SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સમગ્ર સૌરાષ્ટ્રને ત્રણ-ત્રણ દાયકાઓથી ધમરોળતા ડફેરોની બંદૂકોનો સામનો એકલપંડે છેલભાઈએ કર્યો હતો. વીર છેલભાઈએ મહાભયંકર એવી અનેક અસુર ટોળીઓનો નાશ કરી જનતાને અભયદાન આપ્યું. તેમણે અસુરોને માર્યા હતા તેના કરતા તાર્યા હતા તેની નામાવિલ મોટી છે. તેમના પુનિત સ્પર્શે ઘણાં દાનવ માનવ બન્યા હતા. બ્રિટિશ હકૂમતને છેલભાઈ આંખના કણાની જેમ ખૂંચતા હતા. દરમિયાન જૂનાગઢ નવાબે સોરઠ પ્રદેશને પાકિસ્તાન સાથે ભેળવી દીધાની જાહેરાત કરી. સૌને લાગ્યું કે આ હિજરત છેલભાઈ જ થંભાવી શકશે. નવાબને તેમણે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. ભલે, એમનું મિશન સફળ ન થયું પણ એમના હિમ્મતભર્યા કાર્યની તારીફ થઈ. છેલભાઈ ઘોડેસવારીમાં ભલભલાને ભૂ પાઈ દેતા, નિશાનબાજીમાં પણ એવા જ પાવરધા. આ વિરલ વિભૂતિનું અવસાન ઇ. ૧૯૫૬ માં રાજકોટ મુકામે થયું. જનતા શોક સંતપ્ત બની. જનતાને પીડતા અસૂરોના સંહારક અને રાષ્ટ્રભક્ત બ્રહ્મમાં લીન થઈ ગયા. પ્રતિભાસંપન્ન પુરુષ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક બહુમુખી પ્રતિભાશાળી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨૨-૧૮૯૨ ના રોજ નડિયાદ ખાતે થયો હતો. બી.એ. એલ.એલ.બી. થયા પરંતુ વકીલાતમાં જીવ ચોંટ્યો નહીં. વિદ્વાન મિત્રોનો સંપર્ક અને લાઈબ્રેરીમાં વાચને તેમને ઘણું વિચારભાથુ આપ્યું. ગાંધીજીની વિચારસરણીના વિરોધી છતાં જ્યાં જરૂરી જણાયું ત્યાં સ્વીકાર્યું. ગમે તેવા ચમરબંધી આગળ પણ નમતું ન જોખવાનું સ્વાભિમાન અને ખમીર હતું. સ્વદેશી ચળવળ, હોમરુલ લીગ અને બોમ્બપ્રવૃત્તિ જેવા અનેક પ્રશ્નોમાં જલદ રીતે કાર્યરત રહીને પૂરા છ દાયકાના વિશાળ ફ્લક પર કોઈપણ અન્યાય સામે તેમનો આતશ ભભૂકતો જ રહેતો. તેમનું લેખનસાહિત્ય બહુમૂલ્ય છે. ‘માયા’ નવલકથા ઉપરાંત આત્મકથાના પાંચભાગ, આઠ નાટકો, લઘુકથાઓ અને ગાંધીજી વિષેના સંસ્મરણો રજૂ કરતા પુસ્તકો અદ્વિતીય છે. રાજકીય ક્ષેત્રે ચાર વખત લોકસભામાં ચૂંટાઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં પાછું વાળીને જોયું નથી. બહુમુખી પ્રતિભાશાળી ઇન્દુચાચાએ મોત સામે પણ ૮૧ દિવસની બાથ ભીડી અને ૧૭-૭-૧૯૭૨ ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. જેમને ઉમાશંકર જોશીએ અમીર નગરીના ફકીર Jain Education International પથપ્રદર્શક બાદશાહ' કહીને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી તે શ્રી ઇન્દુચાચામાં જાહેર કાર્યોમાં રચ્યાપચ્યા રહેવાની ખુવારી, ખુમારી અને ખમીર અજોડ અને બેનમૂન હતા. વિખ્યાત પત્રકાર ચાંપશીભાઈ ઉદ્દેશી સાહિત્યિક સામયિક પ્રગટ કરવાનો આતશ જેમનામાં હતો તેવા ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઈ ઉદ્દેશીનો જન્મ ૨૪-૪-૧૮૯૨ માં થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી. પરંતુ તેમના મનમાં એક શિષ્ટ અને સાંસ્કારિક સામયિક પ્રગટ કરવાનો આશય સદા જલ્યા કરે. આખરે એમણે ‘નવચેતન’ માસિક શરૂ કર્યું. ‘નવચેતન’ને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગૂલ રહેતા તેને ખાતર તેમણે અત્યંત મુસીબતો વેઠી, છતાં ‘નવચેતન’ના ઉત્કૃષ્ટ પ્રકાશનને જીવનમંત્ર બનાવી જીવનના અંત સુધી કર્તવ્ય નિભાવ્યું. ત્રણ દાયકા સુધી કલકત્તામાંથી પ્રગટ કરીને પાછળથી ચાંપશીભાઈ અમદાવાદ આવતા ત્યાંથી જ પ્રગટ થવા લાગ્યું. આવું શિષ્ટ સામયિક સતત ચાલતું રહે તેની પાછળ અને સાહિત્યના લગાવ સિવાય બીજું શું હોય શકે? ગુજરાતી રંગભૂમિ પર રજૂ કરી શકાય તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા. ઉપરાંત ફિલ્મ અને ક્રિકેટનો જબરો શોખ હતો. એમની બે કથાઓ પરથી ફિલ્મ પણ ઊતરી હતી. તેમની નિયમિતતા અને રસિકતાથી પ્રભાવિત થઈ ‘રેઈન્જર્સ ક્લબ’ નામની કલકત્તાની યુરોપિયન ક્લબે ચંદ્રક અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. ૨૬-૨-૧૯૭૪ના રોજ ચાંપશીભાઈએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. For Private & Personal Use Only યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ આદર્શ સાહિત્ય ઉપાસક શ્રી રમણલાલ દેસાઈનો જન્મ ૧૨-૫-૧૮૯૨ના રોજ નર્મદા નદીના કિનારે આવેલા શિનોર ગામમાં થયેલો. વડોદરાની હાઈસ્કૂલમાં તેમણે ‘વિદ્યાર્થીભૂષણ’ હસ્તલિખિત પત્ર શરૂ કરેલ. વ્યાયામ અને રમતગમતનો શોખ પણ ખરો. બી.એ.ની પરીક્ષામાં કોલેજમાં પ્રથમ આવવાથી વડોદરા કોલેજમાં ફેલો થયા અને વડોદરા રાજ્યમાં શિક્ષકની નોકરી શરૂ કરી. રમણલાલનો સાહિત્યભંડાર વૈવિધ્યપૂર્ણ છે. તેમણે www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy