SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ પ્રતિભાઓ મળે તે માટે ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી. ઓલ ઇન્ડિયા ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધિ તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા. કલાકારો, ક્રિકેટરો, સાહિત્યકારો અને સંશોધકો એમની કલાસૂઝથી પ્રેરાઈને સદા એમના સંપર્કમાં રહેતા. ત્રણ-ત્રણ વખત વ્યાપારમાં આર્થિક નુકશાન થયું, છતાં અપાર ધૈર્યથી સ્વસ્થતાપૂર્વક કામ સંભાળી લીધું. મહર્ષિ અરવિંદ અને માતાજી પરની પરમ શ્રદ્ધાએ હાલક-ડોલક થયેલી એમની જીવનનૌકા સંભાળી લીધી હતી. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં ૩-૩-૧૯૭૦ ના રોજ એમણે ચિર વિદાય લીધી. શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી શીલભદ્ર હતા અને સફળ સંચાલક હતા. નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય સાગર–સાહસની નવલકથાઓ લખનાર પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસર ગામે ૯-૯-૧૯૦૦ના રોજ થયો હતો. મેટ્રિક થઈ મુંબઈમાં પત્રકાર બનવાની તાલીમ લીધી. અને નામાંકિત વર્તમાનપત્રોના તંત્રી વિભાગમાં પોતાની અનન્ય સેવા દ્વારા લેખન પ્રવૃત્તિની શરૂઆત કરી. પીરમનો પાદશાહ’ અને ‘સોરઠી શમશીર' નવલકથાઓથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા “ધુવાદેવી' સુધી અવિરત ચાલ્યા કરી છે. તેમાંય સાગર સાહસોને વણી લેતી તેમની નવલકથાઓમાંથી ખૂબ લોકપ્રિય થયેલી “દરિયાલાલ' નવલકથાને તો “રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. ચોક્કસ પ્રકારના ઐતિહાસિક પ્રસંગો પસંદ કરીને એમનાં ઉપર કથા લખવાની એમની વિશિષ્ટ હથોટી હતી. તેમણે નવલકથાઓ, નવલિકાઓ, જીવનચરિત્રો, જાસૂસી કથાઓ વગેરે મળીને ૧૨૫ જેટલા પુસ્તકો ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યા છે. ગુણવંતરાય આચાર્ય ૨૫-૧૧૨-૧૯૬૫ ના રોજ આ ભવસાગરને પાર કરી ગયા. તેમની પુત્રી વર્ષા અડાલજાના શબ્દોમાં જોઈએ તો “પપ્પા મૃત્યુ પામ્યા ત્યારે પાછળ કોઈ કાગળિયા, પત્રો કશું જ નહીં, ન ટેબલ ન ખાનાં, ડાયરી, ફાઈલો કંઈ જ નહીં. કોઈ હીસાબ-કિતાબ નહીં, એક આરામ ખુરશી અને થોડાં રેફરન્સ પુસ્તકો બસ.” સ્વપ્નદૃષ્ટા સારસ્વત ડોલરરાય માંકડ ગુજરાતના એક મહાન સારસ્વત ડોલરરાય માંકડનો જન્મ કચ્છના જંગી નામના ગામમાં ૨૩-૧-૧૯૦૨માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જોડિયામાં અને કોલેજનું શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં લીધું. અને પછીથી કરાંચી કોલેજમાં અધ્યાપક બન્યા. ત્યાં ગુજરાતીઓ માટેની વસાહત ગુજરાતનગર ઊભું કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. કરાંચીમાં ભાઈકાકા સાથે મૈત્રી થઈ. ભાઈકાકાએ ગ્રામ વિદ્યાપીઠની કલ્પના સાથે વલ્લભવિદ્યાનગરની સ્થાપના કરી અને પછી ત્યાં શ્રી માંકડ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ગ્રામજીવન સાથે સંકળાયેલી ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડામાં સ્થાપી. ત્યાં દરબાર ગોપાલદાસ મહાવિદ્યાલય ઊભુ કર્યું. શિક્ષણક્ષેત્રે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના તે આગ્રહી હતા. અલંકારશાસ્ત્રના અભ્યાસનો નિચોડ તેમની એક પુસ્તિકા “ગીતાનો બુદ્ધિયોગ માં વ્યક્ત થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોના બાંધકામમાં તેમણે સારી એવી સૂઝના દર્શન કરાવ્યા હતા. એક કામ ચાલતું હોય અને વચ્ચે બીજું કામ આવી પડે તો તે પૂરું કરતા. અને વળી પાછું પેલું જ્યાંથી અટક્યું હોય ત્યાંથી આગળ ચલાવતા. એ કહેતા પણ ખરા : “મારા મગજમાં જુદા જુદા ખાના છે. મારે જ્યારે જે ખાતું ખોલવું હોય તે ખોલું છું અને બંધ કરવું હોય તે બંધ કરું છું. ઇ. ૧૯૭૦માં બીજી ઓગષ્ટ હૃદયરોગથી તેમનું દેહાવસાન થતાં ગુજરાતે એક સ્વપ્નદૃષ્ટા સારસ્વત ગુમાવ્યો. વલ્લભવિદ્યાનગરના આરંભની શૈક્ષણિક પ્રતિષ્ઠામાં તેમનું પ્રદાન સદેવ સ્મરણીય રહેશે. સાક્ષરવર્ય એચ. એમ. પટેલ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઝળકી ઉઠનાર શ્રી હીરાલાલ પટેલનો જન્મ ૨૭-૮-૧૯૦૪ ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર ૧૬ વર્ષની વયે તેઓ વધુ અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયા. આઈ.સી.એસ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી તેઓ સ્વદેશ પરત આવ્યા. તુરત જ આસિસ્ટંટ કલેકટર તરીકે જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બજાવેલી કામગીરી માટે તેમને સી. આઈ. ઈ.નો ખિતાબ એનાયત થયો હતો. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy