂ. પ્રાણગુરુ : પ્રભાવક ધર્મ પુરુષ સૌરાષ્ટ્ર કેસરી પુજય પ્રાણલાલજી મહારાજ એક ઓજસ્વી તેજસ્વી પ્રભાવક ધર્મપુરુષ હતા. સોરઠના લાડીલા સંતની ધર્મ પ્રભાવના ઉત્કૃષ્ટ કોટીની હતી. ગુરુદેવ જય-માણેકની પાવન નિશ્રામાં સાધનાનું અનુપમ અમૃત પીને ખીલી ઉઠેલા એ યુગપુરુષની સૌરભ સારાયે કાઠિયાવાડમાં મહેંકી રહી હતી. વ્યાખ્યાનની લોકભોગ્ય શૈલી જૈન-જૈનેતરો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુનિના વાણી પ્રભાવ સાથે તેમના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy