SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ જગાડવાનો હતો. તેથી જ તેઓ અંબર રેંટિયા-ખાદીની પ્રવૃત્તિ, તળાવ ખોદાવતાં, નદીની નહેરો કે કૂવાની યોજનાઓ પણ આપતાં જેથી પ્રજા પુરુષાર્થ કરી, પોતાની તાકાત પ્રગટ કરે! મણિબાનો આટલો મોટો ત્યાગ અને સેવા પાછળ તેમનો સમગ્ર નાણાવટી પરિવાર તો ખરો જ, પણ એથીય અધિક ઉપનગરના નાગરિકો અને સેવકો પણ ખરા! મણિબાને મુંબઈની પ્રજાએ લાખો રૂપિયાનાં દાન આપી તેમની ઝોળી સદા અક્ષય રાખી, તો તેઓ આવાં ઉમદા કામો કરી શક્યાં. તેથી તો તેઓ જયાબહેનને પણ કહી શકે છે કે, “પોરબંદરના માહોલના મોહનથી માંડીને ગાંધીજીની અંતિમયાત્રા સુધીની ઘટનાને તેનો મૂળ માહોલ રાખીને કલાત્મક રીતે તેનું આયોજન કરવાનું શક્ય હોય તો તમે ત્યાંના પદાધિકારીઓને મારો સંદેશો આપજો કે, એવું કંઈ વિચારે અને મુંબઈ આવે તો એક કરોડ રૂપિયા ઊભા કરવામાં મુશ્કેલી નહીં પડે.” આવો તેમનો પ્રજા ઉપર વિશ્વાસ હતો. વિલે-પારલામાં નણવટી પરિવારની ઉદાર સખાવતો : નાણાવટી હૉસ્પિટલ ઉપરાંત શ્રી ચંદુલાલ નાણાવટી વુમન્સ ઇન્સ્ટિટયૂટ અને ગર્લ્સ હાઈસ્કૂલ અને મણિબહેન નાણાવટી વુમન્સ કૉલેજ ચાલે છે, જ્યાં બાલમંદિરથી માંડીને ડિગ્રી કોર્સ સુધીની બે હજારથી બહેનોના શિક્ષણની તાલીમ અપાય છે. આ મણિબાનું એક ચિરંજીવ સ્મારક છે. આનું સંચાલન શ્રી જગદીશભાઈ અને મંદાબહેન કરી રહ્યાં છે. ૩૯. પરમગૌભક્ત સ્વામી જ્ઞાનચંદ્રજી સ્વામી જ્ઞાનચંદ્રજી પૂર્વાશ્રમના નાનચંદ્ર અથવા નાનચંદભાઈ. જન્મથી જ જાણે શુકદેવ સમા વિરક્ત હતા. તેમાં ભાગવત સપ્તાહની અખંડ કૃષ્ણ લીલામૃત સાંભળી જીવનમાંથી બધા રસ ઊડી ગયા. કેવળ જ્ઞાનમય-ભક્તિરસ રહ્યો. જ્ઞાનનો સાચો દાતા ગુરુ તેની શોધમાં ભટક્યા. છેવટે એ ગુરુ તો તેમના સગા ભાણેજ ડૉ. રિસકભાઈ શાહે (મોડાસા) મેળવી આપ્યા. એ હતા મુનિશ્રી સંતબાલજી, અગિયાર વર્ષે તેમને ગુરુ મળ્યા. એમના મનમાં ગુરુ વિશેની ચોક્કસ કલ્પના હતી : જે કંચનનો સ્પર્શ કરતો ન હોય, વૈભવ વિલાસથી દૂર રહેતો હોય, પાદવિહાર અને ભિક્ષાનો પ્રેમી હોય, જેનો વૈરાગ્ય તેના ત્યાગમાં સાક્ષાત દેખાતો હોય, જે દમામ, ચમત્કાર અને બાહ્ય દેખાવથી દૂર ભાગે અને અંતરમાં ભક્તિઆતશ અખંડ ધગતો હોય, એવો કોઈ પુરુષ મળે તો તેમને આ દેહ Jain Education International ૧૫૧ અર્પણ કરવો.' ‘એવા સદ્ગુરુને ચરણે અમ શરણું સાંપડો'–એ કવિ ખબરદારની પ્રાર્થના ફળી અને એક વૈષ્ણવ મોઢ વણિક નાનચંદ, જૈન સંતથી ઓળખાતા સંતબાલને ગુરુ તરીકે સ્વીકારે છે. ગુરુની આજ્ઞા કે આદેશને નહીં, તેના અંતરના ભાવને પોતે સમર્પિત થાય છે. ગુરુ સંતબાલે, પોતાના ધર્મમય સમાજરચનાના પ્રયોગક્ષેત્ર માટે બે મંત્ર બીજ આપ્યાં. પ્રાર્થના અને શુદ્ધિપ્રયોગ. સ્વામી જ્ઞાનચંદ્રજી માટે આ બે તેમના ફેફસાં સમાન થઈ પડ્યા. તેમની પાસે ગુરુ સંતબાલે અનેક શુદ્ધિપ્રયોગો કરાવ્યા. એમાંથી નાનચંદભાઈ તપસ્વી થઈ જ્ઞાનચંદ્ર બની ગયા. (તેનું વર્ણન કંઈક તો શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રો'માં જણાઈ આવે છે.) બી. કાર્ય પ્રાર્થના. પ્રાર્થના મંડળ દ્વારા તેમણે સાણંદમાં વિવિધ રચના-મક પ્રવૃત્તિઓ જેવી કે ગૌશાળા અને ગોસદન, આયુર્વેદ ઔષધાલય, અન્યાય પ્રતિકાર, વ્યસન ત્યાગ જેવી પ્રવૃત્તિઓથી સાણંદમાં અધ્યાત્મની નવી ચેતના પ્રગટાવી. સાણંદની શેરી શેરીનું નાનામાં નાનું બાળક પણ તેમને ઓળખે કે આ ‘બાપુ' આવ્યા. પ્રાતઃ પ્રભાતફેરીમાં અને ભિક્ષાચરીમાં પદત્રાણ વિના, અસલ સંન્યાસીની ઢબે તેઓ ભિક્ષાચરી કરતા. અને પોતાના ભક્તિમāા સ્મિતથી આનંદની ઉજાણી કરાવતા રહેતા. ગુજરાતના જાહેર સેવાક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું પ્રદાન ગોવંશ હત્યા બંધીના કાનૂનમાં નિમિત્તરૂપ બનવાનું છે. તેમની ગાયની અખંડ ભક્તિ ફળી, અને ગુજરાત સરકારે ૧૬ વર્ષથી નીચેનાં પશુઓના વધ ઉપર પ્રતિબંધ કરતો કાનૂન બનાવ્યો. સ્વામી જ્ઞાનચંદ્રજીનું બીજું એક મહત્ત્વનું પાસું અનેક કુટુંબોમાં તેઓ વત્સલ પિતા-ગુરુ અને માતાનું સ્થાન ભોગવતા રહ્યા એ છે. અનેક લોકોના અંગત જીવનની મૂંઝવણમાં તેઓ તેમની વહારે ચડતા, અને કુટુંબની શાંતિમાં સ્નેહાકૃત રેડતા. આવા સ્વામીજીનું વિ. સંવત ૨૦૬૦ના ચૈત્ર વદ અગિયારશે, તા. ૧૫-૪-૨૦૦૪ને ગુરુવારે અવસાન થયું. આ દિવસે તેમની સ્મશાનયાત્રામાં સાણંદમાં અભૂતપૂર્વ લોકોત્સવ જોવા મળ્યો. તેમની પાલખીને સન્માન શ્રદ્ધાસુમન અર્યાં. ગામે સજ્જડ બંધ પાળી શોકાંજલિ દર્શાવી. તા. ૧૮મી એ જાહેર પ્રાર્થના સભા રાખી હતી. તેમાં સાણંદના નગરજનો, વિશેષે તો બહેનો તાલુકાના અગ્રણીઓ, સર્વોદય અને ગોસેવકોની મોટી સંખ્યા હતી. જેટલો પુરુષવર્ગ તેટલો જ મહિલાઓનો, પોતાના ગુરુને અંજલિ આપવા સ્ત્રીવર્ગ ઊમટ્યો હતો. આ પ્રસંગે બે શબ્દ અમારે પણ શ્રદ્ધાંજલિરૂપે કહેવાના આવ્યા ત્યારે અમે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy