SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ પ્રતિભાઓ મુકામે દેહવિલય થયો. શ્રી ભુવનેશ્વરી પીઠ દ્વારા તેમણે ધાર્મિક, શૈક્ષણિક અને માનવસેવાની જે સમ્પ્રવૃતિઓ આરંભી હતી તે આજે પણ અવિરત ચાલ્યા કરે છે. ક્રિકેટના જાદુગર જામ રણજિતસિંહ ક્રિકેટ જગતમાં “રણજી' તરીકે ઓળખાતા જામનગર નરેશ શ્રી રણજીતસિંહનો જન્મ ઇ. ૧૮૭૨ માં થયો હતો. રાજકુમાર તરીકે દેશ-વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાત બન્યા. રાજકુમાર “રણજી' ને શિકારનો ખૂબ જ શોખ હતો. એક દિવસ તેઓ સાથીદારો સાથે જંગલમાં શિકાર કરવા માટે ગયા. જંગલી પશુને નિશાન બનાવી તેમના સાથીદારે ગોળી છોડી, ગોળી નિશાન ચૂકી રણજિતસિંહને આંખમાં વાગી, ઘણાં ઇલાજો કરવા છતાં એ આંખમાં કાયમને માટે ખોડ રહી ગઈ. છતાં સાથીદારને માફ કરવાના તેમના ઉમદા વર્તાવથી તેઓ ખૂબ પ્રિય થઈ પડ્યા હતા. ક્રિકેટ મેચ પૂર્વે પ્રેકટીસ કરતા તો તેઓ થાકતા જ નહીં. રણજી ડિફેન્સિવ રમતને ડરપોક ગણી ધિક્કારતા પોતાના કાંડાના વળાંક માત્રથી જ રણજી ઝડપી બોલરના બોલ ને લેગ ઉપર એવી સિફતથી ફટકારતા કે બોલ વીજળી ગતિએ મેદાન વીંધી જતો. તેમની ફિલ્ડીંગ પણ એટલી જ વખણાતી. બધી મેચોમાં મળી તેમણે ૭૨ સદીઓ નોંધાવી હતી. ફેફસાના દર્દથી પીડાતા તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે તેમણે “જ્યુબિલિ બુક ઓફ ક્રિકેટ' લખી રાણી વિક્ટોરિયાને અર્પણ કરી હતી. ઇ. ૧૯૩૩ માં જામ રણજીતસિંહનું અવસાન થતાં ક્રિકેટજગત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ક્રિકેટક્ષેત્રે રણજિતસિંહે ગુજરાતને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે. વિદ્યાવ્યાસંગી ઉદ્યોગપતિ સર વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈના વિખ્યાત ઉદ્યોગપતિ દામોદર શેઠને ત્યાં માતા નાથીબાઈના કૂખે જન્મેલા વિઠ્ઠલદાસ પર નાનપણથી જ કુટુંબના ધાર્મિક સંસ્કારોની ગાઢ અસર પડી હતી. દરમિયાન પિતાનું અવસાન થતાં વેપારની બધી જવાબદારી વિઠ્ઠલદાસને શિરે આવી પડી. માત્ર ત્રણ જ વર્ષમાં ધંધા પર એમનો એવો તો જાદુ પ્રસર્યો કે તેઓ ‘મિલ ઉદ્યોગના રાજા' તરીકે ઓળખાવા લાગ્યા. સરકારે તેમને “નાઈટહૂડ'નો ખિતાબ અર્પણ કરી તેમની અનન્ય શક્તિઓની કદર કરેલી. સર વિઠ્ઠલદાસે ગાયકવાડ સરકારની સહાયથી પોતાના વતન ઓખામંડળ સુધી રેલવે ચાલુ કરાવી, પૂનામાં નર્સંગ હોમ ચાલુ કર્યું, ચાંદોદ તીર્થની “દામોદર ઠાકરશી સંસ્કૃત પાઠશાળા' ની સ્થાપના કરી, તે સમયનું હિંદનું મોટામાં મોટું સિમેન્ટનું કારખાનું નાનું જે આજની એ.સી.સી. કંપની. આ સૌમાં નોંધપાત્ર છે “શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા યુનિવર્સિટી.” માત્ર સ્ત્રીઓ માટેની દેશની આ સૌ પ્રથમ વિદ્યાપીઠ છે. જે S.N.D.T તરીકે જાણીતી છે. ૧૨-૯-૧૯૨૨ ના રોજ ૪૯ વર્ષની વયે તેઓએ જીવનલીલા સંકેલી લીધી. સર વિઠ્ઠલદાસે મુંબઈના મેયરથી માંડીને દેશના ઉદ્યોગો સાથે અનેક પરિષદો, કમિટિઓમાં નેતૃત્ત્વ લઈને પોતાની આગવી પ્રતિભાઓનો પરિચય સૌને અનેકવાર કરાવ્યો હતો. સાધુચરિત અમૃતલાલ પઢિયાર સાક્ષરવર્ય શ્રી અમૃતલાલ પઢિયારનો જન્મ જૂનાગઢ પાસેના ચોરવાડ ગામમાં થયો હતો. નાનપણથી જ પુસ્તકો તથા સામયિકો વાંચવાનો ભારે શોખ. એટલે ધીમે ધીમે એમના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જ રહી. થોડો સમય શાળામાં શિક્ષકની નોકરી તથા જૂનાગઢ રાજ્યના વહીવટી ખાતામાં કારકુની પણ કરી. ત્યાર પછીનું સઘળું જીવન એ સાધુપુરુષે વાચન, લેખન, વ્યાખ્યાન તથા સત્સંગમાં ગાળ્યું. વૈદકમાં શ્રી પઢિયાર ખૂબ જ પ્રવીણ હતા અને વનસ્પતિના જ પ્રયોગો ઉપર તેઓ આધાર રાખતા. તેમનો પહેલો લેખ દશેક વર્ષના હતા તે વખતે “ચોપાટ’ વિશે લખાયો હતો. ત્યારે જ તેમણે દઢ નિર્ધાર કરેલો કે કંઈક લોકભોગ્ય પુસ્તક લખવું જ. તેમના “સ્વર્ગના પુસ્તકોની આખી ગ્રંથાવલિ સરળ અને રસીલી ભાષામાં લખાયેલી છે. તેમના કેટલાક અનુભવો પુસ્તકસ્વરૂપે કે છૂટક લખાણોમાં સુંદર રીતે આલેખન થયા છે. મોટાભાગના લોકપ્રિય સામાયિકોમાં એમનું કંઈ ને કંઈ સુબોધક લખાણ જોવામાં આવતું. શ્રી પઢિયારની સાદાઈ તો ખરેખર આદર્શરૂપ જ હતી. જેવું લખતા તેવું જ તે બોલતા અને તેવું જ તેઓ જીવતા. સાક્ષર શ્રી અમૃતલાલ પઢિયારનું શોકજનક અવસાન મુંબઈમાં ૧૮-૭૧૯૧૯ના રોજ થયું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy