SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પથપ્રદર્શક રાષ્ટ્રીય અભિલેખાગાર નવી દિલ્હી ખાતેના સલાહકાર સમિતિમાં વિષયના તજ્જ્ઞ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમ જ ઇતિહાસ વિષયના રાજ્યકક્ષાના અને ભારત સરકારના માન્ય મંડળોમાં આજીવન સભ્ય છે. તેમણે ૬૦ જેટલા લેખો ઉપરોક્ત વિષયને કેન્દ્રમાં રાખીને જુદાજુદા અંગ્રેજી ગુજરાતી અને હિન્દી કેન્દ્ર સરકાર અને રાજ્યકક્ષાના અનેક ઉચ્ચકક્ષાના સામયિકોમાં સંશોધનાત્મક અને શિક્ષણલક્ષી શોધપત્રો પ્રકાશિત થયા છે જે તેઓ હાલમાં નિવૃત્તિ પછી પણ લેખન અને અધ્યયનના કામમાં સતત વ્યસ્ત રહેલા છે. તેઓએ સંસ્થા અને વિભાગમાં વિવિધ વિષયો અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી એવાં પરિસંવાદો, શિબિરો, વાર્તાલાપો, પ્રદર્શન વગેરેનું આયોજન પણ કર્યું હતું. - સંપાદક ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ (ઊંટડી) ઘરાસણા, જિ. વલસાડ દાંડીકૂચથી ઐતિહાસિક બનેલા વલસાડ જિલ્લાના ધરાસણા પાસેના ઊંટડી ગામમાં ઈશ્વરલાલનો જન્મ ૧૯૦૭ના ડિસેમ્બરમાં ઈચ્છાબાની કુખે થયો હતો. ઈશ્વરલાલે પ્રાથમિક શિક્ષણ ઊંટડીમાં લીધું હતું. માધ્યમિક શિક્ષણ વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં લીધું હતું. ૧૯૨૪માં તેઓ મેટ્રિક પાસ થયા હતા. સુરતની એમ. ટી. બી. કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ થયા. સ્વામી વિવેકાનંદ એમના આરાધ્યદેવ જેવા હતા. ઈશ્વરભાઈ સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો અભ્યાસ વધુ કરતા, શરૂઆતથી જ સ્વામી વિવેકાનંદનું પ્રભુત્વ એમના ઉપર વિશેષ હતું. સ્વામી વિવેકાનંદનો પ્રભાવ એમના જીવન ઘડતર ઉપર વિશેષ હતો. મેટ્રિક પાસ થયા ત્યારથી જ ખાદી પહેરવાની શરૂઆત કરી દીધી હતી. તે સમયમાં દેશનેતાઓ લાલ, બાલ, પાલ અને સુરેન્દ્રનાથ બેનરજી તેમજ ગાંધીજીનું સાહિત્ય તેઓ વાંચતા હતા અને એમનાથી પ્રભાવિત થયા હતા. આઝાદીની ઉત્કટ ભાવના અને પ્રજાની કંગાલિયતની કરૂણ વ્યથા એમને જંપવા દેતી ન હતી. યુવાનોમાં આવેલી જાગૃતિને ટકાવી રાખવા માટે ૧૯૨૮માં યુથ લીગની સ્થાપના કરી હતી. તે પછી જ્યારે ગુજરાતનું સંગઠન કરવાનો નિર્ણય કર્યો તેમાં ઈશ્વરલાલે અગત્યનો ભાગ ભજવ્યો. ૧૯૨૮માં જવાહરલાલ નહેરુએ દેશ સમક્ષ પૂર્ણ સ્વરાજ્યનો ખ્યાલ મૂક્યો. કોંગ્રેસની કારોબારીએ એ ઠરાવ સ્વીકારી લીધો. પૂર્ણ સ્વરાજના વિચારને મજબૂત કરવા એમણે સંપૂર્ણ સ્વરાજ સંઘની સ્થાપના કરી અને જુદે જુદે સ્થળે પરિષદો યોજવા માંડી. ઈશ્વરલાલે આ ચળવળમાં ઝંપલાવ્યું અને ગુજરાત યુથ કોન્ફરન્સમાં તથા પૂર્ણ સ્વરાજ પરિષદમાં આગળ પડતો સક્રિય ભાગ લેતા થયા. ઈશ્વરલાલ અમદાવાદમાં કાયદાનો અભ્યાસ કરતા હતા. સાઈમન કમિશનનો બહિષ્કાર, બારડોલી સત્યાગ્રહ અને પૂર્ણ સ્વરાજ સંઘે એ બધામાં એમણે સક્રિય ભાગ લીધો હતો. ૧૯૩૦માં દાંડીકૂચથી પ્રગટેલી ચેતનાને કારણે અભ્યાસને તિલાંજલી આપી. મીઠાનો કાયદો તોડવાના સત્યાગ્રહમાં સહભાગી થવા તેઓ પોતાના માદરે વતન ઊંટડી આવ્યા હતા અને ગાંધીજીને ઊંટડી ગામની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ધરાસણાના સત્યાગ્રહમાં તેઓ મોખરે રહ્યા હતા. કાયદાની પરીક્ષાના દિવસે જ ધરાસણા પહોંચતા તેમની ધરપકડ થઈ અને ચાર માસની સજા થઈ હતી. જેલમાં સરદાર વલ્લભભાઈ સાથે રહેવાનો લ્હાવો મળ્યો હતો અને સરદારને આ યુવાનની શક્તિના દર્શન થયા. ઈશ્વરલાલ જ્યારે ચાર મહિને જેલમાંથી છૂટીને પોતાના પિતાને ઘેર આવ્યા ત્યારે પિતાએ તેમને સત્યાગ્રહનો સંગ છોડી, વકીલાતનો અભ્યાસ પૂરો કરવા અને પત્ની સાથે ઘર માંડવા સમજાવી જોયું. પરંતુ એમનું ધ્યાન તો લડત તરફ જ હતું. છોટુભાઈને દીકરા માટે પુષ્કળ પ્રેમ હતો. છતાં ઘેર આવેલા દીકરાને પાછો ઘર છોડીને લડતમાં જતો રોકવા માટે કડક બંદોબસ્ત ગોઠવવાની તજવીજમાં હતા. પરંતુ એક વહેલી સવારે કુટુંબીજનોની જાણ બહાર સદાને માટે ઘર છોડીને લડતમાં ઝંપલાવ્યું. ખાનગી જીવનમાં આ સંઘર્ષથી એમનું આત્મબળ વધ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy