SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પથપ્રદર્શક અમદાવાદમાં “અટિરા' એમનું મહત્વનું પ્રદાન છે. “કોસ્મિક-રે' તેમનું અવસાન થયું. છતાં જથ્થો ને ગુણવત્તા બંનેની દૃષ્ટિએ અંગે સંશોધન કરવા એમણે ગુલમર્ગ, કોડાઈકેનાલમાં કેન્દ્રો ઊભા નોંધપાત્ર ગણાય તેવું સાહિત્ય તેઓ મૂકતા ગયા છે. કર્યા. ભારતમાં કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન કાર્યક્રમોના ક્રાંતિકારી મહિલા સંત પ્રસારણની કલ્પના સૌ પ્રથમ તેમણે કરી અને સાકાર પણ બનાવી. ઘડીભર તો મન થઈ આવે કે “ટેલિવિઝન' ને બદલે આઈ સોનબાઈ ‘ટેલિ વિક્રમ' નામ આપ્યું હોત તો ! ડો. ભાભાના અવસાનથી સંત નારીરત્ન સોનબાઈનો જન્મ કેશોદ પાસેના મઢડા અણુશક્તિ પંચના અધ્યક્ષનું સ્થાન મળ્યું અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે | (સોનલધામ) મુકામે સંવત ૧૯૮૦ પોષ વદ ૨ ના દિવસે થયો દેશને હરણફાળ ભરાવનાર ડૉ. વિક્રમ જ છે. તેમને “શાંતિસ્વરૂપ હતો. નાની વયથી જ સંસ્કારના રમિઓ તેના મુખારવિંદ પર ભટનાગર એવોર્ડ’ અને ‘પદ્મવિભૂષણ'ના બહુમાન અપાયા હતા. તગતગતા હતા. ધાર્મિક ગ્રંથોનું પઠન-મનન કર્યા કરે. એમણે વિશ્વ વૈજ્ઞાનિક વિક્રમભાઈ એવા ખરા કર્મયોગી હતા કે સમસ્ત ભારતવર્ષનો પ્રવાસ કરી હિંદુ સંસ્કૃતિમાં રસ-રુચિ જેમણે મૃત્યુ નજીક આવ્યું ત્યાં સુધી કર્મયોગ જીવંત રાખ્યો હતો. દાખવ્યા. સૌએ સોનબાઈના વધામણા કર્યા. માત્ર ચારણો જ ૨૮-૧૧-૧૯૭૧ ના રોજ ત્રિવેન્દ્રમ થુમ્બા ખાતે પરિષદમાં ભાગ નહીં માનવમાત્રમાં એકતા અને કલ્યાણભાવની જ્યોત પ્રગટાવી. લેવા ગયા ત્યારે ત્યાં જ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તેમની પાસે એક થયું. તેઓ દીર્ધ જીવ્યા હોત તો તેમની કાર્યશક્તિ દેશને કયાંની ફકીર આવી ચઢ્યા, મુસ્લિમ ધર્મ સ્વીકારી પાકિસ્તાનમાં જોડાઈ ક્યાં લઈ ગઈ હોત.! જવા વિનવણી કરી અને એમની આંખોમાં ક્રોધાગ્નિ પ્રગટ્યો ગદ્ય સર્જક અને કહ્યું : ફકીરબાબા! તમે ભેદભાવનું વાવેતર કરીને ઝેરની ચુનિલાલ મડિયા નદીઓ વહાવવાનું બંધ કરી દો. આ જૂનાગઢ કોઈ કાળે પાકિસ્તાનમાં ભળવાનું નથી. હું મારો ધર્મ કદાપિ છોડવાનો ગુજરાતી સાહિત્યના અવિરત ઉદ્યમશીલ સર્જક ચુનીલાલ નથી. તેમણે કુરિવાજો અને અંગત વેરઝેર દૂર કરવા કરાવવામાં મડિયાનો જન્મ ૧૨-૮-૧૯૨૨ ના રોજ ધોરાજીમાં થયો હતો. સુંદર કામગીરી કરી હતી. માધ્યમિક શિક્ષણ ત્યાં જ પૂર્ણ કરી, ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈ આવ્યા અને બી. કોમ. થયા. શ્રી મડિયા કોલેજમાં અભ્યાસ આઈ સોનબાઈ સંવત ૨૦૩૧ સુદ ૧૩ ના રોજ આ જગતનો ત્યાગ કરી ગયા. આઈ સોનબાઈના જન્મોત્સવ નિમિત્તે કરતા હતા ત્યારથી જ વાર્તા લખવાનો શોખ ધરાવતા હતા. ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ સોનલધામ ઊમટી પડે છે. શ્રી મડિયાનો પ્રથમ વાર્તાસંગ્રહ “ઘૂઘવતા પૂર' પ્રગટ થયો અને ચારણોની બિરદાવલીઓથી વસુંધરાનો કણેકણ પુલકિત ત્યારપછી તો “ચંપો અને કેળ, ‘તેજ અને તિમિર', “શરણાઈના બની ઉઠે છે. સૂર’, ‘પાજા' જેવા વાર્તાસંગ્રહો આપ્યા તો “વ્યાજનો વારસ', ‘વેળા વેળાની છાંયડી', “લીલુડી ધરતી' જેવી નવલકથાઓ કાવ્યકલાના કસબી નોંધપાત્ર છે. ઉપરાંત સોનેટકાવ્યો, નિબંધો, વિવેચનો દ્વારા પ્રિયકાન્ત મણિયાર વાચકોના રુચિતંત્રને પોપ્યું છે. દરમિયાન મુંબઈમાં “જન્મભૂમિ' ગુજરાતી સાહિત્યના રોમેન્ટિક મિજાજ ધરાવતા મોજીલા દૈનિકના તંત્રી વિભાગમાં કામ કર્યું. “સંદેશ” અને “જન્મભૂમિ' કવિ પ્રિયકાન્તનો જન્મ વીરમગામમાં ૨૪-૧-૧૯૨૭ ના રોજ માં ધારાવલી નવલકથાઓ પણ લખતા મેઘાણીની જેમ મડિયાની થયેલો. નવ વર્ષની ઉંમરે ખલિલ જિબ્રાન અને રવીન્દ્રનાથ વાર્તાઓ પણ ધીંગી ઘટનાઓથી ભરપૂર રહેતી. ટાગોરના લખાણોમાંથી નોંધ રાખતા થઈ ગયેલા. શાળાનું શ્રી મડિયાએ ૨૯-૧૨-૧૯૬૮ ના રોજ પી.ઈ.એન.ના વાતાવરણ કેદખાના જેવું લાગતા નવમા ધોરણથી અભ્યાસ ભારતીય અધિવેશનમાં હાજરી આપીને અમદાવાદથી મુંબઈ પડતો મૂક્યો. પછી સંઘેડા ઉપર હાથી દાંતની ચુડી ઉતારવાનો જતાં રાત્રે ટ્રેનમાં માત્ર ૪૬ વર્ષની વયે પોતાની જીવનલીલા પિતાના વ્યવસાયનો કસબ બરાબર શીખી લીધો અને ખોબા સંકેલી લીધી. કલમના આંબા ઉપરથી મબલખ પાક લેવાની જેવી દુકાનમાં વ્યવસાય કરતાં કરતાં કવિતાના અમાપ અદમ્ય ઇચ્છા હતી અને તેના ઉત્તમોત્તમ મધુર ફળો ગુજરાતના આકાશમાં વિહરવા લાગ્યા. કંકળકળા અને કાવ્યકળા પર એક ચરણે ધરવાની તેમની અભિલાષા હતી, પરંતુ તે ફળે તે પહેલા સરખો તેમનો હાથ બેસવા લાગ્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy