SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પણ બન્યા. પૂજ્ય મોટાની સહાયથી ‘જ્ઞાનગંગોત્રી' નામનો પ્રથમ જ્ઞાનકોશ શ્રેણીનો પ્રારંભ કર્યો. ગુજરાત રાજ્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષપદ દરમિયાન ભગવદ ગોમંડલ કોશ અને ગુજરાતી-અંગ્રેજી કોશ સહિત ૩૦૦ જેટલા ઉચ્ચશિક્ષણના પુસ્તકો બોર્ડે પ્રસિદ્ધ કર્યા. પાક સંશોધનના વિશેષ અખતરા માટે ઇશ્વરભાઈએ વિશ્વભરના ઘણાં દેશોની મુલાકાતો લીધી હતી. ઇશ્વરભાઈ આજે નથી છતાં એમના રંગના રંગે રંગાયેલા એમના સેંકડો શિષ્યો તેમણે વાવેલ ભાવનાનું ભાથું લઈને જીવે છે. આજીવન શિક્ષક ઇશ્વરભાઈ પૂરા ૭૫ વર્ષે વિદાય થયા. કાર્યદક્ષ અને મેઘાવી ઇશ્વરભાઈની જીવનસુવાસ એમની અનુપસ્થિતિમાં પણ મહોરતી રહેશે. મહિલાઓના રાહબર લીલાબહેન પટેલ જીવનભર ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓના ઉત્કર્ષ માટે સતત ઝઝૂમનાર શ્રી લીલાબહેન પટેલનો જન્મ ૩-૨૧૯૧૪ ના રોજ વડોદરા મુકામે થયો હતો. વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા તેમણે ડિપ્લોમા ઇન બેઝિક એજ્યુકેશન અને મોન્ટેસરી જેવી શિક્ષણોપયોગી પદવીઓ પ્રાપ્ત કરી. ‘સ્ત્રી’ સામયિકમાં છેલ્લા તેંતાલીસ વર્ષથી અને સામાજિક સંસ્થા ‘સ્ત્રી નિકેતન’ માં પ્રમુખ તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષથી સમાજસેવામાં કાર્યરત રહ્યાં. ઉપરાંત ગુજરાત રાજ્ય નશાબંધી સમિતિ, જેલ સુધારણા સમિતિ, બાલ ઉત્કર્ષ સમિતિ, રેડક્રોસ સોસાયટી જેવી રાજ્યની અનેકવિધ સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા પર રહી પોતાની સેવાઓનો લાભ આપ્યો છે. ‘સંદેશ'માં ‘જીવનના અંતરંગ' કોલમ દ્વારા સ્ત્રીઓના શોષણ અને કુરિવાજો સામે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એટલું જ નહીં પણ કાનૂની સલાહ માટે ખાસ તંત્ર પણ ઊભું કર્યું હતું. કુદરતી આપત્તિ કે માનવસર્જીત આપત્તિના પ્રસંગે લીલાબહેનનું હૃદય દ્રવી ઊઠતું. તેમની સ્ત્રી જાગૃતિ અને સામાજિક સેવાઓને લક્ષમાં રાખીને સરકારે તેઓને મહત્ત્વની સમિતિઓમાં સ્થાન આપ્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થિનીને સ્ત્રી નિકેતન દ્વારા સુવર્ણચંદ્રક પણ એનાયત, કરતાં હતાં. સંદેશના મોભી સ્વ. ચીમનભાઈ પટેલને કૈંક આદર્શ ધર્મપત્ની તરીકે સંઘર્ષના સાથી' તરીકેની જે ભૂમિકા લીલાબહેને બજાવી તે તેમના આદર્શ દંપતીના પ્રેમભર્યા સહકારની સાક્ષી પૂરે છે. Jain Education International પથપ્રદર્શક સામાજિક મહિલા કાર્યકરોની એક આખી પેઢી તૈયાર કરનાર લીલાબહેન ૧૫-૬-૨૦૦૪ ના રોજ ‘સંદેશ’ પરિવારને અનાથ બનાવી ચિરનિદ્રામાં પોઢી ગયા. સંનિષ્ટ સેવક પ્રભુલાલભાઈ દવે કવિશ્રી સુન્દરમ્ના શબ્દોમાં કહીએ તો “જાહેર જીવનમાં જેમનું મોટું સ્થાન હતું પણ તેથી વિશેષ તો જેમનો મહાન આત્મા હતો” એવા સત્યપરાયણ લોક સેવક શ્રી પ્રભુલાલભાઈ દવેનો જન્મ ૪-૭-૧૯૧૬ ના રોજ અમરેલી જિલ્લાના બાંભણિયા ગામે થયો હતો. હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ જૂનાગઢમાં લઈ, અમદાવાદની કોલેજમાં કાયદાના સ્નાતક થયા. તેઓશ્રીની કારકિર્દીની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકેની થઈ. ચાલીસ જેટલા વર્ષો સુધી વકીલાતનો વ્યવસાય અપનાવી અગ્રણી ધારાશાસ્ત્રી તરીકેની ખ્યાતિ મેળવી. ઇ. ૧૯૪૯ માં પ્રથમ વખત ચૂંટાયેલ પ્રજાકીય સુધરાઈમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. ઉપરાંત ગુજરાત રાજ્યની વિધાનસભાના ધારાસભ્ય તરીકે કામગીરી બજાવી તેમજ વિધાનસભાના અધ્યજ્ઞ તરીકેની પેનલમાં પણ સેવા આપી. પ્રધાનમંડળમાં શ્રી પ્રભુલાલભાઈને તક આપવામાં આવી હોવા છતાં તેઓશ્રીએ આ હોદ્દાનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. ગુજરાત રાજ્યના આયુર્વેદ વિકાસ મંડળના પ્રમુખ તરીકે રહી, જૂનાગઢમાં આયુર્વેદ કોલેજની સ્થાપનામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. ખેતીવાડી કોલેજ તથા કેમ્પસની સ્થાપના તથા વિકાસમાં તેમજ જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ, તેના વિકાસ માટે તેમનું યોગદાન મહત્ત્વનું હતું. ૨૨-૨-૧૯૮૨ ના રોજ મહા શિવરાત્રીના દિવસે તેમનો દેહવિલય થયો. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું : “મારા વહીવટ દરમિયાન તેમની નિખાલસતા, પ્રામાણિકતા અને નિષ્ઠાની મારા પર ઊંડી અસર થયેલી. ક્રિકેટવીર વિનુ માંકડ ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ વિનુ માંકડનો જન્મ ૧૭-૪-૧૯૧૭ ના રોજ જામનગર મુકામે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું ભાગ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy