SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૦૫ ગુર મહાસાગરના મોતી -એલ. વી. જોશી (એમ.એ., બી.એડ.) જેમણે ગુણિયલ ગુજરાતનો ઇતિહાસ સજર્યો છે, જેમણે ગુર્જર સાહિત્ય અને સંસ્કૃતિની માવજત કરી છે અને જેઓ સમાજની સેવા કરી સુખડની જેમ ઘસાઈ ગયા તેવા અધ્યાત્મ સંતો, સારસ્વતો, લોકસેવકો, રંગભૂમિના કલાકારો, ઉદ્યોગપતિઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ વગેરે મુઠી ઊંચેરા માનવીઓના જીવનનું વાચન આપણાં જીવન ઘડતરમાં મહત્ત્વનું યોગદાન રહેલું છે. એમણે પ્રદાન કરેલ વારસો કેટલો મૂલ્યવાન અને વૈવિધ્યપૂર્ણ છે એની સમજ તો આ પ્રકારની લેખમાળા વાંચ્યા પછી જ અનુભવી શકાય. આ ગુર્જરભૂમિ તો મહાસાગર સમાન છે જેમાં અસંખ્ય રત્નો પાક્યા છે. મહાસાગરમાં જેમ મોતી શોધવા પડે છે તેમ સંસ્કૃતિને બળ આપતા આવા માનવબિંદુઓ એકત્રિત કરી, તેમના જીવનની સમૃદ્ધિને અત્રે સંપાદિત કરી વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. ગુર્જર વિભૂતિઓને ન કેવળ ભારતની પ્રજા, બલકે વિશ્વની પ્રજા પણ એમના મહાન પ્રદાન બદલ ગૌરવભેર સ્મરે છે. તો પછી ગુર્જર પ્રજા આ વિભૂતિઓના પરિચયથી વંચિત રહી જાય એ કેમ બની શકે? આવતી પેઢી આ ચરિત્રો વાંચીને જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના કેળવાશે એવી અપેક્ષા જરૂર રાખી શકાય. આ લેખમાળાના લેખક શ્રી લાભશંકર વીરજીભાઈ જોશીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રાફા ગામે તા. ૨૯-૮-૧૯૬૪ ના રોજ થયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થઈ સૌરાષ્ટ્ર યુનિમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કોલેજ કક્ષાએ પ્રાઈઝ મેળવ્યા. હાલમાં જૂનાગઢની શ્રીમતી એન. બી. કાંબલિયા કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અધ્યાપક તરીફરજ બજાવે છે. લેખન-વાચનમાં વિશેષ રુચિ ધરાવતા શ્રી એલ. વી. જોશી છેલ્લા બે વર્ષથી દૈનિક વર્તમાનપત્ર “સંદેશ”ની તમામ આવૃત્તિમાં “આજનો મહિમા' અંતર્ગત દૈનિક કોલમ પ્રગટ કરે છે. જે કોલમવાર આમવાચકોને વ્યક્તિવિશેષ, દિનવિશેષ, તહેવાર, વ્રતો વગેરેની સચોટ માહિતી ઉપલબ્ધ બને છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન સુવિચારરૂપે રજૂ કરવા માટેનું એક હાથવગું માધ્યમ બની રહ્યું છે. લેખક શ્રી એલ. વી. જોશીએ “માનવપુષ્પોની મહેક’ પુસ્તક લખીને ગુર્જર ઉપવનને મધમધતું કરી મૂક્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ધર્મ, જાતિ, કે પ્રદેશના સીમાડા ભૂંસીને લેખકે દેશ-વિદેશના ૩૬૬ મહાપુરુષોના જીવનચરિત્રો અત્યંત લાઘવથી આલેખ્યા છે અને માનવપુષ્પોની સુગંધથી મહેકતી આ ફૂલમાળાને ગુર્જર પ્રજાના કંઠમાં “સ્ત્રી' સામાયિકમાં લઘુકથા, પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ માહિતીપ્રદ લેખો પ્રગટ થયેલ છે. સ્થાનિક ચેનલના માધ્યમથી ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને “શ્રેષ્ઠ પરિણામ એ જ લક્ષ્યવેધ' અંતર્ગત માર્ગદર્શન આપે છે. વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન, જૂનાગઢના સહમંત્રી તરીકે કાર્યરત રહી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપી રહ્યા છે. જ્ઞાતિના સમાચારનું મુખપત્ર'ના સહસંપાદક તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત સરકારની કર્મયોગી યોજના અંતર્ગત સંસ્કૃત વિષય તેમજ સેવક વર્ગના તજજ્ઞ તરીકે તેમજ પ્રાથમિક શાળામાં એમ.એલ.એલ. પદ્ધતિ અને આચાર્ય અંગેના સેમિનારમાં જોડાઈને તાલીમ વર્ગોમાં તજજ્ઞ તરીકે સેવા બજાવી છે. શ્રી એલ. વી. જોશી મળવા જેવા મજાના માણસ છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy