SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કોઈએ કોઈ પ્રકારનો સંબંધ ન રાખવો. તે અધિકાર કથાશ્રવણ માટે શાસ્ત્રીજી પાસે, તેમને ઘરે નિયમિત આવવા લાગ્યો. રાજા-ઠાકોરે પૂછ્યું તો શાસ્ત્રીજીએ કહ્યું : “મારાથી તેને આવવાની ના નહિ પડાય.' ઠાકોરે શાસ્ત્રીજીને કહ્યું : ‘તો તમારે મોરબી છોડવું પડશે.' શાસ્ત્રીજી : જેવી આશા. પણ અહીંથી ઘેર જઈને, કહીને જાઉં કે સીધો જાઉં ?' ઠાકોર : ‘અબઘડી-સીધા જ ચાલ્યા જાઓ! શાસ્ત્રીજી ત્યાંથી સીધા નીકળ્યા અને વાંકાનેરથી મુંબઈ પહોંચ્યા. ઠાકોરે બહુ તપાસ કરાવી, પસ્તાવો થયો. એવામાં તેમને મુંબઈ જવાનુ થયું. ત્યાં મેળાપ થયો. ઠાકોરે ક્ષમા માગી અને પોતાની સાથે મોરબી પધારવા વિનંતી કરી. ઠાકોરે તેમને બહુ માનથી રાખ્યા. તેમના કહેવાથી ઠાકોરે, શ્રીમદ્ ભાગવતની અનેક પારાયણો કરાવી. પાંત્રીસ બ્રાહ્મણ કન્યાઓનાં કન્યાદાન દીધાં. રૂ।. ૧૬૦૦૦=૦૦ ધર્માદામાં આપ્યા. એક વર્ષમાં ૨૦ હજાર બ્રાહ્મણોને જમાડ્યા ને દક્ષિણા આપી. મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. શાસ્ત્રીજીને ગુરુપદે સ્થાપ્યા. આવા હતા વેદાન્તનિપુણ, સત્ત્વશીલ, મહાપ્રતાપી શાસ્ત્રી શ્રીશંકરલાલ મહેશ્વર. નારીસૃષ્ટિનું લીલુંકંચન, દિવ્યદૃષ્ટાન્ત પરમ વંદનીય લીલબાઈ મા સોરઠના વંથલી (વનસ્થલી) ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. સમય ૧૮મા સૈકાનો. રઘુનાથનાં પત્ની એટલે લીલબાઈ. આઠ વર્ષની વયે લીલબાઈ શીતળા થવાથી અંધ થયાં. રઘુનાથનાં બાએ દીકરાને માટે બીજી વહુ ન શોધી અને લીલબાઈને જ તેડી લાવ્યાં. આંધળી વહુની સૌને નવાઈ લાગી. લીલબાઈ વહુ અંધ છતાં ઘરનાં તમામ કામ કરે. સાસુની બહુ સેવા કરતાં. ગામમાં આંધળી વહુની વાહવાહ થઈ ગઈ! બાળપણમાં લગ્ન થયાં હોવાથી ઉંમર થતાં વહુને સાસરે તેડ્યાં. તે પછી એક વરસે રઘુનાથ ભટ્ટ, બહારગામથી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યા. આંધળી વહુ કોને ગમે? શરૂઆતમાં તેમણે ઉપેક્ષા કરી. પોતે કથા વાંચતા અને ધાર્મિક ક્રિયાકાંડ કરાવતા. વખત જતાં તેમને અંધ પત્નીમાં સદ્ગુણોનાં દર્શન થયાં. પતિ ભણીને આવ્યા પછી ત્રણ વર્ષે, લીલબાઈ વહુએ સાસુની સંમતિથી પુત્રપ્રાપ્તિ માટે પયોવ્રત શરૂ કર્યું. પાંચમે વર્ષે Jain Education International ૧૬૫ સીમંત આવ્યું અને પુત્રજન્મ થયો. તેનું નામ કેશવજી પાડ્યું. એ મોટો થતાં તેને પરણાવ્યો. એકવાર તે પુત્ર કેશવજી બહારથી ઘરમાં આવતો હતો ત્યારે તેણે પોતાના પિતા (રઘુનાથ ભટ્ટ)ને, ઓશરીમાં એકલાં બેઠેલાં અંધ માને (કેશવજીનાં માને અને પોતાની (રઘુનાથની) પત્નીને) દંડવત્ પ્રણામ કરતા જોયા. એ અંગે એકવાર પૂછતાં પિતાએ કહેલું : ‘તારી મા સાવ આંધળી, પરણીને સાસરે આવ્યા પછી ચારેય અંધાપાનું દુઃખ રોયું નથી. પોતે આંધળી છે, એમ પણ બોલી નથી! ક્યારેય કોઈ વસ્તુ માગી નથી. પોતાને દોરવાનું કહ્યું નથી. હંમેશાં ભગવાનની, નીતિની અને આનંદની જ વાતો કરતી હોય. હું ઘણી વાર મૂંઝાઈ જતો પણ તેને મેં ચારેય મુંઝાયેલી જોઈ નથી. ઊલટી તે મને મદદ કરતી. મારી ભૂલ થાય ત્યારે હું તેની ક્ષમા માગી લેતો. એ પગે પડવા જેવી છે.' એક વાર રઘુનાથ ભટ્ટ બાજુના ગામમાં ભાગવત સપ્તાહ કરવા ગયા. ત્યાં તેમને ભયંકર દર્દ ઊપડ્યું. લીલીબાઈએ દીકરા કેશવજીને તેના પિતા પાસે જવા કહ્યું. તે તેમને ઘેર લઈ આવ્યો. વળતે દિવસે નદીએ ન્હાવા જવાને બદલે, ઘેર નાહ્યા. લીલબાઈએ નાહીને પતિ પાસે ગંગાજળ માગી પીધું ને પગ પકડી રજા માગી સૂઈ ગયાં. રઘુનાથ ભટ્ટે ખોળામાં તેનું માથું લીધું ને લીલબાઈ આંખ ફેરવી ગયાં! સ્મશાનેથી આવી રઘુનાથ ભટ્ટ લીલબાઈના સાથરાને પગે લાગતાં ઢળી પડ્યાં. બીજે દિવસે તેમનો દેહ છૂટી ગયો. લોકો લીલબાઈમાનાં દરશન કરવા રોજ ગાડાં બંધાવીને આવતાં. પરમ જ્ઞાની તથા એવા જ પરમ ભકત : ધનાભગત સૌરાષ્ટ્રના નાનકડા ગામના કુંભાર. પિતા અરજણભાઈએ પુત્ર ધનાને યોગ્ય વયે પરણાવ્યો. આ પછી થોડા જ સમયમાં માતા-પિતા અવસાન પામ્યાં. આ પછી ધનો જુવાન થયો. તેને તેની સ્ત્રી (પત્ની)નો સહવાસ બહુ ગમતો. તે તેને જોયા જ કરતો. લોકો ધનોગાંડો' કહેતા. પત્ની પાણી ભરવા જાય ત્યારે ધનો (પતિ) તેની પાછળપાછળ જાય. પત્નીનું આકર્ષણ તેને અજબ સાનંદાશ્ચર્ય જન્માવતું! દસેક વર્ષના દાંપત્ય જીવન પછી ધનાને એક પુત્ર થયો. તેની વહુ, બીજી કુંભારણો સાથે ગોરમટી ખોદવા સીમમાં ગઈ. એવામાં કોતર ઘસતાં તે દબાઈને મરી ગઈ. ધનાને તેનો જબરો આઘાત લાગ્યો. તેનાં સાસુસસરા, નાના પુત્રને પોતાને ઘેર લઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy