SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કવિતા, નાટક, નવલિકા વગેરે લલિત પ્રકારોનું ખેડાણ કર્યું હોવા છતાં ગુજરાતમાં નવલકથા તરીકે જ વિશિષ્ટ સ્થાનના અધિકારી બન્યા છે. એમની દિવ્યચક્ષુ’ નવલકથા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ઉપરાંત ‘કોકિલા’, ‘ગ્રામલક્ષ્મી’, ‘ભારેલો અગ્નિ’, ‘જયંત' વગેરે નવલકથાઓથી તેમી સર્જકતા વિશેષ મહોરી છે. નિહારિકા’ તેમનો કાવ્યસંગ્રહ છે. રશિયા અને માનવશાંતિ' માં પોતે ખેડેલ રશિયાના પ્રવાસનું રસિક શૈલીમાં વર્ણન છે. તેમની કવિતા પર એમના પ્રિય કવિ ન્હાનાલાલની છાપ સ્પષ્ટ વરતાય છે. શ્રી દેસાઈનું ૨૦-૯-૧૯૫૪ માં બપોરે ભોજન પછીના વામકુક્ષિ દરમિયાન જ હૃદય બંધ પડી જતાં આ મહાન ગુર્જર સાહિત્યસ્વામી અનંત નિદ્રામાં પોઢી ગયા. આમ રમણલાલે સાહિત્યના બધા જ ક્ષેત્રમાં પોતાની કલમ અજમાવેલી છે પણ ચિરસ્મરણીય રહેશે નવલકથા તરીકેની તેમના પ્રદાનનું. અગ્રણી ઉઘોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઈ શિલભદ્ર શ્રેષ્ઠી કસ્તૂરભાઈનો જન્મ ૧૯-૧૨-૧૮૯૪ ના રોજ અમદાવાદમાં થયો હતો. મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈ ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અચાનક પિતાજીનું અવસાન થતા મિલનો કારોબાર સંભાળ્યો. જીનિવા ખાતે ભરાનાર વિશ્વ મજૂર પરિષદમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે તેમને પસંદ કરાયા હતા. તેમણે બ્રિટન સાથે સારા સંબંધ જાળવવાની નીતિ અખત્યાર કરી, પણ સ્વદેશના ભોગે નહીં. સારો વહીવટ, ઊંચી જાતના ઇજીપ્તના રૂના વપરાશનો આગ્રહ રાખવાથી દેશમાં અરવિંદ મિલે ઉચ્ચ સ્થાન મેળવ્યું. આઝાદી બાદ કસ્તૂરભાઈ બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદે નીમાયા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે વર્ષો સુધી કાર્યભાર સંભાળ્યો. તેમના નેજા હેઠળ કેળવણીની અનેક સંસ્થાઓ શરૂ થઈ. એમના પરિવાર તથા ઉદ્યોગગૃહોના કુલ છ કરોડથી વધારે સખાવતોમાંથી દોઢ કરોડ તો શિક્ષણના ક્ષેત્રે જ અપાયા હતા. ગર્ભશ્રીમંત હોવા છતાં તેમનું અંગત જીવન સાદગી અને કરકસરભર્યું હતું. કસ્તૂરભાઈ ‘અતુલ’ની એક મીટીંગમાં ગયા હતા અને તબિયત લથડતાં અમદાવાદ પરત આવ્યા. સારવાર કારગત ન નીવડતાં આખરે તેમણે દેહ છોડ્યો. તેમણે ઇચ્છા વ્યક્ત કરી Jain Education International ૧૮૩ હતી કે “મારા મૃત્યુના શોકમાં એક પણ મિલ બંધ ન રહેવી જોઈએ.” એમ જ થયું. જેના હૈયે સદાય સમાજનો સંપ, સંગઠન અને સહકારની ચિંતા રહેતી તેવો એક ઝળહળતો સિતારો લુપ્ત થયો. ખ્યાતનામ દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રનું સાગર કાંઠાનું ગામ ઘોઘામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દૃઢ નિરધાર કર્યો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ થયા કે તુરત જ ક્લાર્ક તરીકેની નોકરી સ્વીકારી. દરમિયાન કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરીપાકરૂપે તેઓ ભાવનગર મ્યુ.ના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઊતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. તેમની આ નિઃસ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દીવાન તરીકે પસંદ કર્યા. દરમિયાન રાજ્યમાં દારુણ દુષ્કાળરૂપી આફતનાં ઓળાં ઊતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી સાથે સાથે વકીલ તરીકેની કામગીરી પણ ચાલુ રાખી હતી. પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું “દેઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.' For Private & Personal Use Only નારીરત્ન પ્રેમલીલાબહેન નારી શિક્ષણના અદ્વિતીય ઉપાસક અને દાનની ભાગીરથી વહાવનારાં પ્રેમલીલાબહેનનો જન્મ ઇ. ૧૮૯૪ માં રાજકોટ જિલ્લાના મોવિયા ગામે થયો હતો. પારિવારિક શિક્ષણ ઘરના ઓરડાઓમાંથી મેળવ્યું. એમના લગ્ન મુંબઈના શેઠ વિઠ્ઠલદાસ ઠાકરશી સાથે થયા હતા. શેઠ વિઠ્ઠલદાસે નારીજીવનના ઉન્નતિના www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy