SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ નથી. ત્રણ મુસ્લિમ બિરાદરોની મેં પરવાનગી લીધી છે. આપને દુઃખ પહોંચતું હોય તો હું અહીં રહેવા ન ઇચ્છું, પરંતુ રાત્રિ દરમ્યાન અપકાય (સૂક્ષ્મ જીવો) વર્ષા થતી હોવાથી અને અન્ય નાના મોટા જીવોની વિરાધનાના સંભવને કારણે ભગવાન મહાવીરના ફરમાન મુજબ વિહાર ન કરી શકાય, તેથી બહાર એક વૃક્ષ નીચે રાત્રિ પસાર કરી લઈશ. પરંતુ હે દિવ્યાત્મા, આપની નેકી અને પરગજુપણાને કારણે આપ દેવગતિ પામ્યા છો. છતાં તમારી વાસના આવા ઇંટ માટી ચૂનાના તુચ્છ વિનાશી મકાનમાં કેમ ભટકે છે? શું આ મકાન કરતાં આપના દેવભવ ઓછા સારા છે? જેથી આપ આવી ક્ષુલ્લક તૃષ્ણામાં રાચો છો.? આ ક્રૂરતા–હિંસા આપની ભવ પરંપરા વધારી હીન ગતિ–દશાનું નિર્માણ કરશે.' પ્રશમરસમાં વહેતો મુનિવરની શાંત મધુરવાણીનો પ્રવાહ આગળ વધ્યો. “હે પવિત્રઆત્મા, રોષ છોડી શાંત બનો, ભાવિ જીવનને સુધારી લો, શાંતિ, સમાધિ, સમતા ધરી લો.’ મુનિવરની મીઠી, ધાર્મિક, મધુર છતાં નિર્ભીક અને ભાષાસંમિતિયુક્ત પ્રેરકવાણી સાંભળી યક્ષ પ્રસન્ન થયો. તામસ યક્ષાતનમાં પ્રકાશ ફેલાયો. દરિયાખાન પીરનો દિવ્યાત્મા નિજસ્વરૂપી વૈક્રિય દેહે સૌમ્ય સ્વરૂપે હાજર થયો. મુનિએ કેટલોક સમય ઉપદેશ આપતું પ્રેરક સંબોધન કર્યું. યક્ષનું હૃદયપરિવર્તન થતાં બોલ્યો, “હે ધીર મુનિવર, મારી વાસનાનો ત્યાગ કરું છું. જ્યારે તક આપશો ત્યારે આપની સેવામાં ઉપસ્થિત રહીશ. સર્વથા આપનો જય હો, વિજય હો.......' અહીં ઉપાશ્રયમાં, શિવજીગુરુ ચિંતાતુર હતા. કર્મઠ મુનિને પીરના યક્ષાયતમાં રાતવાસાની આકરી કસોટી કરવા મોકલ્યા બદલ પોતાની મતિને અવિચારી ગણી અરિહંત પ્રભુને પ્રાર્થના કરતા હતા. જનસમૂહને ખબર પડતાં માનવમેદની યક્ષાતનમાં એકઠી થઈ. મુનિ ધર્મસિંહે રાત્રિની ઘટનાનું વૃત્તાંત કહી આ સ્થળ વસાહત માટે સુરક્ષિત અને યોગ્ય બનેલ છે તેની વાત કહી. લોકો ધર્મસિંહજીના જયકાર, પૂ. શિવગુરુના જયકારના નાદ સાથે મુનિ સાથે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુજીએ સફળતા બદલ આશીર્વાદ આપ્યા. મુનિ સુંદરજી, મોહનજી, ભીખાજી વગેરે સોળ સાધુએ ધર્મસિંહજી સાથે જવાની આજ્ઞા માગી. Jain Education International ૨૦૫ દરિયાપુરના તોતિંગ દરવાજાની કેટલીક ઓરડીઓમાં મુનિઓએ વાસ કર્યો, અહીંથી જ જનસમૂહને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. સુલતાનના કારભારી દલપતરાય શાહે મુનિ ધર્મસિંહજીને રહેવા માટે અનુજ્ઞા આપી. ચોકીદારે તેનું ડહેલું આપ્યું. આ જોડિયા મકાનોમાં છીપાપોળનો ઉપાશ્રય બન્યો. આ ગચ્છ દરિયાપુર આઠ કોટિ સ્થાનકવાસી જૈન સંપ્રદાય તરીકે લોકજીભે પ્રસિદ્ધિ પામ્યો. દરિયાપુર શબ્દ દરિયાપુર દરવાજાના ધર્મપ્રચારનો આરંભ સૂચવે છે. તે બે પદોનો બનેલો છે, દરિયા અને પુરી. દરિયા શબ્દથી દરિયાખાન પીરની ઘુમ્મટવાળી ઇમારતમાં બનેલ પ્રસંગની સ્મૃતિ અભિપ્રેત છે. ક્રાંતિવીર લોંકાશાહની ધર્મજ્યોતને પૂ. ધર્મસિંહજી સ્વામીએ વધુ પ્રજ્વલિત બનાવી. અમદાવાદની પશ્ચિમે સરખેજમાં ધર્મસિંહજીના ઉપદેશથી ત્યાંના શ્રાવક ધર્મદાસજી સ્વયં દીક્ષિત બન્યા અને તેની પરંપરા ધર્મદાસજી સંપ્રદાયથી પ્રસિદ્ધ થઈ. ધર્મસિંહજી મુનિની ધર્મપ્રભાવના સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રસરી. સં. ૧૭૨૩માં પૂ. શ્રી ભરૂચ પધાર્યા. શ્રી સુંદરમુનિ નર્મદા નદીના પટમાં યોગ્ય સ્થંડીલભૂમિનો ઉપયોગ કરી ઉપાશ્રયમાં ઇરિયાવહીના કાઉસ્સગમાં બેસી ગયા. ધ્યાનમાં ચેતનાના પ્રકંપનો વિસ્તાર થયો. “ગુરુદેવ, સંથારાના ભાવ જાગે છે. મને સંથારો આદરાવો.” સુંદરમુનિએ વિનયસહ કહ્યું. પૂ. ધર્મસિંહજીએ ગુરુશિષ્યના સંબંધનો વિચ્છેદકાળ જાણી સંથારો કરાવ્યો. સં. ૧૭૨૩ મહાસુદ બીજના સંથારો સીઝ્યો. સં. ૧૭૨૮ ના શિયાળો પૂર્ણ થતા સૂરત માટે વિહાર આદર્યો. સૂરતમાં ધર્મપ્રભાવનાની પ્રવૃત્તિ સોળે કળાએ ખીલી. વિક્રમ સં. ૧૭૨૮ના આસો માસની સુદ ચોથ ઓક્ટોબર ૧૬૭૨નો દિવસ હતો. અંતેવાસી મુનિને પૂ.શ્રીએ ગોચરીથી પરવારી પાસે આવવા સૂચન કર્યું. આ સંકેતથી સૂરત સંગ્રામપુર ઉપાશ્રય આબાલવૃદ્ધોથી ઊભરાવા લાગ્યો પૂજ્યશ્રીએ સર્વ જીવોને ખમાવ્યા. સર્વને ધીમા અવાજે અંતિમ પદો સંભળાવ્યા. પવિત્ર વાયુમંડળમાં ગુંજારવ થયો. કેવલી પત્નત્તો ધમ્મ શરણં પવજ્જામિ.......! જિનશાસનને મોટી ખોટ પડી. ચારિત્રથી ચમકતો ચાંદ અસ્ત થયો, ધર્મપ્રભાવક પૂ. ધર્મસિંહજી સ્વામીને ભાવાંજલિ........! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy