SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સ્થાનકવાસી સંપ્રદાયની ઐતિહાસિક રૂપરેખા ભારતીય ધર્મ પરંપરાઓમાં જૈન ધર્મ પ્રાચીનતમ છે. ભારતવર્ષમાં જૈનધર્મના બીજ રોપનાર, પાયો નાખનાર આદિનાથ ભગવાન ઋષભદેવ હતા. માનવ જાતને, સાચા અર્થમાં જીવન જીવવાની કળા શિખવનાર પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. જૈન ધર્મના મૂળ પ્રવર્તકો ક્ષત્રિય હતા. ભગવાન ઋષભદેવે જૈનધર્મનો ઝંડો અયોધ્યાથી ફરકાવ્યો. મોટાભાગે તીર્થંકરો ઉત્તર પ્રદેશ અને બિહારમાં થયા. તીર્થંકરોની ભૂમિ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ રહી છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર બિહારમાં થયા. ત્રેવીસ તીર્થંકર સુધીની શ્રમણ સંસ્કૃતિ અને સાહિત્ય લગભગ લુપ્ત થવા પામેલ છે. પારસનાથ પરંપરાના જે કોઈ સાધુઓ વિદ્યમાન હતા તેઓ શ્રી મહાવીર પરંપરામાં સમ્મિલિત થઈ ગયા. આ રીતે બિહાર અને તેમાં વૈશાલી, રાજગૃહી, ચંપાપુરી ઇત્યાદિ નગરીઓથી જૈનધર્મનો પ્રચાર સમગ્ર ભારતમાં થયો. સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ પરમાત્માના યાદવકુળના તીર્થંકર નેમિનાથ ભગવાન થયા. ભગવાન મહાવીર પછી ૨૦૦-૩૦૦ વર્ષમાં જૈનધર્મ બિહારમાંથી ઉત્તરોતર મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી ફેલાયો, જેમાં એક ધારા દક્ષિણ ભારત તરફ વહી અને એક ગુજરાત તરફ ત્યારે એ જૈન સંતોએ ગુજરાતને ખૂબ પ્રભાવિત કરેલું. સાધુઓ ગામ બહાર વન-ઉપવનમાં રોકાઈને જનસમૂહને ઉપદેશ આપતા ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મશાસનની પરંપરા આમ ખૂબ સુંદર રીતે ચાલી રહી હતી. કાળક્રમે પરિવર્તન આવ્યું વારંવાર પડતા દુષ્કાળને કારણે સલામતી અને ભરણ–પોષણમાં સાધુઓને મુશ્કેલી પડવા લાગી, આ મુશ્કેલીઓમાં માર્ગ કાઢવાના ભાગરૂપે મંદિર માર્ગનો ઉદય થયો. સંતો મૂર્તિપૂજાના અવલંબનથી અને મંદિરોના નિર્માણથી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ગુજરાતના રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને રાજ્યમંત્રીઓ અને જનતા પર જૈન સંતો અને જૈનધર્મના સિદ્ધાંતોની ખૂબ જ Jain Education International પથપ્રદર્શક પ્રભાવિત અસર થઈ. જૈન ધર્મના ઊંડા મૂળ રોપાયા. જૈનાચાર્યોએ જૂનાગઢનો ઇતિહાસ તાજો કરી નેમનાથ ભગવાનના જીવનની ઐતિહાસિક ઘટનાઅનુસાર ગિરનાર પર તીર્થ સ્થાપ્યાં અને જૈનોનું મોટું તીર્થ પાલીતાણા પણ અસ્તિત્વમાં આવ્યું. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી ગુજરાત નરેશ કુમારપાળે જૈનધર્મનો વાવટો ફરકાવ્યો, વસ્તુપાળ તેજપાળે આબુમાં વિશ્વવિખ્યાત જૈન દેરાસરો બંધાવ્યાં. ભારતના ધનાઢ્ય જૈનોએ મધુવન (સમેતશિખર), રાજગીર, પાવાપુરીનાં તીર્થોને ઉજાગર કર્યા. આ ઉપરથી જાણી શકાય છે કે સ્થાપત્ય અને સાહિત્યના વિકાસમાં જૈનાચાર્યોએ ખૂબ જ પ્રયાસ કર્યો છે. જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘે પોતાના ભગીરથ પ્રયાસથી ખૂબ જ સારાં કાર્યો કર્યાં છે. પરંતુ એક સમયે શ્રમણધર્મમાં શિથિલતા આવતી ગઈ. જિનભક્તિ અને જિનપૂજામાં મોટા આરંભ સમારંભ અને આડંબરો પેસી ગયા, પરિગ્રહસંવાદ પેસી ગયો. સ્વાધ્યાય અને ધ્યાનમાં તલ્લીન રહેવાવાળો શ્રમણવર્ગ વધુ પડતો લોકસંપર્કમાં આવવાથી લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાવા લાગ્યો. જૈનયતિઓનો એક વિશિષ્ટ વર્ગ જાણે શિથિલાચારી પ્રવૃત્તિઓને પોષતો રહ્યો. શ્રેષ્ઠીઓ, રાજાઓ, બાદશાહો, ઠાકુરો અને ધનપતિઓને યંત્ર-મંત્ર-તંત્ર અને ચમત્કારો બતાવી રાજકીય સન્માન અને અધિકારો પ્રાપ્ત કરવાનો પિપાસુ બની ગયો. જાણે પાવન ધર્મગંગા ઉપર વિકૃતિનો શેવાળ જામવા લાગ્યો. આવું ફક્ત જૈન પરંપરામાં જ બને તેવું નથી, વિશ્વમાં કાળક્રમે દોષપૂર્વક અવસ્થાઓ પ્રગટ થતી રહે છે. જ્યારે ધર્મ સંસ્થાઓમાં દોષો પ્રવેશે ત્યારે તે દૂષિત બની જાય છે. અણગાર અને અનિકેતનધારી ગૃહત્યાગી કહેવાવાળો શ્રમણ ચૈત્ય, મંદિર, ઉપાશ્રય કે મઠધારી બની ગયો. ધર્મની ધારા શુષ્ક અને ક્ષીણ થવા લાગી. આજ રીતે ગુજરાત અને કાઠિયાવાડમાં જૈન ઇતિહાસમાં ક્રમિક દોષોને કારણે મૂર્તિપૂજક સમાજમાં પણ નાની મોટી ક્રાંતિઓ થતી રહી. મૂર્તિપૂજકમાં પાયચંદગચ્છ, અચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ (ખત્તરગચ્છ) ઇત્યાદિ કેટલાય ગચ્છોના નિર્માણ થયા. પરંતુ આ બધા ગચ્છો અને અનેક ઉપગચ્છો મૂર્તિપૂજક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy