SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ઇચ્છા મારવાડના જ્ઞાની સંતો પાસેથી જ્ઞાન મેળવવાની હતી. પૂ. દેવજીસ્વામી તથા સંઘની આજ્ઞા મુજબ તેઓએ મારવાડ વિહાર કર્યો અને પૂ. શેખરાખજી મ. સાહેબ તથા પૂ. ફકીરચંદજી મ. સાહેબ પાસેથી જ્ઞાનોપાર્જન કર્યું. પૂજ્યપાદ ફકીરચંદ મ. સાહેબ ઉપર તેમણે તેમની પ્રતિભા, જ્ઞાન, ચારિત્રનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, સરળતા અને મતિ સૂક્ષ્મતાની અજોડ છાપ પાડી હતી. પૂ. ફકીરચંદજી મ. સાહેબ કહેતા, “માણેકચંદ, તારા જેવા સુપાત્ર જ્ઞાનપિપાસુ શિષ્યને પામી હું કૃતકૃત્ય થયો છું. તારી વૈયાવચ્ચ સેવા અને પ્રતિભા આશ્ચર્ય પમાડે તેવાં છે. તારા જેવા શિષ્યને પામી તારા ગુરુ તો સદ્ભાગ્યશીલ બન્યા જ પણ હું પણ મારા ભાગ્યનો પ્રશંસુ છું. વીતરાગ વાણીનાં રહસ્યો સ્યાદવાદ શૈલીથી તું બરાબર સમજી પચાવજે અને વિસ્તારજે. મારા નાના શિષ્યોને તું ભણાવજે અને મારી હયાતી સુધી મારી પાસે જ રહી મારા હૃદયને સંપૂર્ણ સંતોષ આપજે.” જ્ઞાનદાતા ગુરુની આ મંગલભાવના અપૂર્ણ રહી જાય છે, સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનું આરોગ્ય સારું ન હોવાથી પૂ. માણેકચંદ મ. સાહેબને સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવો પડે છે. જ્ઞાનદાતા ગુરુએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. જ્ઞાનના સાધનરૂપ હસ્તલિખિત ગ્રંથો અને આગમોની અમૂલ્ય ભેટ આપી. ઉગ્નવિહાર કરીને પૂ. માણેકચંદજી મ.સા. સૌરાષ્ટ્રમાં પૂ. દેવજીસ્વામીનાં ચરણોમાં સાતાપૂર્વક આવી પહોંચ્યા અને તેઓની ઉત્તમ પ્રકારની સેવાનો પ્રારંભ થયો. વૈયાવચ્ચ સેવાની તેમની ભાવના અત્યંત ઉચ્ચ પ્રકારની હતી. સં. ૧૯૪૭નું ચાતુર્માસ ઉત્તમ રીતે ગુરુની નિશ્રામાં પૂર્ણ થયું પરંતુ સં. ૧૯૫૩નું ચાતુર્માસ ચિંતાજનક બની ગયું. ગુરુદેવની તબિયત ઉત્તરોત્તર વધુ ખરાબ થવા લાગી. પૂજ્ય તપસ્વીજીએ સેવાની આ અંતિમ તક છે તેમ સમજી સેવા અને શાસ્ત્રના સ્વાધ્યાયનો ભાર પૂરા ઉમંગથી ઉપાડી રહ્યા હતા. ગુરુદેવની પાસે ચોવીસે કલાક તેઓ ખડા પગે રહેતા હતા અને ઊભા ઊભા જ શાસ્ત્રનો સતત સ્વાધ્યાય કરી, અધ્યાત્મભાવ ઉદીપી કરતા હતા. એક પળનો આરામ પણ હરામ હતો. ગુરુદેવે આજસુધી વરસાવેલી કૃપા સુધાનો બદલોવાળી દેવા પૂરી શક્તિથી મચી પડ્યા હતા. બે માસ સુધી સતત માંદગી ભોગવી છતાં છેક સુધી શાંતિ, સ્થિરતા અને ચિત્તસમાધિ જળવાઈ રહી હતી. આખરે પૂ. ગુરુદેવે સંથારો સ્વીકાર્યો અને સં. ૧૯૫૪ માગસર સુદ ૧૩ના સમાધિમરણે સ્વર્ગે સીધાવ્યા. ગુરુદેવની ચિરવિદાય પૂ. તપસ્વીજન જીવનમાં સદા અંકિત રહી. ગુરુનો ઉપકાર કદી ભૂલ્યા નહીં. તેઓની સેવાભાવનાએ અનોખો ઇતિહાસ સાધ્યો છે. Jain Education Intemational પથપ્રદર્શક સેવાની ઉત્તમ ભાવના સાથે પૂ. તપસ્વીજીએ, પંચમહાવ્રતોને સફળ બનાવવા તપસાધનાને જીવનનો, સાધક જીવનનો સહજ કાર્યક્રમ બનાવી દીધો હતો. ત્યાગની એમની ઉત્કટ ભાવનાએ સમગ્ર જૈન મુનિઓમાં તેઓને અજોડ, ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને સમસ્ત જૈન સમાજ આજે પણ અપાર પૂજ્યભાવ અને વંદન સાથે સ્મરણ કરી, આશીર્વાદ યાચે છે. અપૂર્વ આત્મપુરુષાર્થ અને વૈરાગ્યમાંથી જન્મ પામતી તેમની અલૌકિક આત્મશક્તિને વંદન. તેઓના તપની મુખ્ય આકર્ષક વિગતો આ પ્રમાણે છે. તપસ્વીજી એક ક્રાંતિકારી યુગપુરુષ હતા. યુગપુરુષ પૂ. તપસ્વીજીના હૃદયમાં, વીરવાણીની સાચી સમજણ લોકોમાં વિકસે તે માટેનો અદમ્ય ઉત્સાહ હતો. ધર્મની શ્રદ્ધાવાળા એ યુગમાં લોકો બાહ્યક્રિયાકાંડોમાં રાચતા હતા. ક્રિયાઓ કરનાર ધાર્મિક વ્યક્તિ ગણાતી હતી. બાહ્ય ક્રિયાઓના બાહ્ય દેખાવો વધી પડ્યા હતા. જ્ઞાન સાથેનો સંબંધ ઘટવા લાગ્યો હતો. તેઓએ દર્શાવ્યું કે ભગવાન મહાવીરનો અનુયાયી વર્ગ જેમ શ્રી સંપન્ન છે. તેમ જ્ઞાન સંપન્ન થશે તો જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સચવાશે. અન્યથા આત્મકલ્યાણ માટેનો પરમપાવન વીતરાગ ધર્મ કાળે કરી અર્થપ્રધાન થઈ જશે. તેથી જ્ઞાનનો બહોળો પ્રચાર સમાજને ટકાવવા, નભાવવા અને જગાવવા માટે અનિવાર્ય છે. તેથી તેઓએ જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોનો જોરશોરથી પ્રચાર આરંભ્યો. ‘“જો મહાવીરના શાસનને ટકાવવું હોય તો જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનશાળાઓ ઊભી કર્યે જ છૂટકો છે.” તપસ્વીજીનાં જ્ઞાનોતેજક વ્યાખ્યાનો અને જ્ઞાનસાધનો એકત્ર કરી સાર્વજનિક હિતમાં તેનો ઉપયોગ કરવાની ભાવનાએ જેમ એક બાજુ અનુકૂળતા અને સ્વસ્થતા પાથરી તો બીજી બાજુ એક જાતનો ઉલ્કાપાત મચી ગયો. સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો. ઠેકઠેકાણે સાધુસંસ્થા, શ્રાવક સમુદાય અને ક્ષેત્રોમાં તડાં પડી ગયા. અમુક એમનાં કાર્યોનું સમર્થન કરવા લાગ્યાં તો બીજા એનો વિરોધ; પરંતુ તપસ્વીજીઓ પોતાનું ઉત્તમ કાર્ય ખૂબ સ્વસ્થતા અને ધીરજથી આગળ ધપાવ્યું. પુસ્તક ભંડાર સ્થાપવા, પુસ્તકો છપાવવાં, આગમ વાચનાને ગતિ આપવી, પુસ્તક વિના ધર્મ ચાલે તેમ નથી તેમ સમજીને તેઓએ નિરાશ્રિત જૈન પુસ્તક ભંડાર સ્થાપ્યો પણ પુસ્તક પરનો પોતાનો હક્ક મારાપણું છોડી દીધું. જૈનશાળા શ્રાવિકાશાળાઓ સ્થાપવાં, આ પાઠશાળાઓનું સંચાલન સુયોગ્ય વિદ્વાનો કરે એવી એમની આકાંક્ષા હતી. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા-પ્રાકૃત અને સંસ્કૃતમાં બોલતા, વાંચતા લખતા અને વિચારતા થાય એ જરૂરી છે એવું દૃઢપણે માનતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy