SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ પ્રતિભાઓ ગામમાં ૭-૬-૧૮૮૮ ના રોજ થયો હતો. મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી વડોદરા કોલેજમાં ઇજનેર બન્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ભાઈકાકાની સેવાનો લાભ ઉઠાવ્યો. તેમણે ઠેર ઠેર બાગબગીચા ઊભા કર્યા. આજનું રમણીય કાંકરિયા તળાવ પણ તેમણે ખોદાવ્યું. શરૂઆતમાં વડોદરા રાજ્યની અને પછીથી બ્રિટિશ સરકારની નોકરી કરી. ભાઈકાકાના જીવનનું સૌથી મહત્વનું કાર્ય એ આણંદ પાસે “વલ્લભવિદ્યાનગરની સ્થાપનાનું છે. ત્યાં અનેક વિદ્યાધામો સ્થાપ્યા અને આજે તો આ વિદ્યાપીઠ એક આદર્શ વિદ્યાપીઠ તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. વલ્લભભાઈના સબળ સમર્થન અને હૂંફથી ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ અહીં ઊભી થઈ હતી. વલ્લભવિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. | શ્રી ભાઈકાકાનું દેહાવસાન ૩૧-૩-૧૯૭૦ ના રોજ થયું હતું. તેઓ પોતાની અનેક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરણા આપતા ગયા છે કે સાધનો મર્યાદિત હોય, ઉંમર વધતી જતી હોય તો પણ ધગશ અને તમન્ના હોય તો અસંભવિત કાર્યો પણ સંભવિત બની સફળતાના શિખરો સર કરી શકાય છે. અધ્યાત્મ સંત કાનજીસ્વામી મહાન આધ્યાત્મિક સંત કાનજીસ્વામીનો જન્મ સંવત ૧૯૪૬ના વૈશાખ સુદ ૨ના દિવસે ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં થયો હતો. નાનપણથી જ તેના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા દેખાતી હતી. દીક્ષા ગ્રહણ કરવાના દઢ નિર્ધાર સાથે તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો અભ્યાસ આરંભ્યો. તેમની ન્યાય-નીતિ ભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી દેતી અને આસ્તિક બનાવી દેતી. કાનજી સ્વામીએ ૫૦૦ જેટલા ભક્તો સાથે ભારત દેશની યાત્રા કરી. આ યાત્રાને લીધે લાખો લોકોને આ મહાન વિભૂતિના દર્શન કરવાની તક મળી. તેઓ જે ગામડામાં પધારે ત્યાંના બધા ખેડૂતો પણ ઉત્સવ મનાવી તે દિવસે સાંતી જોડવાનું બંધ રાખતા ને કાનજી સ્વામીનું પ્રવચન સાંભળતા. દરમિયાન અનેક સ્થળોએ કાનજીસ્વામીને હસ્તે “દિગંબર જિન મંદિરના શિલાન્યાસ થયા. * ઇ. સ. ૧૯૬૪ માં મુંબઈમાં કાનજીસ્વામીની ૭૫ મી જન્મજયંતિનો હીરક મહોત્સવ' ઊજવવામાં આવ્યો હતો. ૯૧ વર્ષની સુદીર્ઘ વય સુધી દિગમ્બર જૈન સંપ્રદાયના મુખ્ય આચાર્ય તરીકે જ્ઞાન વિતરણ કર્યા પછી ૨૯-૧૧-૧૯૮૦ ના રોજ આ અધ્યાત્મ સંતે પૃથ્વીલોક પરથી વિહાર કર્યો. દિગમ્બર જૈન સંપ્રદાયને નવું પરિમાણ બક્ષનાર કાનજીસ્વામીનું નામ આજે પણ અમર છે. રંગભૂમિના વિખ્યાત નટ જયશંકર સુંદરી નાટ્યકલાના આજીવન સાધક અને નવી રંગભૂમિના કલ્પનાશીલ જયશંકર ભોજકનો જન્મ ૨૯-૧-૧૮૮૯ ના રોજ વિસનગર મુકામે થયો હતો. બચપણથી જ નાટકની રઢ લાગતા ભણતરમાં એમનો જીવ જરાય ખૂંચ્યો નહીં. નવ વર્ષની વયે હઠાગ્રહ કરીને એમણે નાટ્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ઉર્દૂ નાટકોના એ જમાનામાં અનેક મુસીબતો વેઠીને અભિનયની તાલીમ શીખી લઈ, એમણે નાટકોમાં નાની-મોટી ભૂમિકા ભજવવા માંડી. જયશંકરે માત્ર ૧૨ વર્ષની ઉંમરે “સૌભાગ્ય સુંદરી’ માં સૌપ્રથમ સ્ત્રીની ભૂમિકા કરી તે બદલ એમની એટલી તો વાહવાહ થઈ ગઈ કે તે નાટકે તેને “સુંદરી' ઉપનામ આપ્યું. પછીના સમયમાં તેમણે સ્ત્રીપાત્રની ભૂમિકામાં જે કીર્તિ મળી તે ભાગ્યે જ અન્ય કોઈ ગુજરાતી નટને મળી હશે. સાહિત્યના અનેક સ્ત્રી પાત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયામ કરી એમણે તાલીમ લીધી હતી. તેમની સમગ્ર કારકિર્દીમાં માત્ર બે જ નાટકમાં તેમણે પુરુષની ભૂમિકા ભજવી હતી. જયશંકરે સફળ સિદ્ધિના પરિણામ સ્વરૂપ અપ્રતિમ લોકચાહના અને કીર્તિ પ્રાપ્ત કર્યા. તેમને રણજિતરામ ચંદ્રક' તેમ જ ‘પદ્મવિભૂષણ'નો ખિતાબ પણ એનાયત થયો હતો. તેમણે નાટકોમાં દિગ્દર્શન પણ કર્યું અને આઠેક હજાર વખત પ્રેક્ષકો સમક્ષ અભિનય આપ્યો હતો. ૨૨-૧-૧૯૭૫ ના સમી સાંજે ગુજરાતી રંગભૂમિનો આ નટ નટવરની લીલામાં ભળી ગયો. ગુજરાતી રંગભૂમિનો આ નટ નટ વિરલ વિભૂતિ પુરુષ રાષ્ટ્રવીર છેલભાઈ સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર એક જનસમર્પિત શૌર્યવંતા રાષ્ટ્રભક્ત છેલભાઈનો જન્મ ૧૬-૧૦-૧૮૮૯ ના રોજ થયો હતો. ધ્રાગંધ્રાના રાજવી શ્રી અજિતસિંહજીએ છેલભાઈને પારખી લીધા અને રાજ્યની લશ્કરી પાંખમાં અફસરપદે નિમણૂક કરી. બસ અહીંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy