SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ તમામા માર્ગો અને કેડીઓ એમને બતાવી આપી. જાપાનની એક વિદ્યાપીઠ જોઈને તેમને એવી જ વિદ્યાપીઠ ભારતમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો. ભારતના મહર્ષિ કર્વે વિદ્યાપીઠની સંનિષ્ઠા જોઈને રૂપિયા પંદર લાખનું દાન આપ્યું. એટલું જ નહિ, તન અને મનથી પણ એમણે એ વિદ્યાપીઠની પ્રગતિ સાધી. હિન્દુ વિશ્વવિદ્યાલયે પ્રેમલીલાબહેનને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉપાધિ આપી. એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે તેમણે બાર વર્ષ કામ કર્યું. શેઠશ્રીના અવસાન બાદ તેમણે ભવ્ય આવાસો છોડી, પૂનામાં એક કુટિર બનાવી રહેવા લાગ્યાં. કસ્તૂરબા સ્મારક નિધિના ટ્રસ્ટી તરીકે તેમનું યોગદાન રહ્યું છે. આ યોગેશ્વરીએ રૂપિયા પાંસઠ લાખનું દાન તો ફક્ત એસ.એન.ડી.ટી. વિદ્યાપીઠને જ આપ્યું છે. ઉપરાંત જે દાનની ગંગા વહાવી એ તો અલગ. ૧-૧૨-૧૯૭૭ ના રોજ આ નારી જીવનના ગૌરવસમી નારીનું અવસાન થયું. ભારતીય નારીરત્નોમાં પ્રેમલીલાબહેનનું નામ એક આદર્શરૂપ રહેશે. નેક નામદાર સખાવતે બહાદુર હરકોર શેઠાણી અમદાવાદના અતિ ધનિક અને જાણીતા વેપારી હઠીસિંગ કેસરીસિંગના ત્રીજી વારના પત્ની હરકોરના કાર્યોની સુવાસ છેક ઇંગ્લેન્ડ સુધી ફેલાઈ હતી. હઠીસિંગ નિઃસંતાન હતા. ૨૬ વર્ષની યુવાન વયે હરકોર વિધવા થયા. હઠીસિંગના અવસાન સમયે તે રૂપિયા ૮૦ લાખના આસામી હતા. અમદાવાદના દિલ્હી દરવાજા બહાર તેમણે ભવ્ય ‘હઠીસિંગનાં દહેરાં' બંધાવ્યા. ઉપરાંત તેમણે હંસનાથજીનું મંદિર અને ધર્મનાથનું મંદિર બંધાવ્યું. શત્રુંજય પર્વત પર આવેલા હિંગળાજના દેરાસરનું ચઢાણ કપરું હોવાથી તેમણે ત્યાં પગથિયા કરાવ્યા. હરકોરબાઈએ ઇ. ૧૮૫૦ માં એક કન્યાશાળા શરૂ કરી હતી જે હરકોર શેઠાણીની છોડીઓની નિશાળ' તરીકે પ્રખ્યાત થઈ હતી. દુષ્કાળ વખતે હજારો મણ અનાજ ખરીદીને ગરીબો માટે સસ્તા અનાજની દુકાનો શરૂ કરી. હોસ્પિટલના નિર્માણમાં દાનની સરવાણી વહેતી રાખી. તે રાજા-મહારાજા કરતાં પણ વધારે દાન આપતા. મુંબઈ સરકારે તેમને ગોલ્ડમેડલ અને ‘નેક નામદાર સખાવતે બહાદુર' નો ખિતાબ અર્પણ કરી સન્માન કર્યું હતું. ગાયકવાડ સરકારે તેમને પાલખી, છત્ર અને મશાલ સહિત ‘ચોબદાર’ ના ખિતાબથી નવાજ્યાં હતા. જાહેર સખાવતો અને મહિલા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં તેમની સેવાઓ અભૂતપૂર્વ હતી. Jain Education International સરફરોશ સેનાનાયક શામળદાસ ગાંધી દેશની આઝાદીના ઇતિહાસમાં ફના થઈ જનાર વીર્યવાન પત્રકાર શામળદાસ ગાંધીનો જન્મ ઇ. ૧૮૯૭ માં ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધીને ત્યાં રાજકોટ ખાતે થયો હતો. નાનપણથી જ લેખન-વાચનનો શોખ. વ્યાવહારિક જગતમાં સંઘર્ષ કરતા કરતા તેઓ ‘મુંબઈ સમાચાર' ની કચેરી સુધી પહોંચી ગયા. પરિણામ સ્વરૂપ તેઓ પત્રકાર બની ગયા. પથપ્રદર્શક અનુભવને કારણે ‘મુંબઈ સમાચાર' ના સાપ્તાહિક તંત્રી અને ત્યારબાદ ‘જન્મભૂમિ' દૈનિકના પણ તંત્રી થયા. છેલ્લે પોતાનું દૈનિક ‘વંદે માતરમ્' શરૂ કર્યું. અંગ્રેજી શબ્દકોશની મદદથી અંગ્રેજી પુસ્તકોનું વાચન શરૂ કર્યું. “મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.' સ્વામી રામતીર્થના એ વિધાને એમના મન પર જબરો પ્રભાવ પાડ્યો અને જોતજોતામાં સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રની અને અખબારી આલમની એક પ્રભાવશાળી વ્યક્તિ ઉભરી આવી. આઝાદી પછી જૂનાગઢના નવાબ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાણ કરવા તૈયાર થતાં તેમણે ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી. હાથમાં હથિયાર ઝાલીને નવાબને નમાવ્યો અને ભારતના પ્રજાતંત્રમાં જોડાવા આકરી ફરજ પાડી. આ ઘટના માત્ર જૂનાગઢની પ્રજા માટે જ નહીં, પરંતુ સમગ્ર હિંદની પ્રજા માટે એક અવિસ્મરણીય ઘટના છે. ૮-૩-૧૯૫૩ ના રોજ અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું દેહાવસાન થયું. ખરેખર આ સૈનિક પત્રકાર વગર તો જૂનાગઢનો વિજય અધૂરો જ રહેત. શીલભદ્ર સંસ્કારમૂર્તિ ચૈતન્યપ્રસાદ દીવાનજી For Private & Personal Use Only ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાના આદર્શ સેવક શ્રી ચૈતન્યપ્રસાદનો જન્મ ૨૦-૧૧-૧૮૯૮ના રોજ ભુજ ખાતે થયો હતો. મેટ્રિક થઈ ગુજરાત કોલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી. તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવેલી. એમનું સમૃદ્ધ પુસ્તકાલય એમની વિદ્યાપ્રીતિની પ્રતીતિ કરાવે છે. ગુજરાતી રંગભૂમિ પરિષદ અને પ્રથમ ગુજરાત ઇતિહાસ પરિષદ પણ એમણે સફળતાપૂર્વક યોજી હતી. ક્રિકેટને પ્રોત્સાહન www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy