SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ હતા; અને મૂર્તિનિર્માણથી ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર ભારતવર્ષમાં જે આઘાત-પ્રત્યાઘાતો થતા હતા તેમાંથી મૂર્તિપૂજા વિરોધની એક ક્રાંતિની શરૂઆત થઈ. સનાતન સંપ્રદાયોમાં તો સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાના સિદ્ધાંતો ઉપર મંથન થતું રહેતું હતું, જેના પરિણામે નાના મોટા મૂર્તિ-વિરોધી સમાજ ઉદ્ભવ પામ્યા હતા. વીર નિર્વાણ સંવત ૨૦૦૦ પછીનો સમય હતો; આ સમય એટલે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર બેઠેલ ભસ્મ મહાગ્રહના સમાપનનો કાળ હતો; સેંકડો વર્ષોથી ધર્મમાં અંધશ્રદ્ધા, દુરાચાર, તપ અને ચારિત્ર્યમાં શિથિલાચાર ઘર કરી ગયો હતો તેના અંતનો સમય હતો. આ અરસામાં ધર્મક્રાંતિના પ્રણેતા ધર્મવીર લોકાશાહના તેજસ્વી વ્યક્તિત્વનો ઉદય થયો. લોકાશાહ કોઈ ધર્મપરંપરાના સ્થાપક ન હતા પરંતુ ધર્મમાં આવેલી અશુદ્ધિઓ, વિકૃતિઓને દૂર કરવાવાળા ક્રાંતદેષ્ટા મહામનીષી હતા. તેમણે જૈન શાસ્ત્ર પ્રમાણેના શુદ્ધ ધર્મનો પ્રચાર કર્યો કે પુનઃ પ્રતિષ્ઠા કરી તે સ્થાનકવાસી કે ઢૂંઢિયાના નામથી પ્રચલિત છે. અમદાવાદના લોકાશાહના મોતી જેવા સુંદર અક્ષર હોવાથી યતિશ્રીએ તેમને શાસ્ત્રની પ્રતિનો ઉતારો કરવા આપ્યો. તેણે લેખન કરતાં કરતાં શાસ્ત્રોનું અધ્યયન અને પરિશીલન કર્યું. તેમના નિરીક્ષણમાં આવ્યું કે સાંપ્રત સમયમાં જૈનધર્મમાં જે પૂજા–ક્રિયાઓ ચાલે છે તે તદ્દન વિપરીત છે. આગમોના અધ્યયનના આધારે તેમને લાગ્યું કે મૂર્તિ છોડીને પણ ધાર્મિક ઉપાસના સંભવ છે. ધર્મને ક્રિયાકાંડોમાં બાંધી રાખવા વિરૂદ્ધ તેમણે આંદોલન ચલાવ્યું. સં. ૧૫૩૬માં લોકાશાહે દીક્ષા લીધી. લોંકાશાહના ક્રાંતિ અભિયાનથી લોકાગચ્છ જેવા નાના-મોટા સંપ્રદાયો ઉદ્ભવ પામ્યા. લોંકાશાહની પ્રેરણાથી દીક્ષા લેવાવાળી ૪૫ વ્યક્તિઓમાં શ્રી ભાણજી સર્વપ્રમુખ હતા. શ્રી ભીદાજી, નૂનાજી, ભીમાજી, જગમાલજી, સખાજી, રૂપાજી, જીવાજી આદિ અનેક મહાપુરુષોએ ઉન્નતિ કરી અને સાધુઓની સંખ્યા ૧૧૦૦ સુધી પહોંચી હતી. લોંકાશાહની પરંપરા પૂરી એક સદી સુધી ચાલતી રહી. કાળક્રમે પરસ્પરના મતભેદને કારણે આ આંદોલન મંદ પડતું ગયું તેથી આ અમૂર્તિપૂજક સંપ્રદાયની સ્થાપનાના મૂળ નાંખી શકાયા નહિ; પરંતુ તેજ ક્રમમાં તેની અસર નીચે લવજી Jain Education International ૧૯૭ ઋષિ અને ધર્મસિંહજી જેવા ધર્મસંતોનો ઉદય થયો. ક્રિયા ઉદ્ધારનો સંદેશ લઈને આવેલા છ મહાપુરુષો : (૧) શ્રી જીવરાજજી મહારાજ, વિ.સં. ૧૫૬૬-૧૬૯૮. (૨) શ્રી લવજી ઋષિજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૧૦. (૩) શ્રી ધર્મસિંહજી મહારાજ, વિ.સં. ૧૬૯૪-૧૭૨૮. (૪) શ્રી ધર્મદાસજી મહારાજ, વિ.સં. ૧૭૧૬-૧૭૭૨. (૫) શ્રી હરજી ઋષિજી મહારાજ, વિ.સં. ૧૭૮૫. (૬) શ્રી હરિદાસજી મહારાજ (લાહોરી લોકાગચ્છ). પૂ. શ્રી જીવરાજ મહારાજના શિષ્ય પરિવારમાં પૂ. અમરસિંહજી મ.સા., પૂ. નાનકરામજી મ.સા., પૂ. સ્વામીદાસજી મ.સા., પૂ. શિતલદાસજી મ.સા. તથા પૂ. નાથુરામજી મ.સા.નો સમાવેશ થાય છે. તેમ મહાસતી પૂ. ભાંગાજી, પૂ. વીરાજી, પૂ. સદાજી આદિ સાધ્વીવૃંદનો સમાવેશ થાય છે. પૂ. લવજી ૠષિ સં. ૧૬૯૨માં બજરંગ ઋષિના શિષ્ય બન્યા, તેમના શિષ્ય પૂ. સોમજી ઋષિ સહિત ૧૫ શિષ્યો મુખ્ય હતા. સોમજી ઋષિના શિષ્ય પૂ. કહાન ઋષિજીની માળવી અને ખંભાત શાખા છે. પૂ. હરદાસજીનો પંજાબ સંપ્રદાય, પૂ. ગોધાજી અને પરસરામજીનો કોટા સંપ્રદાય અને પૂ. જીવાજી નાગોરીગચ્છના મૂળ જનક હતા. પૂ. કહાનજી ઋષિના શિષ્ય પૂ. તારાચંદજી મહારાજ થયાં તેમના બે શિષ્યમાં પૂ. કાલાૠષિ અને પૂ. મંગલઋષિ. તેમના શિષ્ય પૂ. બભ્રુઋષિ થયા. તેમના બે શિષ્યો પૂ. ધનજીૠષિ અને પૃથ્વીૠષિ. તેમના બે શિષ્યો પૂ. અયવંતાૠષિ અને પૂ. અબાૠષિ. પૂ. અયવંતાૠષિના બે શિષ્યો પૂ. તિલોકૠષિ અને પૂ. લાલજીઋષિ. પૂ. તિલોકઋષિજીના શિષ્ય પૂ. રત્નૠષિજી અને રત્નઋષિજીના શિષ્ય શ્રમણ સંઘના દ્વિતીય પટ્ટધર રાષ્ટ્રસંત પૂજ્યપાદ આનંદઋષિજી મહારાજ. અને તેમના શિષ્યો પૂ. કુંદનૠષિ, પૂ. પ્રવીણૠષિ મ.સા. છે. ઋષિસંપ્રદાયની મુખ્ય સાધ્વીઓ પૂ. રાધાજી, પૂ. કીસનાજી, પૂ. જેનાની, પૂ. મેતાજી, પૂ. ગુમનાજી, પૂ. ચંપાજી, પૂ. સાંપકવટજી, પૂ. રામકુંવરજી, પૂ. ચાંદકુંવરજી, પૂ. ઉજ્જ્વલકુમારીજી, પૂ. શાંતિકુંવરજી, પૂ. ભુરાજી, પૂ. રાજકુંવરજી, પૂ. પ્રમોદસુધાજી, પૂ. પ્રીતિસુધાજી, ડૉ. ધર્મશીલાજી, પૂ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy