SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ લેખો પ્રસિદ્ધ થયા છે. ડૉ. નીતાબહેન કહે છે કે ઘર આંગણે વાવેલી વનસ્પતિને જાણો, સમજો અને યોગ્ય ઉપયોગ કરશો તો સૌંદર્ય સાથે તંદુરસ્તી પણ જળવાશે. પ્રવીણલતાબહેન શોધન સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર પ્રવીણલતાબહેનનો જન્મ ૨૧-૬-૧૯૧૫ના રોજ મુંબઈમાં થયો હતો. સ્વગૃહે જ તેમને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં. પિતાજી ચુનીલાલ મુની ફિલ્મ સાથે સંકળાયેલા એટલે કોહિનૂર ફિલ્મ કંપનીની ‘શકુંતલા’માં પાંચ જ વર્ષની વયે તેમને ‘સર્વદમન’નું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. અને તે અભિનય માટે તેમને સુવર્ણચંદ્રક પણ મળ્યો. અમદાવાદના હરિપ્રસાદભાઈ શોધનની સાથે દામ્પત્યજીવનની શરૂઆત થઈ. ‘માતૃસમાજ’ના પ્રમુખપદે રહી સ્રી વિકાસના કાર્યમાં સહયોગી બન્યાં. ત્યારબાદ વિકાસગૃહના પ્રમુખ તરીકે પ્રવીણલતાબહેનની વરણી થઈ. ત્યાંની બાળાઓને રસોઈ કરતા આવડે એ હેતુથી ‘રોજની રસોઈ' નામની પુસ્તિકા પણ લખી. પ્રવીણલતાબહેન સેવા કાર્યની સતત અને સખત ભૂખને લીધે ઘણાં મહાનુભાવોના સંપર્કમાં આવતા. જડતા, રૂઢિચુસ્તતા અને સમજ વિનાના સગવડિયા ધર્મને તેઓ કદી સ્વીકારતા નહીં. સ્ત્રીઓની શક્તિ ખૂબ વધે અને સમાજમાં એમનું સન્માન થાય એ એમના જીવનની ભાવના રહી. આ સેવાનિષ્ઠ, કાર્યનિષ્ઠ મૂલ્યનિષ્ઠ વાત્સલ્યમૂર્તિ પ્રવીણલતાબહેન શોધનનું ૪-૩-૧૯૯૮ ના રોજ દેહાવસાન થતાં સૌને એક સચોટ માર્ગદર્શક, એક ઉચ્ચ આત્મા ગુમાવ્યાની લાગણી થઈ. હૃદયને સ્પર્શી જાય તેવા તેમના કાર્યની સ્મૃતિ ક્ષણવાર સાંત્વના જરૂર આપે છે. ઊર્મિલાબહેન પટેલ શિક્ષણકાર અને રાજનીતિજ્ઞ કુશળ નારીરત્ન ઊર્મિલા બહેનનો જન્મ ૫-૩-૧૯૩૨ માં વડોદરા ખાતે થયો હતો. એમ.એ., બી.એડ. અને પી.એચ.ડી. થઈ કૉલેજના આચાર્ય બન્યાં. મક્કમતા અને નીડરતા દાખવી ઊર્મિલાબહેને ખેડૂત કુટુંબના ચીમનભાઈ પટેલ સાથે સ્નેહલગ્ન કર્યાં. તેઓ મુશ્કેલીઓ વેઠીને તેઓ એકવખત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં. ત્યારે કેળવણીક્ષેત્રે કામ કરતાં કરતાં ઊર્મિલાબહેન અનેક રીતે છવાઈ ગયાં. ગ્રામ શિબિરોમાં બાળલગ્નો, અત્યાચાર, દહેજ ઉપર વ્યાખ્યાનો દ્વારા સુધારાનું આંદોલન જગાવ્યું. અને એ સાથે જ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું. ૧૯૯૩ માં રાજ્યસભાના સભ્ય Jain Education International 963 તરીકે ચૂંટાયા. કેન્દ્ર ખાતે ભારતના ઊર્જામંત્રી પણ બન્યા. કોંગ્રેસ પાર્ટીનાં અગ્રગણ્ય સભ્ય તરીકે દેશના રાજ્યોમાં યોજાતી ચૂંટણી દરમિયાન સક્રિય ભાગ લીધો. ગુજરાત કેળવણી ટ્રસ્ટ, ગુજરાત વિમેન્સ એક્શન ગ્રુપ, ડૉ. આંબેડકર ટ્રસ્ટ ગુજરાત વગેરે સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર રહી સેવા આપી રહ્યા છે. ઉપરાંત આર્યલેન્ડ, ઇંગ્લેન્ડ, હોલેન્ડ, જર્મની, ઇટાલી, સ્પેન, પોલેન્ડ વગેરે દેશોની મુલાકાત લીધી. ‘સમાજશાસ્ત્ર’, ‘નાગરિકશાસ્ત્ર’, ‘સામાન્યજ્ઞાન’, ‘વર્લ્ડ ફુડ બેંક’ વગેરે પુસ્તકો લખ્યા. નર્મદા સત્યાગ્રહ અને નર્મદા અંગે તેમણે પત્રિકાલેખો લખીને લોકોને પાણી અંગેની યોજના વિષે જાગૃત કર્યા. એક શિક્ષિકા તરીકે તેમણે કેળવણી માટે અને વિશેષ સ્ત્રી કેળવણી અંગે ઘણો ફાળો આપ્યો. આમ કેળવણીકાર, સમાજસુધા૨ક અને રાજનીતિજ્ઞ ઊર્મિલાબહેન પટેલની બહુમુખી પ્રતિભાને આપણે સૌ બિરદાવીએ. દમયંતીબહેન પારેખ પ્રખર સમાજસેવિકા દમયંતીબહેન પારેખનો જન્મ ૨૪૬-૧૯૨૯ના રોજ લીમડી મુકામે થયો હતો. આઝાદીની તમન્ના બાળપણથી જ રગેરગમાં વ્યાપ્ત. બાર વર્ષની વયે જ અભ્યાસ છોડી દેવો પડ્યો. જેમજેમ અનુભવોમાંથી પાર ઊતરતા ગયા તેમ તેમ સમાજસેવામાં ડૂબતા ગયા. આગ અને પૂરમાં ફસાયેલ વ્યક્તિને બચાવવી, જંગલમાં ખાવાનું ન મળે તો શું કરવું? એય પોતે શીખવે ઉપરાંત સીવણ, ચામડાની બેગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી વેચાણ પણ કરાવતા. સમાજ કલ્યાણ સંઘ રાજસ્થાન સ્ટેટમાં મુખ્ય સેવિકા તરીકે તેમજ અમદાવાદમાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘમાં સેવા આપી. ત્યારબાદ જનવાદી મહિલા સમિતિના સભ્ય થયા અને માર્ક્સવાદી પક્ષમાં જોડાયા. રાજસ્થાનના સાંગરિયામાં, ગ્રામોત્થાન વિદ્યાપીઠમાં કામ કર્યું. આસપાસના ગામડાઓમાં જઈ ઉદ્યોગો શરૂ કર્યા. ‘ચાયનાવોર' વખતે રાજસ્થાનની બહેનોના સહકારથી ૩૫૦૦૦ સ્વેટરો તૈયાર કરાવી બોર્ડર ઉપર મોકલી આપ્યા. આજે પણ દમયંતીબહેન ‘પુનરુત્થાન પત્રિકા’ પ્રગટ કરીને સૌને સમાજસેવાની શીખ આપે છે. વીરબાળાબહેન નાગરવાડિયા વૃદ્ધવયે પણ વૃદ્ધોની મમતામયી મા વીરબાળાબહેનનો જન્મ ૧-૮-૧૯૧૩ માં કરાંચીમાં થયો હતો. લગ્ન સમયે એમના પિતાએ આપેલાં મોંઘાદાટ વસ્રોનો પતિ આગળ ખડકલો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy