SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ઘરનો ત્યાગ કરી સુરત શહેરને કર્મભૂમિ બનાવી, સ્થાયી થવાનું વિચારતા હતા ત્યાં તો ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ પૂર્ણસ્વરાજની ઘોષણાની પહેલી વર્ષગાંઠે સુરતના યુવાનોએ કિલ્લા પર ફરકતા યુનિયન જેકને ખસેડી રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો સંકલ્પ કર્યો. ગાંધીજીએ ૧૯૪૧ માં વ્યક્તિગત સત્યાગ્રહની જાહેરાત કરી. આ સત્યાગ્રહમાં ગાંધીજી જેમને પરવાનગી આપે તે વ્યક્તિ જ સત્યાગ્રહ કરે. આ સત્યાગ્રહમાં ઈશ્વરલાલે સત્યાગ્રહી તરીકે નામ નોંધાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ સમિતિ તરફથી નક્કી કરવામાં આવે ત્યારે સત્યાગ્રહ કરવાનો હતો. એમણે બે વાર વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો. વલસાડથી સત્યાગ્રહ કરી ચાર માસની જેલ વહોરી. ૧૯૪૨ ની ‘હિંદ છોડો' લડત વખતે મુંબઈ ગયા હતા. તેમાં સુરતના જે કાર્યકરો મુંબઈ ગયા હતા તેમાં ઈશ્વરભાઈ અને કુમુદબહેન હતા. ગાંધીજીની ધરપકડ બાદ એ બધા જ સુરત આવવા નીકળ્યા. વલસાડ સ્ટેશન આવ્યું અને ઈશ્વરલાલ પ્લેટફોર્મ પર ઊતર્યા. ટાંપીને બેઠેલી પોલીસે એમને પકડી લીધા. પકડતાની સાથે જ ઈશ્વરભાઈએ ‘ઇન્કિલાબ ઝિંદાબાદ'ના નારાથી સ્ટેશન ગજવી મુક્યું. તેમને નજરકેદ કરી બે વર્ષ નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા. ઈશ્વરભાઈએ સને ૧૯૪૫ માં મજૂર આંદોલન શરૂ કર્યું અને સુરતમાં મિલ વિસ્તારમાં મજૂર મહાજનની સ્થાપના કરી. મજદૂરોને ન્યાય અપાવવાના સિદ્ધાંત કોંગ્રેસથી જુદા પડવાના સંજોગ ઊભા થયા. પરંતુ સ્વરાજ મેળવવાનું રાષ્ટ્રીય ધ્યેય સિદ્ધ થયા પછી જ અલગ થયા. ૧૯૬૬ ની ૨૧મી માર્ચે કોલેરાના જેવા રોગથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એમનું અવસાન થયું. ૨. કલ્યાણજીભાઈ વિઠ્ઠલભાઈ મહેતા (વાંઝ) તા. ચોર્યાસી, જિ. સુરત : તેમનો જન્મ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામમાં તા. ૭-૧૧-૧૮૯૦ ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ વાંઝની શાળામાં લીધું હતું. પ્રેમચંદ રાયચંદ કોલેજ, અમદાવાદમાં ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો પછી ૧૯૦૭માં સુરત કોંગ્રેસમાં પ્રેક્ષક તરીકે હાજરી આપી હતી. અને ત્યારથી જ આઝાદીની લડતમાં જોડાયા. ૧૯૧૦માં જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી. વાંઝ અને જૂનાગઢમાં ભરાયેલી જ્ઞાતિ પરિષદોના સંચાલક તરીકે સફળ કામગીરી બજાવી હતી. સને Jain Education International ૧૫૫ ૧૯૧૧માં તેમણે સુરતમાં સ્થાપેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ (હવે વલ્લભ વિદ્યાર્થી આશ્રમ) આગળ જતાં સુરત જિલ્લાની રાજકીય પ્રવૃત્તિનો ગઢ બની ગયો હતો. હોમરૂલના આંદોલનથી રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ૧૯૧૫માં શ્રીમતી બૅસન્ટની ધરપકડ પ્રસંગે સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક તરીકે રાજીનામું આપ્યું હતું. શહેર અને જિલ્લાના હોમરૂલ લીગની સ્થાપના માટે પ્રયત્ન કર્યા હતા. ૧૯૧૭-૧૮ના વર્ષમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ તેથી પાક નિષ્ફળ ગયો. એ વખતે મહેસૂલ મુલતવી રખાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ સરકારે દાદ આપી નહીં અને ખેડા સત્યાગ્રહ થયો. કલ્યાણજીભાઈએ આ પ્રસંગે લખેલું એક ગીત ખેડા જિલ્લામાં ખૂબ લોકપ્રિય થયું હતું. આ લડતમાં કલ્યાણજીભાઈને માતરની છાવણી સોપવામાં આવી હતી. જ્યાં તેમને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો નિકટનો પરિચય થયો. રોલેટ એક્ટ સામેના સત્યાગ્રહમાં સુરતના પહેલા પાંચ સત્યાગ્રહીઓમાં તેઓ હતા. જપ્ત થયેલા પુસ્તકનું જાહેર વેચાણ કરી, કાનૂનભંગ કરવા જતાં તેમની ધરપકડ થઈ હતી. સ્વરાજય આંદોલન શરૂ થતાં સ્વરાજ્ય ફાળામાં તેમણે પોતાની બધી મિલકત અર્પણ કરી દીધી હતી. સુરતમાં ડક્કા ઓવારે ૪૦-૫૦ હજાર માણસોની શિસ્તબદ્ધ સભાઓ થતી ને તેમાં તેમનો અવાજ ગાજતો. સુરત સુધરાઈનો કબ્જો લેવાના આંદોલનના તેઓ એક આગેવાન હતા. ૧૯૨૧૨૨માં બારડોલી લડતમાં અગ્રભાગ લીધો હતો. ૧૯૨૩માં નાકરવાદી પત્ર ‘નવયુગ' સાપ્તાહિકની સ્થાપના કરી, તેના તંત્રી બન્યા. એના લેખ માટે બે વર્ષની સજા થઈ હતી. ૧૯૨૫માં બારડોલીના સ્વરાજ આશ્રમની સ્થાપના અને રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી અને તેની એકસૂત્રતા માટે કામ કર્યું હતું. ૧૯૩૮માં સુરત જિલ્લા સ્કૂલબોર્ડના અધ્યક્ષ તરીકે આવ્યા હતા. ૧૯૪૨માં ફરી બે વર્ષની જેલ થઈ હતી. કુલ્લે સાત વર્ષનો જેલવાસ સ્વીકાર્યો હતો. તે દરમિયાન તેઓ સાબરમતી, યરવડા, થાણા, વિસાપુર અને નાસિકની જેલમાં રહ્યા હતા. તેમનું મૃત્યુ ૧૦મી જુલાઈ, ૧૯૭૩ના રોજ થયું હતું. આમ, કલ્યાણજીભાઈએ આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૩. કીકુભાઈ ગુલાબભાઈ નાયક (કછોલી) તા. ગણદેવી, જિ. નવસારી દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં અંબિકા નદીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy