SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કરી દેતા કહ્યું ‘હું આ વિદેશી કપડાં નહીં પહેરું, પરંતુ તેને અગ્નિમાં ન હોમતા પિતાને ઘેર પાછા મોકલીશ. દાંડીકૂચ વખતે અંધકારમાં મીણબતીના અજવાળે કોંગ્રેસની પત્રિકાઓ છાપી. ઉપરાંત વહેલી પરોઢે ગુજરાતના ગામડે-ગામડે વહેંચી. તેઓ સ્વરક્ષણ માટે કટાર પણ રાખતા. અખિલ હિંદ મહિલા પરિષદ, અમદાવાદ શાખાના તેઓ પેટ્રન છે. વિદ્યાગૌરી નિલકંઠ પ્રેરિત બાલમાંગલ્ય કેન્દ્રનો તેમણે કાર્યભાર સંભાળ્યો. વેસ્ટર્ન રેલ્વેના એડવાઈઝરી બોર્ડની કમિટીમાં પણ બે વર્ષ સેવાઓ આપી. વીરબાળાબહેને મીરઝાપુર અને મણિનગરમાં વૃદ્ધાશ્રમો શરૂ કર્યા. દાતાઓના સહયોગથી નારણપુરામાં ‘જીવન સંધ્યા’ વૃદ્ધાશ્રમની સ્થાપના કરી. વડીલો વૃદ્ધોની માંદગીની સારવાર, મોતિયાના ઓપરેશન વગેરે જવાબદારી આ આશ્રમે સ્વીકારી છે. એમની શ્રેષ્ઠ સેવાઓ બદલ અખિલ હિન્દ મહિલા પરિષદ, ગુજરાત દ્વારા ‘લેડી વિદ્યાગૌરી નિલકંઠ એવોર્ડ', જ્યોતિસંઘ દ્વારા ‘માનવસેવા એવોર્ડ’, ‘મહિલા સુરક્ષા એવોર્ડ’, ‘સ્વાતંત્ર્ય સેનાની એવોર્ડ', સાવલિયા રિસર્ચ સેન્ટર તરફથી ‘કીર્તિ સુવર્ણચંદ્રક એવોર્ડ' એનાયત થયા છે. વીરબાળાબહેન કહે છે : મારું જીવનકાર્ય એ જ મારી નિવૃત્તિ છે. વૃદ્ધોના આશીર્વાદ જ મને શક્તિ, બળ અને પ્રેમ આપે છે. દિવ્યાબહેન મારવાડી સામાજિક સંસ્થાઓના કુશળ વહીવટદાર દિવ્યાબહેન મારવાડીનો જન્મ ૧-૮-૧૯૩૧ માં અમરેલી ખાતે થયો. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં ભણતાં તે દરવર્ષે પ્રથમ નંબરે ઉતીર્ણ થયા. એમ.એ. થઈ ડીપ્લોમા ડીગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ Jain Education International પથપ્રદર્શક થતા જ પંચવર્ષીય યોજનામાં બનાસકાંઠામાં નારી સંરક્ષણ ગૃહના સુપ્રિટેન્ડન્ટ તરીકે તેમની નિમણૂંક થઈ. તેમની વહીવટી કુશળતા તેમજ ધગશને કારણે સંસ્થા થોડા જ સમયમાં સ્થિર અને વિકસિત થઈ. એમની કાર્યશક્તિનો પ્રભાવ સમગ્ર જિલ્લામાં પડ્યો. સરકારે એમની બુદ્ધિશક્તિ જોઈને બે વર્ષ માટે તાતા ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ માટે મોકલ્યાં. ડભોડાના મહિલા ભિક્ષુક ગૃહના સુપ્રિટેન્ડન્ટ તરીકે હોદ્દો સ્વીકારી, અસ્થિર મગજની બહેનોને માટે દિવ્યાબહેને પ્રાણ પાથર્યા. જે બહેનોની ભાષા તેઓ જાણતા ન હતા, એમને માટે દુભાષિયા બોલાવી, હકીકત જાણી એમના વતન સુધી પહોંચાડ્યા. ત્યારબાદ અપંગોના ખાસ અધિકારી તરીકે તેમની નિમણૂંક થઈ. સાથે સાથે આર્થિક વિકાસ નિગમમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વધારાની જવાબદારી હસતે મુખે સ્વીકારી લીધી. ચાર માસ માટે અમેરિકા જવા માટે તેમને આમંત્રણ મળ્યું. ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા ખાતાના નિયામક પદ પર રહી સ્ત્રી સંસ્થાઓનો વિકાસ કરવામાં તેમણે અનન્ય ફાળો નોંધાવ્યો. પાકિસ્તાન કરાંચી ખાતે વર્લ્ડ કોન્ફરન્સમાં સોશ્યલ સિક્યોરીટી ફોર ધી બ્લાઈન્ડમાં ભાગ લીધો હતો. આજે તેઓ ‘જીવનસંધ્યા' ના ટ્રસ્ટી છે. વિકાસગૃહ તથા જ્યોતિસંઘના સલાહકાર અને ચંદનબેન દેસાઈ પુસ્તકાલયના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતને અને સ્ત્રી સંસ્થાઓને આવા દેશસેવિકાની આજે તાતી જરૂર છે. જેમણે ખરા અર્થમાં બહેનો, બાળકો અને માનવોની સેવા કરી છે. For Private & Personal Use Only વૃક www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy