SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ગયાં. હવે ધનો તદ્દન એકલો પડ્યો. કાંઈ કામ ન કરે. બે ગધેડાં હતાં તે છૂટાં મૂકી દે. સાંજે ગધેડાં પાછાં આવે. ધનો ખાય અને ન પણ ખાય. ન્હાવાનું પણ એવું જ. કોઈ કામ ન કરે. એકલો બેઠી રહે. ક્યારેક રાતે ઊઠીને સીમમાં ચાલ્યો જાય. સૂનમૂન બેસી રહે, જાણે ધ્યાન લાગી ગયું! કોઈ સાથે બોલે નહિ. કોઈને ઘરે જાય નહિ. ખાય નહિ, ઊંઘે નહિ, કોઈ ખાવાનું આપે તો લે નહિ! તેની આંતચેતના જબ્બર તપ કરવા લાગી. લોકો તેને ‘ધનાબાપા' કહેવા લાગ્યા. એવામાં કોઈ અસાધારણ અવધૂતનો ધનાબાપાને સમાગમ થઈ ગયો. ત્યારથી તેમની વિહવળતા જતી રહી. પત્નીના વિષાદમાંથી કાયમ માટે મુક્ત થઈ ગયા. હવે એ ધનાભગત’ તરીકે જાણીતા થયા. ધના ભતગને જ્ઞાન પ્રકટ્યું. મોરબીના પ્રસિદ્ધ રાજવૈદ્ય હિરરામ કોટડા-સાંગાણી આવીને વસ્યા. ધનાભગતને પણ ત્યાં લઈ ગયા. કોટડામાં ધનાભગતે જાતે માટીની ઓરડી ચણી. અંદર કાંઈ ન મળે! લોકો ખાવાનું આપે. ખાય, ન ખાય! તેમને અસીમ જ્ઞાનનો યોગ થયો. તેમના શબ્દો સત્ય ઠરવા લાગ્યા! એવામાં છપ્પનિયો (વિક્રમ સંવત ૧૯૫૬) દુકાળ પડ્યો. તે ધનાભગતથી જોવાયો નહિ. તેમનું અંતઃકરણ કકળી ઊઠ્યું. એકવાર કોટડા શ્રીકૃષ્ણાનંદ સ્વામી પધારેલા. તેમણે રાજ્યના કારભારીને કહેલું : ‘ગામમાં સંત, વૈરાગી કે સંસારી જે કહો એ ધનાભગત છે. એ વિશિષ્ટ, પરમ જ્ઞાની તથા એવા જ પરમ ભક્ત છે. એમની પૂજા કરો.' વળતે દિવસે ધનાભગત બે ગધેડાં સાથે ગંગાસ્નાન કરવા નીકળી ગયા. આર્યગૃહિણી, જગતનું અણમોલ રતન : રતનફઇ મોરબીમાં સૌ તેમને રતનફઈ કહીને બોલાવે. સાસરે આવ્યાં પછી ગાય દોહવા બેઠાં તો અરધું દોહીને ઊભાં થઈ ગયાં. સાસુએ પૂછ્યું તો કહે : ‘આટલું બસ છે. બાકીનું વાછરુંનું છે.’ તેમના પતિ મહીઘર ભટ્ટ સ્વછંદી હતા. દાદા પીતામ્બર ભટ્ટે અતિશય લાડ લડાવ્યા હતા અને યુવાવયે અયોગ્ય મિત્રોનો કુસંગ થવાનું એ પરિણામ હતું. આથી એક દિવસ પત્નીએ (રતનફઈએ) પતિને કહ્યું : ‘તમારા ઘરની કુળરીત હું તોડવા નહિ દઉં, તમારું સ્થાન હવે તમારા ઘરમાં નથી. ઓશરીએ રહો. મહીધર ભટ્ટ કાંઈ કમાય નહિ. આથી રતનફઈએ દળણાં દળવા માંડ્યાં. પિતાને ખબર પડી. પિતા હિરરામ ભટ્ટ મોરબીના બાપ ગણાતા. તેમણે સહાય કરવા કહ્યું. દીકરી (રતનફઈ)એ Jain Education International પથપ્રદર્શક કશી મદદ લેવાની ના પાડી. આમ આઠ-દશ વર્ષ ચાલ્યું. એક સવારે પતિ મહીધર ભટ્ટે ઊઠી પત્નીને કહ્યું “મને મારી ભૂલ દેખાય છે. તું કહે તે પ્રાયશ્ચિત્ત કરું, પણ મને હવે ઘરમાં લે.' પત્નીએ ‘મારી છૂટ છે, ચાલો' કરી ઘરમાં પ્રવેશ આપ્યો. ઠાકોરજીની પૂજા કરાવી. લાપસી રાંધી પતિને જમવા બેસાડ્યા. પતિ રડી પડ્યા. કહ્યું : મેં તને બહુ દુઃખ આપ્યું.’ વળતી રાતે મહીધર ભટ્ટ બહુ મોડા ઘરે આવ્યા અને કહ્યું : ‘હું કાંઈ તું કહે તેમ કરું બરું નહિ'. અને પાછા સ્વચ્છંદી બની ગયા. રતનફઈના ભત્રીજા એ પ્રભાશંકર પટ્ટણી ઇ.સ. ૧૮૯૫ માં ભાવનગરના સૅક્રેટરી બન્યા ત્યારે તેમણે ફઈને પચાસ રૂપિયાનું મનીઓર્ડર કર્યું. લખ્યું, : ફઈ, હવે તો પથરો છોડ. મારા પર દયા કરી પથરો છોડ.' એ મનીઓર્ડર પાછું આવ્યું. રતનફઈએ લખાવ્યું હતું : મેં પથરો (દળવાની ઘંટી) રાજીખુશીથી મારો કર્યો છે. મને એનો ભાર કદી લાગ્યો નથી. બીજા પથરા કરતાં તેનો ભાર હળવો છે. છોકરા મોટા થઈ ગયા છે એનોય ભાર મારા પર નથી. ને મેં મારો ભાર ભગવાન પર નાખ્યો છે. એ (ભગવાન) બીજા પર ન નાખે તેમ માગું છું. તું, મારા જેવી બધી પથરા તાણનારીને તારી ફઈ સમજી એમને સુખી કરે તેવો થા અને સદા એવો રહે તેવા મારા આશીર્વાદ છે.' આવાં હતાં કર્મઠ રતનફઈ! સમર્થ કેળવણીકાર એવા પૂજ્ય નાનાભાઈ ભટ્ટના પ્રપિતામહ પરમ વૈરાગ્યમૂર્તિ શ્રીત્રિકમબાપા ભાવનગરની પ્રશાંતભૂમિમાં જન્મેલા શ્રી ત્રિકમબાપા પરમ વૈરાગ્યમૂર્તિ હતા. તેમના પ્રપૌત્ર શ્રીનૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ (પૂજ્ય નાનાભાઈ) માં, તેમનું તેજ ઊતર્યું હતું. પૂજ્ય નાનાભાઈ પોતાના સમયના ભારતના સમર્થ કેળવણીકાર હતા. શ્રીત્રિકમબાપા અસાધારણ રાજ્યવૈદ્ય હતા. આયુર્વેદના પરમ જ્ઞાતા હતા. તેમની કીર્તિ સર્વવ્યાપી હતી. તેમનાં જ્ઞાનને સફળતા અને યશકીર્તિનો અખંડ સુયોગ હતો. સ્વભાવે અત્યંત તેજ–કડક અને નિયમોનું નિરપવાદ પાલન કરનાર આ રાજ્યવૈદ્યને રાજાઓ નમન કરતા. તેમનો પહેરવેશ તદ્દન સાદો હતો. ટૂંકું ધોતિયું, માથે પાઘડી, ખભે ખેસ, પગમાં પગરખાં હોય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy