SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કિનારે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. ત્યાં ગંગેશ્વરનું વિખ્યાત મંદિર આવેલું છે. તેની નજીકમાં જ ચીકુ, નાળિયેરીના વૃક્ષો અને આમ્રકુંજોની હરિયાળીમાં કછોલી ગામ આવેલું છે. આ ગામના વાયવ્ય ખૂણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક પાયાના કાર્યકર શ્રી કીકુભાઈ ગુલાબભાઈ નાયકે નંદનવન સમા યાત્રાધામ અને સંસ્કારધામનો વિકાસ કર્યો છે. આ કછોલી ગામ પ્રખર સ્વાતંત્ર્ય સેનાની શ્રી કીકુભાઈ નાયકની કર્મભૂમિ તથા વતનનું ગામ છે. એમનો જન્મ ૯મી નવેમ્બર, ૧૯૦૩માં સાલેજ ગામે ખનાવિલ કુટુંબમાં થયો. સાલેજ તેમનું મોસાળનું ગામ હતું. તેમનું વતનનું ગામ કછોલી હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં સામાન્ય બાળક પેઠે લીધું. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેઓ સાલેજ ગામમાં આવ્યા હતા. એ વખતે બાર વર્ષના કિશોર કીકુભાઈને ગાંધીજીના દર્શન પ્રથમવાર થયા હતા. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ એમણે ગણદેવી ગામે લેવા માંડ્યું હતું. ૧૯૨૦-૨૧ માં દેશભરમાં અસહકારની ચળવળ ચાલી. ગાંધીજીએ સરકારી શાળા છોડવા હાકલ કરી અને કીકુભાઈ સરકારી શાળા છોડી અમલસાડની રાષ્ટ્રીય શાળામાં દાખલ થયા હતા. ત્યાં શિક્ષણ લેવાને લીધે શ્રી કીકુભાઈ અભ્યાસકાળથી જ રાષ્ટ્રપ્રેમી બન્યા. એ સમયે શિક્ષણ છોડીને શ્રી કીકુભાઈ આફ્રિકા સ્થિત ઝાંઝીબારમાં પોતાના મામા સાથે ધંધાર્થે ગયા, ત્યાં ચાર વર્ષ રહી વ્યવસાયમાં ધ્યાન આપ્યું પરંતુ ત્યાં લવિંગના વેપારમાં ત્યાંના ગરીબ મૂળ વતનીઓનું શોષણ કરીને જ પૈસા કમાઈ શકાય એ તેમને જોવામાં આવ્યું. રાષ્ટ્રીય શાળામાં મળેલા સંસ્કારોને કારણે ત્યાંના ગરીબ અને પછાત મૂળ વતનીઓનું વેપારીઓ દ્વારા થતું શોષણ એમને કઠવા લાગ્યું અને ઉત્તરોત્તર મૂંઝવણ વધતી ગઈ અને ૧૯૨૮માં પ્રતિકૂળ આબોહવાને કારણે બિમાર પડવાનું નિમિત્ત મળતાં તેઓ વતન પાછા ફર્યા. ઝાંઝીબારના નિવાસ દરમિયાન તેઓ ભારતના બનાવોથી માહિતગાર રહેતા હતા. મુંબઈથી બહાર પડતું ‘ગુજરાતી’ એમનું પ્રિય સાપ્તાહિક હતું. વતન પાછા ફરી સ્વસ્થ થતાં યુવક મંડળ રચી, રચનાત્મક સેવા કાર્યો શરૂ કર્યા. યુવાન સાથીદાસેના સહકારથી તેમણે યુવક મંડળની સ્થાપના કરી. ત્યારથી તેમની સેવા પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગ્રામસેવાને જ જીવનમંત્ર બનાવી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા તાલીમવર્ગમાં જોડાયા. આ પહેલાં તેમણે ૧૯૨૮માં શ્રી વલ્લભભાઈ પટેલને બારડોલી Jain Education International પથપ્રદર્શક સત્યાગ્રહમાં મળેલી જવલંત સફળતાને બિરદાવવા અને તેમની વાણીનો લાભ લેવા ઠેર-ઠેર સભાઓનું આયોજન કર્યું હતું. ૧૯૩૦ની ૪થી મેની વહેલી સવારે બરાબર ૧૨ ને ૪૫ મિનિટે અચાનક હુમલો કરીને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ધરાસણાના અગરો પરની કૂચ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. અબ્બાસ સાહેબના નેતૃત્વમાં કૂચ કરવા નીકળેલ ટુકડીમાં કીકુભાઈ પણ હતા. તે ટુકડીની તરત જ ધરપકડ થઈ. વિદાય આપવા આવેલા શ્રી જુગતરામ દવેને પણ અટકમાં લેવાયા. કીકુભાઈને ત્રણ માસની સજા થઈ. જેલમાંથી છૂટીને કીકુભાઈ દારૂ-તાડીના પીઠા પર પિકેટીંગની પ્રવૃત્તિમાં જોડાયા. લોકજાગૃતિ માટે પ્રભાતફેરી અને સરઘસ જેવી પ્રવૃત્તિઓ પણ ઉપાડવામાં આવી. બીજી બાજુ સામાજિક ક્ષેત્રે પણ કંઈક કરવાની આવશ્યકતા હતી. વાંકડા, પ્રેતભોજન, બાળલગ્ન જેવી કુરૂઢિઓ સામે પગલાં માંડવા ‘અનાવિલ સમાજ સેવક' દળની સ્થાપના કરવામાં આવી. શ્રી કીકુભાઈ ગુ. નાયકે ૨૫-૧-૧૯૩૧ના રોજ કછોલી મુકામે મીઠું પકવ્યું હતું. પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી અને ફરી સજા કરવામાં આવી. થોડો સમય મરોલી સેવાશ્રમમાં તેમણે કામગીરી બજાવી. ત્યાંથી ગોધરા હરિજન આશ્રમમાં ગયા. જ્યાં અછૂતો માટે કામ કરવાનો મોકો મળ્યો. એ પછી વતન કછોલીને જ કાર્યક્ષેત્ર બનાવી ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ શરૂ કરી. જાન્યુઆરી, ૧૯૪૪માં એક પત્રિકા છાપી પ્રકાશિત કરવા બદલ શ્રી કીકુભાઈની ધરપકડ કરવામાં આવી. તેમના પર કેસ ચલાવી ૧૮ માર્ચ, ૧૯૪૪ સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. શ્રી કીકુભાઈએ મહાદેવ દેસાઈ સ્મારક ફંડ સમિતિના મંત્રીપદે કામગીરી બજાવી હતી. ૧૯૪૬માં જલાલપોર તાલુકામાં તેમણે હળપતિ મહાજનની સ્થાપના કરી હતી. ભારત દેશ આઝાદ થયા પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન તેઓ મુંબઈ રાજ્યના ધારાસભ્યપદે રહ્યા. ૧૯૫૬માં ગાંધીઘર કછોલીનું ખાતમુહૂર્ત થયું અને શ્રી મોરારજીભાઈ દેસાઈએ ૧૯૫૮માં ઉદ્ઘાટન કર્યું. ગાંધીઘર કછોલીની સ્થાપના કરી તેમણે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ કર્યો અને લોકસેવાના કાર્યો કર્યાં. આજ દિન સુધી તેમણે સેવાના કાર્યો કરી સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ કહેતા કે સમાજસેવા વગરની સમાજવિદ્યા ગાંધી વિચારમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy