SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ બાલાવબોધ રૂપે પ્રરૂપ્યા. ઉપરાંત, સમવાયાંગની હુંડી, પ્રજ્ઞાપનાનો યંત્ર, સ્થાનાંગનો યંત્ર, રાજપ્રશ્નીયનો યંત્ર તથા જીવાભિગમ, જંબુદ્રીપ તથા સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિઓ પુસ્તક સારરૂપે તેમજ સૂત્રસમાધિ, સાધુસમાચારી, દ્રૌપદીચર્યા, સામાયિકચર્યા વગેરે સુંદર પદો રચી મુનિશ્રીએ સાહિત્યસંપાદન અને સર્જનનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. શ્રી ધર્મસિંહ ગુરુજીને વિનયપૂર્વક કહ્યું : ‘ગુરુભગવંત! મારામાં ઉદ્ભવેલા આગમાનુસારના જીવન જીવવાના ઉત્સાહને હવે વધુ વખત રોકી શકવાની સહિષ્ણુતા રહી નથી. જૈન ધર્માચાર સુધારવાની ક્રાંતિનો ઝંડો લહેરાવવા આગળ આવો અને હે પૂજ્ય અમારા નેતા બનો.” ધર્મસિંહે સિંહગર્જના કરી. “વત્સ, તારી ટકોર અને જાગૃતિ સાચાં છે. પરંતુ મોગલસમ્રાટ જહાંગીરનું તાજેતરમાં અવસાન થતાં, મોગલવંશ શાહજહાં તરફથી આપણા ગચ્છને ગૌરવયુક્ત પદવી, પાલખી, પટ્ટો, ચામર, ધ્વજ અને શાહી ફરમાન એનાયત કરવામાં આવેલ છે. સમયના સાંપ્રત વહેણે શહેનશાહી બક્ષિસનો અસ્વીકાર કરવો ઉચિત નથી. વળી વૃદ્ધાવસ્થાને કારણે હું પરાશ્રયી જીવન જીવી રહ્યો છું.” ગુરુજીએ પોતાના હૃદયભાવ કહ્યા. “ગુરુજી, મને ક્ષમા કરો, આપશ્રી મને મુક્ત કરો આપના ઉપકારને હું નહિ ભૂલું.” ધર્મસિંહે કહ્યું “તારો માર્ગ વિકટ છે. ધર્મઝનૂની લોકો તારી અવદશા કરશે તેનો મને ભય છે.” ગુરુજીએ વ્યથા વ્યક્ત કરી. “ગુરુદેવ, મારા પ્રત્યેનો આપનો અતિવાત્સલ્ય ભાવ આવી શંકા કરવા પ્રેરે છે. આપનું હૃદય આશ્વસ્ત પામે તેવી કોઈ પણ કસોટી મારા માટે ફરમાવો હું તેમાંથી પસાર થવા તૈયાર છું.” તો હે વત્સ! આ અમદાવાદ શહેરના દિરયાપુર દ૨વાજેથી નીકળતાં ઉત્તર દિશામાં દરિયાખાન પીરના આલીશાન ઘુમ્મટમાં એક રાત્રિ વાસ કરી આવો અને તમારું સાત્ત્વિક ખમીર દેખાડવાની તક ઝડપી લો.” ગુરુજીએ કહ્યું. ગુરુજીના આશીર્વાદ લઈ અમદાવાદની ઉત્તર દિશા ભણી ધર્મસિંહજીએ દૃઢ મનોબળ સાથે પ્રસ્થાન કર્યું. સાબરમતી નદી કલકલ નિનાદે અખંડસ્રોત ધરીને નગરજનોને મીઠા નિર્મળ જળની લ્હાણી કરી રહી છે. તેના પૂર્વીય કિનારે એક કોતરની સમથલ ટોચે એક ઊંચી વિશાળ કમળ આકૃતિવાળી ખુલી ભવ્ય ઇમારત ઊભી છે. આ ઇમારતનો માલિક છે શ્રીમંત તેલી દરિયાખાન, પૂર્વકર્મના અંતરાયે, સંતાન વિહોણો દરિયાખાન આ ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. એક સમયની આ રમણીય મહેલાત ભયંકર ભૂતાવળવાસિત ઇમારત Jain Education International પથપ્રદર્શક મનાવા લાગી અને દરિયાખાન પીર તરીકે મનાવા લાગ્યો. કોઈ અજાણ્યા પ્રવાસી રાતવાસો કરવા આવે તો સવારે તેના મૃતદેહો જ મળતા. જોગીની જટા જેવા ઝાંખરા અને ઝાડવાં, નિર્જન અને વેરાનસ્થાનને વધુ બિહામણું બનાવતાં. પંચમહાવ્રતથી શોભતા તેજસ્વી ધર્મસિંહ, ત્યાં ઊભેલા બે ત્રણ મુસ્લિમ ભાઈઓ પાસે આ ઇમારતમાં રાતવાસો કરવાની આજ્ઞા માગે છે. ‘‘સાંઈબાબા, ઇધર રાત ઠહરનેકા ઠીક નહીં હૈ.’’ “ક્યોં જી?” યહ જગા મધરાતકો ભયંકર બન જાતી હૈ, બડે ભડવીર ભી સુબહ મુડદા હી હો જાતા હૈ. ઇસ ઇમારતકા માલિક દરિયાખાન રાતકો માર ડાલતા હૈ.” ઠીક હૈ, કોઈ હર્જ નહીં. મેરે ઉસ્તાદ કી આજ્ઞા સે (મારા ગુરુજીની આજ્ઞાથી) મેં યહાં રાતકો ઠહરનેકો આયા હૂં. મેરી જિમ્મેવારી મેરે શિર પર. મૈં જૈન સાધુ હૂં. સૂરજ ડૂબજાને પર મેં દૂસરી જગહ નહીં જા સકતા હૂં. મુઝે ઠહરને કી પરવાનગી દો!” “ઠીક હૈ સાંઈ! જૈસી તુમ્હારી મરજી! આમિન!” આજ્ઞા મળતા મુનિરાજે ઇમારતના ઇશાન ખૂણામાં જગા પૂંજી આસન બિછાવી આરાધના શરૂ કરી. મધ્યરાત્રિએ પવન ને કડાકા ભડાકા વધ્યા. ભયંકર બિહામણી આકૃતિએ ઘુમ્મટવાળી ઇમારત પાસે દેખા દીધી. દેવોને વરેલી વૈક્રિય-શક્તિના બળે દરિયાખાન પીરે ભયંકર પિશાચનું રૂપ ધારણ કર્યું.“કોણ છે, મૃત્યુને ભેટવાની ઇચ્છાવાળો બેવકૂફ. અહીં મારા ધામમાં સૂરની શક્તિ સામે કોનો કપૂત આવ્યો છે?” પીરે પ્રચંડ ગર્જના કરી. “અરે મુંડિયા, મરવા શું કામ આવ્યો, આ ઇમારત મેં બંધાવી છે. અહીં મારી મરજી વિરૂદ્ધ કોઈ ન રહી શકે.” શાંત સમાધિવંત સૌમ્ય સૂરે મુનિ બોલ્યા, “શા માટે આવા બિહામણા સ્વરૂપે ઉપસ્થિત થયા છો.? આવી ઘોર વિડંબનાનો શો હેતુ?” “ઓ મગતરા જેવા માનવી! આ ભવ્ય ઇમારત મારું સ્મારક છે. મારી ઇચ્છા વિરુદ્ધ લોકોએ તેને પ્રમોદનું વિહારધામ બનાવ્યું છે. મારી અવજ્ઞા કરનારનું સવારે શબ જોતાં મને આનંદ ઉપજે છે.’ પીરે અટ્ટહાસ્ય કર્યું. “તો હે દિવ્ય આત્મા, આપ હવે શું ઇચ્છો છો?” “હે બોડિયા માથાના માનવી, તું જલ્દી ચાલ્યો જા!” “કોઈની પરવાનગી વિના અમે જૈન સાધુ વાસ કરતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy