SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પથપ્રદર્શક રવિશંકર રાવળ તેમાં પ્રસંગ ચિત્રો દોરતા હતા. સાહિત્યમાં સમૃદ્ધ બન્યું પણ આર્થિક રીતે સમૃદ્ધ બની શક્યું નહીં. આર્થિક ખોટ વધતી જ ગઈ. સાહિત્યના ઉત્કર્ષ ખાતર જ માત્ર ૪૨ વર્ષના અલ્પાયુમાં ભગીરથ કાર્ય કરનાર હાજી મહમ્મદ ૨૧-૧-૧૯૨૧ ના રોજ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમના અવસાન સાથે વીસમી સદી'નું પ્રકાશન ભલે બંધ પડ્યું, પરંતુ કવિ હાનાલાલના શબ્દોમાં કહીએ તો “બીજની કલા સમી ઊગી ને આથમી ગયેલી એ ટૂંકજીવી તેજકલા ધ્રુવતારક સમી જીવનપ્રેરક બની ગઈ. પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા મોતીભાઈ અમીન ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને શિક્ષણ અને સંસ્કારનો સ્પર્શ કરાવનાર મોતીભાઈ અમીનનો જન્મ ૨૯-૧૧-૧૮૭૩ ના રોજ થયો હતો. ગ્રેજ્યુએટ થઈ શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. મોતીભાઈએ બે જ વર્ષના ગાળામાં વડોદરા રાજ્યમાં ૪00 પુસ્તકાલયો શરૂ કર્યા હતા. ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતા પુસ્તકાલયો' સ્થાપીને તેમણે સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેવાડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. ભાષણો અને પ્રમુખસ્થાનોથી સદાયે દૂર રહી મોતીભાઈએ જે વાચનવિસ્તારનો અવિરત સેવાયજ્ઞ કર્યો તે આજે પણ અવિસ્મરણીય છે. ગુજરાતની સૌપ્રથમ મોન્ટીસોરી શાળા આરંભવાનું શ્રેય તેમને ફાળે જાય છે. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે “ગ્રંથપાલ ઉદ્યમ પિતામહ'નું બિરુદ આપી તેમને નવાજ્યા હતા. સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી મોતીભાઈએ સામાજિક જડ રૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો. ગાંધીજીએ મોતીભાઈને “ચરોતરનું મોતી' કહી બિરદાવ્યા હતા. ૧-૨-૧૯૩૯ ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી અને સાધુપુરુષ ગુમાવ્યાનો અપાર ખેદની લાગણી અનુભવી. સચિત્ર પત્રકાર શ્રી હાજી મહમ્મદ ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર હાજી મહમ્મદનો જન્મ ખોજા કુટુંબમાં થયો હતો. પિતાના સાહિત્ય પ્રેમનો વારસો હાજી મહમ્મદને મળ્યો એમ કહી શકાય. તેમનું ઘર કવિઓ, સાહિત્યકારો અને કલાકારોનું તીર્થધામ બની રહ્યું. અંગ્રેજી ભાષાના સચિત્ર સામયિકો જોઈ એવું જ એક સામયિક ગુજરાતીમાં પ્રગટ કરવાનું તેમનું સ્વપ્ન હતું. અસંખ્ય સામયિકો ખરીદીને વાંચે. આખરે ચિત્રોથી શણગારેલ, લલીત સાહિત્યથી ઓપતું એક મનમોહક માસિક “વીસમી સદી' પ્રકાશિત કર્યું. પ્રકાશન સાહિત્યમાં નવયુગ શરૂ થયો. જેમાં ક.મા. મુનશી, હાનાલાલ, ધૂમકેતુ, નરસિંહરાવ દિવેટિયા વગેરે લેખકો લખતા હતા અને ભક્તરાજ લાલાબાપા સંતરત્ન ભક્તરાજ પૂજ્ય લાલાબાપાનો જન્મ ગોંડલ પાસેના રીબ જેવા એક નાનકડા ગામડામાં ૧૮-૧૦-૧૮૮૦ ના રોજ થયો હતો. બાલ્યકાળથી જ તેમને રામનામ પ્રત્યે અજબ લાગણી હતી. યુવાવસ્થામાં જ દયા, પ્રેમ, ધર્મ, પરોપકાર અને દાનના ભાવ પ્રગટ થવા લાગ્યા. જીવજંતુઓ પગે કચડાય નહીં તે માટે પોતે દેહાંત પર્યત પગરખાં પહેરેલ નહીં. પૂજ્ય લાલાબાપાએ પોતાનું સમગ્ર જીવન કાળિયા ઠાકોર ઉપર શ્રદ્ધા રાખી ત્યાગ, સંયમ અને ભક્તિના રંગે રંગાઈને, ભક્તજનોના હૃદયમાં બિરાજી એક સાધારણ મનુષ્યમાંથી મહાન ભક્તરાજ થયા અને સેવાની જ્યોત જલાવીને ભાવિ પેઢીના ભક્તિમાર્ગના પથદર્શક બની ગયા. ગુરૂદેવનો ઉપદેશ યોગ્ય પ્રમાણમાં પચાવી કામ, ક્રોધ, લોભ, મોહને હણીને સંયમ પાળ્યો હતો. પૂજ્ય લાલાબાપાની વય વધવાની સાથે શરીર કશ બની જતાં તેની અસર શારીરિક તંદુરસ્તી ઉપર જણાઈ. તુરત જ તેમણે સેવકોને બોલાવી સત્સંગ દ્વારા મળેલ જ્ઞાન, જીવનમાં ઉતારવા જણાવ્યું. જાણે કે પોતાના મૃત્યુનો અણસાર આવી ગયો હોય! ૧૮-૪-૧૯૪૧ ના રોજ ગોંડલ મુકામે તેમણે ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો અને તેમના ગુરુદેવની ગોદમાં સમાધિસ્થ થયા. નિષ્ઠાવાન લોકસેવક ભાઈલાલભાઈ પટેલ વલ્લભવિદ્યાનગર જેવા એક વિરાટ વિદ્યાસંકુલના દષ્ટા અને ભ્રષ્ટા શ્રી ભાઈકાકાનો જન્મ ખેડા જિલ્લાના સોજિત્રા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy